Mar 24, 2024
પ્રજ્ઞા-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-465
અધ્યાય-૧૭૭-ફરી દ્વૈતવનમાં આગમન
II वैशंपायन उवाच II
नगोत्तमं प्रस्त्रवणैरूपेतं दिशां गजैः किन्नरपक्षीमिश्च I सुखं निवासं जहतां हि तेषां न प्रीतिरासिद भरतर्षमाणां II १ II
વૈશંપાયન બોલ્યા-તે ભરતવરોને,ઝરણાંઓ,દિગ્ગજો,કિન્નરો ને પક્ષીઓથી સુશોભિત તે શ્રેષ્ઠ પર્વતના સુખકારી
નિવાસને છોડવાનું ગમ્યું નહિ,ને ફરી ફરીથી કૈલાસ પર્વતને જોતાં તેમને મહાહર્ષ થયો.તે નરવીરો,ઝાડીઓ,
પર્વતો,ધોધો,વિવિધ પશુપંખીઓ આદિને જોતાં જોતાં ને ગિરીગુફાઓમાં નિવાસ કરતાં,કૈલાસને ઓળંગ્યો.
અને છેવટે વૃષપર્વાના આશ્રમે પહોંચ્યા,કે જ્યાં એક રાત નિવાસ કરીને,તેઓ વિશાલ બદરી પહોંચ્યા ને
નારાયણના ધામમાં આવીને નિવાસ કર્યો.ત્યાં કુબેરતળાવ જોતાં તે શોકમુક્ત થઇ રમણ કરવા લાગ્યા.(10)
Mar 23, 2024
અટકચાળો-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-464
આજગર પર્વ
અધ્યાય-૧૭૬-પાંડવોનું ગંધમાદનથી પ્રયાણ
II जनमेजय उवाच II
तस्मिन् कृतास्त्रे रथिनां प्रवीरे प्रत्यागते भयनाद वृत्रहंतुः I अतः परं किमकुर्वन्त पार्थाः समेत्य शूरेण धनंजयेन II १ II
જન્મેજય બોલ્યા-અસ્ત્રવિદ્યામાં સિદ્ધ થયેલો,રથીઓમાં શ્રેષ્ઠ ધનંજય,વૃત્રાસુરને હણનારા ઇન્દ્રના
ભવનમાંથી પાછો આવ્યો પછી પાંડવોએ તે શૂરવીર સાથે મળીને શું કર્યું ?
વૈશંપાયન બોલ્યા-તે પાંડવો,અર્જુનની સાથે તે જ વનમાંના કુબેરના ઉદ્યાનમાં રહ્યા હતા અને તે જ સુરમ્ય પર્વત પર વિહાર કરવા લાગ્યા હતા.અર્જુન પણ હાથમાં ધનુષ્ય ધારણ કરીને તે અજોડ મંદિરો ને ક્રીડાસ્થાનોને જોતો
મોટે ભાગે ફર્યા જ કરતો હતો.પાંડવો ત્યાં ચાર વર્ષ રહ્યા,પણ તે સમય તેઓને એક રાત જેવો જ જણાયો.
Mar 22, 2024
મસ્તી-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-463
અધ્યાય-૧૭૫-દિવ્ય અસ્ત્રોનાં દર્શન
II वैशंपायन उवाच II तस्यां रात्र्यां व्यतीतायां धर्मराजो युधिष्ठिरः I उत्थायावश्यकार्याणि कृतवान्भ्रात्रुभिः सह II १ II
વૈશંપાયન બોલ્યા-તે રાત વીતી ગઈ,એટલે ધર્મરાજ યુધિષ્ઠિરે,પોતાના ભાઈઓ સાથે આવશ્યક કર્મો કરીને અર્જુનને તે દિવ્ય એસ્ટ્રો બતાવવાનું કહ્યું.ત્યારે તે અર્જુને તે દિવ્ય અસ્ત્રો બતાવતા પહેલાં સ્નાનાદિથી પવિત્ર થઈને મનથી કલ્પેલા પૃથ્વીરૂપી રથમાં તે બેઠો.તેને દિવ્ય કવચ પહેર્યું,ને ગાંડીવ ને દેવદત્ત શંખ હાથમાં લીધા.ને અનુક્રમે દિવ્ય અસ્ત્રો બતાવવા લાગ્યો.હવે તેણે તે અસ્ત્રોનો પ્રયોગ કર્યો ત્યારે પૃથ્વી ડોલી ઉઠી,સરિતાઓ ને સાગરો ખળભળી ઉઠ્યા,પર્વતો ચિરાવા લાગ્યા,વાયુ થંભી ગયો ને અગ્નિ બળતો અટકી ગયો.(9)
Mar 21, 2024
લોકો-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-462
અધ્યાય-૧૭૪-અસ્ત્રદર્શનનો સંકેત
II अर्जुन उवाच II ततो मामतिविश्वस्तं संरूढशरविक्षतं I देवराजो विगृहेदं काले वचनमब्रवीत II १ II
અર્જુન બોલ્યો-પછી,સમય આવતાં શત્રુઓને જીતવામાં વિશ્વાસપાત્ર પણ બાણોથી ઘાયલ થયેલા
એવા મને,દેવરાજે કહ્યું કે-'હે ભારત,તારી પાસે હવે સર્વ દિવ્ય અસ્ત્રો છે,જેથી પૃથ્વી પરનો
કોઈ મનુષ્ય તને પરાજય આપી શકે તેમ નથી.હે પુત્ર,તું સંગ્રામમાં ઉભો હોઈશ ત્યારે
ભીષ્મ,દ્રોણ,કૃપ,કર્ણ,અને બીજાઓ તારી સોળમા ભાગની કલાની પણ તોલે આવશે નહિ'
Mar 20, 2024
સંબંધ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-461
અધ્યાય-૧૭૩-હિરણ્યપુરના દૈત્યોનો વધ
II अर्जुन उवाच II निवर्तमानेन मया महदद्दष्टं ततोSपरम् I पुरं कामचरं दिव्यं पावकार्कसमप्रभम् II १ II
અર્જુન બોલ્યો-ત્યાંથી પાછા ફરતી વખતે એક બીજું નગર મારા જોવામાં આવ્યું.તે ઈચ્છાગતિવાળું ને સૂર્ય જેવા પ્રભાવવાળું હતું.તેમાં રત્નનાં વૃક્ષો ને મધુર સ્વરવાળાં પક્ષીઓ હતા,ને ત્યાં પૌલોમ અને કાલકંજ નામે દાનવો
નિત્ય વાસ કરતા હતા.તેમાં સહેલાઈથી પ્રવેશી શકાય તેમ નહોતું.શૂલ,મુશળ,ધનુષ્ય આદિ આયુધોને ધારણ
કરેલા અસુરો તે નગરને ચારે બાજુ વીંટી રહ્યા હતા,ત્યારે માતલિને તે સ્થાન વિષે પૂછ્યું.