May 11, 2024

નાદ અલખનો-By અનિલ શુક્લ

 
ઝુલાવે ડાળ પવન ને ?કે પવન ઝુલાવે ડાળ ને?
થયી ઘડીક સ્થિરતા,તો નાદ અલખનો લાગી ગયો.

છોડી તો દીધા હતા -વાદ.વિવાદ ને વિખવાદ ને ,
લઇ સુગંધ ચમનની પવને,ને સુગંધમય બની ગયો.

સફર તો લાંબી ક્યાં હતી? શરુ શૂન્યથી જવું શૂન્યમાં,
ઘડીક તો લાગે છે એમ કે તે પવન શૂન્ય બની ગયો !!

પણ,ના નથી એવું,નાદ તો ઉદ્ભવે પવનના ઘસાવાથી,
સ્થિર,શૂન્ય કે ભલે વહે,અનુભવ અલખનો કરાવી ગયો

અનિલ
માર્ચ-12-2015

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-513

 

અધ્યાય-૨૩૯-દુર્યોધનનું દ્વૈતવન તરફ પ્રયાણ 


II वैशंपायन उवाच II धृतराष्ट्र ततः सर्वे दद्शुर्जनमेजय I पुष्ट्वा सुखमथो राज्ञः पृष्टा राज्ञा च भारतः II १ II

વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,પછી,તે સર્વે ધૃતરાષ્ટ્રને મળ્યા,ને આગળથી ગોઠવી રાખેલા સમંગ નામના ગોવાળે

ધૃતરાષ્ટ્રને નિવેદન કર્યું કે-'અત્યારે ગાયો નજીકમાં જ છે' એટલે શકુનિ ને કર્ણ,ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યા કે-

હે રાજન,હાલમાં ગાયોનાં ધણ,રમણીય ભાગોમાં આવ્યાં છે,તો તેમની નોંધ કરવાનો તથા વાછરડાંને છાપ મારવાનો

આ સમય છે,વળી આ સમયે મૃગયા પણ ઉચિત છે તો દુર્યોધનને વનમાં જવાની રજા આપો'(5)

May 10, 2024

સમજાઈ ગયું-By અનિલ શુક્લ

 

નહોતું હાલતું કે નહોતું ચાલતું,એ આકાશ,તો પછી,
અચાનક જ આકાશમાં વીંઝણો કોણ નાખી ગયું?

શું ભરાયેલો એ વાયુ આકાશમાં બની ગયો પવન?
સ્તબ્ધ આ આકાશમાં સુરાવલી કોણ છેડી ગયું?

સમજીને ખુદ ને તાકતવર,ફુલાઈ,ફરે,ભલે અનિલ,
પણ,તાકાત -માત્ર "બ્રહ્મ"ની,આજ એ સમજાઈ ગયું

અનિલ
માર્ચ-17-2015

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-512

 

અધ્યાય-૨૩૭-શકુનિનો દુર્યોધનને દુષ્ટ ઉપદેશ 


II वैशंपायन उवाच II धृतराष्ट्रस्य तद्वाक्यं निशम्य शकुनिस्तदा I दुर्योधनमिदं काले कर्णेन सहितोSब्रवीत II १ II

વૈશંપાયન બોલ્યા-ધૃતરાષ્ટ્રનાં તે વચનો સાંભળીને આવેલો તે શકુનિ ને કર્ણ દુર્યોધનને કહેવા લાગ્યા કે-

હે રાજન,જેમ,રુદ્રોથી યમરાજ અને મરુતોથી ઇન્દ્ર શોભે છે તેમ,કુરુઓથી વીંટાયેલા તમે નક્ષત્રરાજની જેમ શોભી

રહયા છો.જેમણે,તમારી આજ્ઞાનો અનાદર કર્યો ને જેઓ તમારી આણમાં રહ્યા નથી તે પાંડવો,લક્ષ્મીહીન ને વનવાસી થઈને,દ્વૈતવનમાં વનવાસી બ્રાહ્મણો સાથે રહે છે ને જમીન પર શયન કરે છે.પરમલક્ષ્મીથી શોભતા,તમે સૂર્યની જેમ,

તમારા તેજથી એ પાંડુપુત્રોને તાપ આપવા માટે તે તરફ પ્રયાણ કરો.

May 9, 2024

શું કહેવું?-By અનિલ શુક્લ


કહેવાનું બધું શું કહેવાઈ નથી ગયું? તો હવે શું કહેવું?
ખુદે જ ઉપજાવેલા દુઃખને સહેવું તો કેમ કરીને સહેવું?

પુરાણો છે એ હરિ મંદિરોમાં ને ઓળખાય છે એ ટીલાંથી,
જાણે નહિ માનવ, ક્યાં છે હરિ તે-તો તેને શું કહેવું?  

પૂજાય હરિ,પૂજાય ગુરુઓ,વિલાસિતા શું ધન ની નથી?
ઝાંપે મંદિરના હરિનો જ માનવી ભૂખે મરે,તે કોને કહેવું?

જોઈ મંદિરો લાગે છે પવન વધી ગયો છે ભક્તિનો,
સૂરાવલી દયાની જો છેડી ના શકે તો એને શું કહેવું?

અનિલ
માર્ચ-18-2015 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-511

 

ઘોષયાત્રા પર્વ 

અધ્યાય-૨૩૬-ધૃતરાષ્ટ્રનો પાંડવો માટે ખેદ 


II जनमेजय उवाच II 

एवं वने वर्तमाना नराग्रया: शीतोष्णवातातपकर्षितांगा: I सरस्तदासाद्य वनं च पुण्यं ततः परं किमकुर्वत पार्थाः  II १ II

જન્મેજય બોલ્યા-વનમાં વસેલા અને ટાઢ તડકાથી અંગે સુકાયેલા એ નરશ્રેષ્ઠ પૃથાનંદનોએ,

પુણ્યવનમાં આવેલા એ સરોવરે,પહોંચ્યા પછી શું કર્યું?

વૈશંપાયન બોલ્યા-પાંડવોએ તે સરોવર પર આવીને પોતાનું નિવાસસ્થાન તૈયાર કર્યું,ને તેઓ તે રમણીય વન,પર્વતો

અને નદી પ્રદેશોમાં વિચરવા લાગ્યા હતા.તેમની પાસે વૃદ્ધ,તપોમય,વેદવેત્તા બ્રાહ્મણો આવતા ત્યારે તેઓ તેમનો

સત્કાર કરતા હતા.એક વાર કોઈ કથાકુશળ વિપ્ર,પાંડવોને મળીને ધૃતરાષ્ટ્ર પાસે ગયો અને 

સર્વ પાંડવોની પરિસ્થિતિ વર્ણવતાં કહ્યું કે-તે પાંડવોનાં અંગ ટાઢ તડકાથી દુબળાં થઇ ગયા છે,

ને કૃષ્ણા,વીર પતિઓની પત્ની હોવા છતાં અનાથની જેમ પાર વિનાના ક્લેશો ભોગવે છે'  (6)