શુદ્ધ ભૂમિમાં સાત્વિક ભાવ જલ્દી જાગે છે. ભૂમિની અસર સૂક્ષ્મ રીતે મન પર થાય છે.ભોગ ભૂમિમાં ભોગ ના પરમાણુઓ ફરે છે.ભોગભૂમિ એ ભક્તિમાં બાધક છે.ગંગા કિનારો –જ્ઞાન- ભૂમિ છે.માટે આજ્ઞા કરી છે-કે ગંગા કિનારે ચાલો. નારદજી સનત કુમારો સાથે,ગંગા કિનારે આનંદવનમાં આવ્યા છે.
SIVOHM ॐ
More then 12-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Dec 6, 2025
ભાગવત રહસ્ય-૧૮-Bhgavat Rahasya-18
શુદ્ધ ભૂમિમાં સાત્વિક ભાવ જલ્દી જાગે છે. ભૂમિની અસર સૂક્ષ્મ રીતે મન પર થાય છે.ભોગ ભૂમિમાં ભોગ ના પરમાણુઓ ફરે છે.ભોગભૂમિ એ ભક્તિમાં બાધક છે.ગંગા કિનારો –જ્ઞાન- ભૂમિ છે.માટે આજ્ઞા કરી છે-કે ગંગા કિનારે ચાલો. નારદજી સનત કુમારો સાથે,ગંગા કિનારે આનંદવનમાં આવ્યા છે.
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1001
અધ્યાય-૧૧૭-દશમો દિવસ (ચાલુ) સંકુલ યુદ્ધ
॥ संजय उवाच ॥ शिखंडी तु रणे भीष्ममासाद्य पुरुषर्षभम् I दसभिर्निशितैर्मल्लैराजधान्सतनांतरे ॥१॥
સંજયે કહ્યું-શિખંડીએ રણસંગ્રામમાં પુરુષશ્રેષ્ઠ ભીષ્મ પાસે આવીને તીક્ષ્ણ એવાં દશ બાણોથી તેમને છાતીમાં પ્રહાર કર્યો.ત્યારે ભીષ્મ ક્રોધથી પ્રજ્વલિત થયેલી આંખો વડે જાણે શિખંડીને બાળી નાખતા હોય તેમ તેને જોવા લાગ્યા અને 'આ સ્ત્રી છે'એમ કહીને તેની પર તેમણે પ્રહાર ન કર્યો.તે વેળા,અર્જુન શિખંડીને કહેવા લાગ્યો કે-'હે વીર,તમે જલ્દી ભીષ્મ સામે ધસો ને તેમને હણી નાખો.હું તમને વારંવાર શું કહું? યુધિષ્ઠિરના સસૈન્યમાં તમારા સિવાય બીજો કોઈ યોદ્ધો જોવામાં આવતો નથી કે જે ભીષ્મ સામે યુદ્ધ કરવા શક્તિમાન થાય,આ હું તમને સત્ય કહું છું.'
Dec 5, 2025
ભાગવત રહસ્ય-૧૭-Bhgavat Rahasya-17
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1000
અધ્યાય-૧૧૬-દશમો દિવસ (ચાલુ) સંકુલ યુદ્ધ
॥ संजय उवाच ॥ अभिमन्युर्महाराज तवपुत्रमयोधत I महत्या सेनयायुक्तं भीष्महेतोः पराक्रमी ॥१॥
સંજયે કહ્યું-હે મહારાજ,પરાક્રમી અભિમન્યુ,મોટી સેનાને લઈને ઉભેલા તમારા પુત્ર દુર્યોધન સામે ભીષ્મનો પરાજય કરવા યુદ્ધ કરતો હતો.ત્યારે ક્રોધાયમાન થયેલા દુર્યોધને તેના પર પ્રહાર કરીને તેને છાતીમાં વીંધી નાખ્યો.સામે અભિમન્યુએ એક ભયંકર શક્તિ દુર્યોધન સામે ફેંકી,કે જેને દુર્યોધને બાણ મૂકીને ટુકડા કરી નાખી.પોતાની શક્તિને આમ વ્યર્થ થયેલી જોઈને અભિમન્યુએ દુર્યોધનના બંને બાહુઓમાં અને છાતીમાં પ્રહાર કરી તેને માર માર્યો.બંને વચ્ચેનું યુદ્ધ મહાઘોર ને અદભુત હતું.





