Jul 26, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-576

 

અધ્યાય-૩-અજ્ઞાતવાસ સંબંધી વધુ મંત્રણા 


II वैशंपायन उवाच II 

इत्येवमुक्त्वा पुरुषप्रविरस्तथार्जुनो धर्मम्रुतां वरिष्ठः I वाक्यं तथासौ विरराम भूयो नृपोपरं भ्रातरभाव भापे II १ II

વૈશંપાયન બોલ્યા-ધર્મધારીઓમાં શ્રેષ્ઠ અને પુરુષોમાં પ્રવીર એવા અર્જુને આ પ્રમાણે કહીને વિરામ લીધો 

પછી યુધિષ્ઠિરે નકુલને પૂછવા માંડ્યું કે-'હે નકુલ,તું વિરાટરાજમાં શું કામ કરીશ તે મને કહે'

નકુલ બોલ્યો-'હું વિરાટરાજનો 'ગ્રંથિક' નામે અશ્વપાલ થઈશ,કેમ કે હું અશ્વવિદ્યાનું જ્ઞાન ધરાવું છું.ને મને 

એ કામ અત્યંત પ્રિય છે.વિરાટનગરમાં મને જો કોઈ પૂછશે તો હું કહીશ કે-પૂર્વે યુધિષ્ઠિરે મને હયશાળાનો 

અધ્યક્ષ કર્યો હતો.આ પ્રમાણે હું વિરાટનગરમાં ગુપ્ત રીતે વિચરીશ' (6)

Jul 25, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-575

 

અધ્યાય-૨-અજ્ઞાતવાસ વિશે વિચારણા (ચાલુ)


II भीमदेव उवाच II पौरोगवो ब्रुहाणोहं बल्लवो नाम भारत I उपस्थास्यामि राजानं विराटमिति मे मतिः  II १ II

ભીમસેન બોલ્યો-હે ભારત,હું મારી જાતને 'બલ્લવ' નામના પૌરોગવ (રસોડાનો ઉપરી) તરીકે ઓળખાવી

વિરાટરાજની સેવા કરીશ,એવો મારો વિચાર છે.હું રસોડાના કામમાં કુશળ છું એટલે રાજા માટે,પહેલાંના

રસોઇયાઓએ જે રસોઈ બનાવી હશે તેના કરતા પણ સરસ વાનગીઓ બનાવીને રાજાને પ્રસન્ન કરીશ.

વળી,હું લાકડાઓના મોટા ભારાઓ લઇ આવીશ,મારું આ કાર્ય જોઈને રાજા મને રસોઈ કામમાં મુકશે.

Jul 24, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-574

 

(૪) વિરાટ પર્વ

પાંડવ પ્રવેશ પર્વ 

અધ્યાય-૧-અજ્ઞાતવાસ માટે યુધિષ્ઠિરની મંત્રણા 

મંગલાચરણ 

नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् I देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् II 

ૐ નારાયણ,નરોત્તમ એવા નર ભગવાન અને દેવી સરસ્વતીને પ્રણામ કરીને 

'જય'(મહાભારત)નું કીર્તન શરુ કરીશું.


II जनमेजय उवाच II कथं विराटनगरे मम पुर्वपितामहा: I अज्ञातवाससमुपिता दुर्योधनभयार्दिता : II १ II 

જનમેજય બોલ્યા-'દુર્યોધનના ભયથી પીડાયેલા એવા મારા પૂર્વપિતામહ પાંડવો કેવી રીતે વિરાટનગરમાં 

ગુપ્તવેશે રહ્યા? વળી,બ્રહ્મવાદિની,પતિવ્રતા ને મહાભાગ્યવતી દ્રૌપદી કેવી રીતે ગુપ્ત રહ્યાં?

Jul 12, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-573

 

અધ્યાય-૩૧૪-ભાઈઓનું સજીવન થવું ને ધર્મના વરદાન 


II वैशंपायन उवाच II ततस्ते यक्षवचनादुद्तिष्ठंत पांडवा : I क्षुत्पिपासे च सर्वेषां क्षणेन व्यपगच्छताम् II १ II

વૈશંપાયન બોલ્યા-આમ યક્ષના વચનથી તે પાંડવો સજીવન થઈને બેઠા થયા 

અને તેમની ભૂખ તરસ તો એક ક્ષણમાં જ ચાલી ગઈ.

યુધિષ્ઠિર બોલ્યા-આ સરોવરમાં એક પગે ઉભેલા તમે કયા દેવ છો?મારા મતથી તો તમે યક્ષ નથી.

તમે શું ઇન્દ્ર છો?કેમ કે જેમને તમે ઢાળી દીધા,એ મારા આ ભાઈઓ લાખ લાખ યોદ્ધાઓ સાથે બાથ ભીડે 

તેવા છે,ને હવે તો આ ભાઈઓ તો જાણે સુખભરી નિંદ્રામાંથી જાગ્યા હોય તેવા તેમને હું સ્વસ્થ જોઉં છું,

તો તમે શું અમારા મિત્ર છો કે તમે અમારા પિતા છો? (5)

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-572

 

અધ્યાય-૩૧૩-યક્ષના પ્રશ્નો અને યુધિષ્ઠિરના ઉત્તરો 


II वैशंपायन उवाच II स ददर्श हतान भ्रातृन लोकपालानिव च्युतान् I युगान्ते समनुप्राप्ते शक्रप्रतिमगौरवान II १ II

વૈશંપાયન બોલ્યા-જેમ,યુગનો અંતકાળ આવતાં લોકપાલો સ્વર્ગમાંથી નીચે પડે,તેમ,ઇન્દ્રના જેવા ગૌરવવાળા

પોતાના ભાઈઓને યુધિષ્ઠિરે ત્યાં મૃત્યુ પામીને પડેલા જોયા.શોકથી આંસુભર્યા થયેલા તે યુધિષ્ઠિર,ચિંતાથી ઘેરાઈને

વિલાપ કરવા લાગ્યા ને વિચારવા લાગ્યા કે-અપરાજિત એવા આ ભાઈઓને કોણે માર્યા હશે?

તેમના શરીર પર કોઈ અસ્ત્ર પ્રહારના ચિહ્નો ન જોઈને તેમણે વિચાર્યું કે-કદાચ દુર્યોધને જળને વિષમય કર્યું હોય

કે જે જળ પીવાથી જ આ ભાઈઓ મૃત્યુ પામ્યા હોય.