SIVOHM ॐ
More then 12-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Dec 11, 2025
ભાગવત રહસ્ય-૨3-Bhgavat Rahasya-23
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1006
અધ્યાય-૧૨૨-અગીયારમો દિવસ-ભીષ્મ પાસે કર્ણની પ્રાર્થના
॥ संजय उवाच ॥ ततस्ते पार्थिवाः सर्वे जग्मुः स्वानालयान्पुन :I तूष्णीं भूते महाराज भीष्मे शांतनुनन्दने ॥१॥
સંજયે કહ્યું-એ પ્રમાણે શાંતનુપુત્ર ભીષ્મ જયારે શાંત થયા ત્યારે સર્વ રાજાઓ પોતપોતાના તંબુ તરફ ગયા.તે વખતે રાધાપુત્ર કર્ણ,થોડો ભયભીત થઈને ભીષ્મ પાસે ગયો.ભીષ્મને બાણશૈય્યામાં સુતેલા જોઈને તેના આંખમાં આંસુ ભરાઈ આવવાથી ગદગદ કંઠે તે ભીષ્મને સંબોધીને બોલ્યો કે-'હે કુરુશ્રેષ્ઠ,હંમેશાં તમારી નજર આગળ રહેનારો અને સર્વસ્થળે તમારા શત્રુ તરીકે રહેનારો હું રાધાપુત્ર કર્ણ,આપનાં દર્શને આવેલો છું' કર્ણનું વચન સાંભળીને ભીષ્મે પોતાની આંખો ઉઘાડીને આસપાસના ચોકીદારોને ખસી જવાનું કહ્યું ને પછી,એકાંતમાં એક હાથથી તેના હાથને હાથમાં લઈને સ્નેહપૂર્વક બોલ્યા-
Dec 10, 2025
ભાગવત રહસ્ય-૨૨-Bhgavat Rahasya-22
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1005
અધ્યાય-૧૨૧-અગીયારમો દિવસ-ભીષ્મનો દુર્યોધનને ઉપદેશ
॥ संजय उवाच ॥ वयुष्टायां तु महाराज शर्वर्या सर्वपार्थिवाः I पांडवा धार्तराष्टाश्च उपातिष्ठन पितमहम् ॥१॥
સંજયે કહ્યું-હે મહારાજ,રાત્રી વીતી ગયા પછી જયારે સવાર થયું ત્યારે પાંડવ-કૌરવ આદિ સર્વ રાજાઓ પુનઃ પિતામહ સામે આવીને ઉભા.કૌરવ અને પાંડવો યુદ્ધ કરવું પડતું મૂકીને કવચો તથા આયુધો ઉતારીને અન્યોન્ય તરફ પ્રેમવાળા થઈને પોતપોતાની યોગ્યતા પ્રમાણે અનુક્રમે સર્વે ભીષ્મની આસપાસ બેઠા.એ સમયે,બાણોથી વ્યાપ્ત થયેલા ભીષ્મ,પોતાને થતી વેદનાને ધૈર્યથી નિયમમાં રાખીને નિશ્વાસ મૂકીને સર્વ રાજાઓ સામે જોઈને બોલ્યા 'પાણી લાવો' ત્યારે સર્વ ક્ષત્રિયો દોડીને શીતળ જળના કળશો લઇ આવ્યા.પણ ભીષ્મે કહ્યું-'મારે અર્જુનને મળવાની ઈચ્છા છે'
Dec 9, 2025
ભાગવત રહસ્ય-૨૧-Bhgavat Rahasya-21
આ શરીરને પિંડ કહે છે,અને તે શરીરને પરમાત્માને અર્પણ કરવું તેણે પિંડદાન કહે છે.
શરીર-પિંડનો ઉપયોગ જે સત્કર્મમાં કરે છે તેને સદગતિ મળે છે. પણ શરીર-પિંડનો ઉપયોગ જે માત્ર પેટ ભરવામાં કરે તેની દુર્ગતિ થાય છે. આ શરીર ભોગ માટે નથી, ભક્તિ કરવા માટે છે.નિશ્ચય કરવો કે-મારું જીવન મેં ઈશ્વરને અર્પણ કર્યું છે.





