SIVOHM ॐ
More then 13-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Mar 25, 2026
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1085
અધ્યાય-૮૮-અર્જુન રણમાં દેખાયો
II संजय उवाच II ततो व्यूढेष्वनिकेषु समुत्फ़्रुष्टेषु मारिष I ताड्यमानासु भेरीषु मृदङ्गेषु नदत्सु च II १ II
સંજય બોલ્યો-તે પછી,હે રાજા,જયારે સૈન્યો બરોબર ગોઠવાઈ ગયા ત્યારે ત્યાં ચોતરફ બુમાબુમ થઇ રહી હતી,મૃદંગો ગાજી રહ્યા હતાં,શંખો ફૂંકાઈ રહ્યા હતા ને સાંભળતાં રુંવાં ખડાં થઇ જાય તેવો કોલાહલ સર્વ સ્થળે મચી રહ્યો હતો.ત્યાં રૌદ્ર મુહૂર્ત થયું ને અર્જુન રણમાં દેખાયો.તે જેવો રણમાં આવ્યો ત્યારે ત્યાં ભયંકર ઉત્પાતો દેખાવા લાગ્યા હતા.તે સમયે,વ્યૂહરચના કરવામાં કુશળ એવા ધૃષ્ટદ્યુમ્ને અને નકુલપુત્ર શતાનીકે સૈન્યોની વ્યૂહ રચના કરી હતી.
Mar 24, 2026
ભાગવત રહસ્ય-૧૦૨-Bhgavat Rahasya-102
શરીરની ચામડી ઉખડી જાય –તો શરીર સામું જોવાની ઈચ્છા થશે નહિ.તેમ છતાં સ્પર્શસુખમાં માનવી સુખ માને છે.સંસારનું સુખ –દરાજ(ચામડીનો એક રોગ) ને ખંજવાળવા જેવું છે.દરાજને જેટલો વખત ખંજવાળો –ત્યારે સુખ જેવું લાગે છે.પણ ખંજવાળવાથી નખના ઝેરથી દરાજ વધે છે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1084
અધ્યાય-૮૬-ધૃતરાષ્ટ્ર પ્રત્યે સંજયનાં વચનો
II संजय उवाच II हंत ते संप्रवक्ष्यामि सर्व प्रत्यक्षदर्शिवान् I शुश्रुश्वस्व स्थिरो भूत्वा तव ह्यपनयो महान् II १ II
સંજય બોલ્યો-મેં બધું પ્રત્યક્ષ જોયું છે માટે હું તમને કહું છું તે તમે સ્થિર થઈને સાંભળો.ખરું જોતાં તો પાંડવોના સંબંધમાં તમે જ મોટી અનીતિ કરી છે.આ તમારો વિલાપ પાણી વહી ગયા પછી પાળ બાંધવા જેવો છે.તમે શોક ન કરો.કાળે નિર્માણ કરેલી અદભુત યોજના ઓળંગી શકાય તેમ નથી,આ પ્રમાણેનું ભાવિ પ્રથમથી જ નિર્માણ થયેલું હોવું જોઈએ.જો તમે પહેલેથી જ તમારા પુત્રોને જુગાર રમતાં અટકાવ્યા હોત તો આ સંકટ આવત જ નહિ.તમે એક પિતાને છાજે તેવું કર્તવ્ય કરીને તમારા પુત્રને સન્માર્ગે દોર્યો હોત અને ધર્મપૂર્વક વર્ત્યા હોત તો આ સંકટ ન જ આવત.
Mar 23, 2026
ભાગવત રહસ્ય-૧૦૧-Bhgavat Rahasya-101
ત્રણ અધ્યાયમાં પહેલાં વેદાંતનું જ્ઞાન કહ્યું છે. ત્યાર બાદ ભક્તિનું વર્ણન કર્યું છે.
તે પછી સંસારચક્રનું વર્ણન આવે છે.



