Mar 26, 2026

ભાગવત રહસ્ય-૧૦૪-Bhgavat Rahasya-104

શરીરમાં દસ ઇન્દ્રિયો છે. અને આ દરેક ઇન્દ્રિયોના વિષયો છે. જેમ કે જીભનો વિષય 
એ –રસ-છે.આ ઇન્દ્રિયો વિષયનું ચિંતન કરે છે,એટલે મન તેમાં ફસાય છે. 
મન હવે-તે વિષયોનું ચિંતન કરતાં કરતાં વિષયાકાર બને છે.
વિષયો જયારે –મન માં પ્રવેશે છે-એટલે-અહંતા,મમતા આવે છે.
મન જયારે માને છે -કે આ મારો છે-ત્યારે સુખ થાય છે, 
અને પછી મન તેની જોડે મમતા કરે છે, અને મનુષ્યને માર ખવડાવે છે.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1086

 

અધ્યાય-૯૦-દુ:શાસનના સૈન્યનો પરાભવ 


II धृतराष्ट्र उवाच II तस्मिन्प्रमभे सैन्याग्रे वध्यमाने किरीटिना I के तु तत्र रणे वीराः प्रत्युदियुर्धनंजयं II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યો-'જયારે અર્જુને બાણોનો મારો ચલાવી સૈન્યના મોખરામાં ભંગાણ પાડ્યું ત્યારે કયા ક્યા યોદ્ધાઓ 

અર્જુન સામે ધસી ગયા હતા? કે પછી કયા યોદ્ધાઓ દ્રોણના આશ્રયમાં રહેલા શકટવ્યૂહમાં પેસી ગયા હતા?'

સંજય બોલ્યો-હે રાજન,જયારે અર્જુને સૈન્યમાં ભંગાણ પડ્યું ત્યારે સર્વનો ઉત્સાહ ભાંગી પડ્યો હતો ને સર્વે પલાયન થવાનો જ અવસર ખોળતા હતા.ત્યારે તમારો પુત્ર દુઃશાસન અત્યંત ક્રોધાયમાન થઈને પોતાના સૈન્ય સાથે અર્જુન સામે યુદ્ધ કરવા ચઢી આવ્યો.હાથીઓના મોટા સૈન્યને લઈને તે અર્જુનને ઘેરી વળ્યો.ત્યારે અર્જુને નિર્ભય થઈને મહાન સિંહનાદ કર્યો અને બાણો વડે તે હાથી સૈન્યનો નાશ કરવા માંડ્યો.

Mar 25, 2026

ભાગવત રહસ્ય-૧૦૩-Bhgavat Rahasya-103

કેટલાક નિંદ્રા માટે ગોળી લે છે.પણ ભાગવતમાં નિંદ્રા લાવવા માટે એક સુંદર દવા આપી છે.નિંદ્રા ના આવે તો –પથારીમાં આળોટશો નહિ,પથારીમાં બેઠા થઇ,
માળા લઇ-હરે રામ,હરેકૃષ્ણ- મંત્ર નો જપ કરો.નિદ્રાદેવી જ્યાં હશે ત્યાંથી દોડતાં આવશે. કારણ –કુંભકરણની સ્ત્રીનો શાપ છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1085

 

અધ્યાય-૮૮-અર્જુન રણમાં દેખાયો 


 II संजय उवाच II ततो व्यूढेष्वनिकेषु समुत्फ़्रुष्टेषु मारिष I ताड्यमानासु भेरीषु मृदङ्गेषु नदत्सु च II १ II

સંજય બોલ્યો-તે પછી,હે રાજા,જયારે સૈન્યો બરોબર ગોઠવાઈ ગયા ત્યારે ત્યાં ચોતરફ બુમાબુમ થઇ રહી હતી,મૃદંગો ગાજી રહ્યા હતાં,શંખો ફૂંકાઈ રહ્યા હતા ને સાંભળતાં રુંવાં ખડાં થઇ જાય તેવો કોલાહલ સર્વ સ્થળે મચી રહ્યો હતો.ત્યાં રૌદ્ર મુહૂર્ત થયું ને અર્જુન રણમાં દેખાયો.તે જેવો રણમાં આવ્યો ત્યારે ત્યાં ભયંકર ઉત્પાતો દેખાવા લાગ્યા હતા.તે સમયે,વ્યૂહરચના કરવામાં કુશળ એવા ધૃષ્ટદ્યુમ્ને અને નકુલપુત્ર શતાનીકે સૈન્યોની વ્યૂહ રચના કરી હતી.

Mar 24, 2026

ભાગવત રહસ્ય-૧૦૨-Bhgavat Rahasya-102

આ શરીરને સ્પર્શ કરવાથી કાંઇ આનંદ મળતો નથી,છતાં વિવેક રહેતો નથી.
શરીરની ચામડી ઉખડી જાય –તો શરીર સામું જોવાની ઈચ્છા થશે નહિ.તેમ છતાં સ્પર્શસુખમાં માનવી સુખ માને છે.સંસારનું સુખ –દરાજ(ચામડીનો એક રોગ) ને ખંજવાળવા જેવું છે.દરાજને જેટલો વખત ખંજવાળો –ત્યારે સુખ જેવું લાગે છે.પણ ખંજવાળવાથી નખના ઝેરથી દરાજ વધે છે.