Sep 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-293

 
અધ્યાય-૩-સૂર્યોપાસના અને કામ્યકવનમાં પ્રવેશ 

II वैशंपायन उवाच II शौनकेनैवमुक्तस्तु कुन्तीपुत्रो युधिष्ठिर: I पुरोहितमुपागम्य भ्रातृमध्येSब्रवीदिदम् II १ II

વૈશંપાયન બોલ્યા-શૌનકે આ પ્રમાણે કહ્યું એટલે કુંતીપુત્ર યુધિષ્ઠિર ધૌમ્ય પુરોહિતની પાસે ગયા ને ભાઈઓની સમક્ષ બોલ્યા કે-'વેદમાં પારંગત એવા આ બ્રાહ્મણો આપણી પાછળ આવી રહયા છે,પણ અત્યંત દુઃખમાં આવી પડેલો હું,તેમનું પોષણ કરવાને ને તેમને દાન આપવાને શક્તિમાન નથી,ને હું તેમનો ત્યાગ પણ કરી શકું એમ નથી. તો હે ભગવન,મને કહો કે આ સંબંધમાં મારે શું કરવું ઉચિત છે?' (3)

HOME-INDEX

INDEX of all Pages of this website
Click on Blue links to see the title in detail
અનુક્રમણિકા

Sep 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-292

યુધિષ્ઠિર બોલ્યા-હે બ્રહ્મન,મારી આ આ અર્થની લાલચ,વિષયભોગની ઇચ્છાએ નથી,તે તો વિપ્રોના ભરણપોષણ માટે જ છે.અમારા જેવા ગૃહસ્થાશ્રમમાં રહેવાવાળાએ,એમની પાછળ આવનારાનું શું  ભરણપોષણ ન કરવું જોઈએ? સર્વ ભૂતોનો અન્નમાં સમભાગ જોવામાં આવે છે,એટલે જેઓ રસોઈ પકવતા નથી,તેમને ગૃહસ્થાશ્રમીઓએ અન્ન આપવું જ જોઈએ.તૃણનાં આસનો,ભૂમિ,જળ અને મીઠી વાણી-એ સત્પુરુષોના 

ઘરમાંથી ક્યારેય નાશ પામતાં નથી.અતિથિની બાબતમાં આ સનાતન ધર્મ છે કે-

Sep 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-291

'સ્નેહ' (પ્રેમ કે આસક્તિ) એ માનસિક દુઃખનું કારણ મનાય છે.એ સ્નેહથી જ મનુષ્ય આ સંસારમાં આસક્ત થાય છે અને દુઃખને પામે છે.શોક,હર્ષ,તથા ક્લેશની પ્રાપ્તિ આ આસક્તિને કારણે જ છે.આસક્તિથી વિષયોમાં ભાવ (ભાવ-રૂપી-સંકલ્પ) અને અનુરાગ (રાગ-રૂપી-પ્રીતિ) થાય છે.કે જે બંને અમંગલકારી છે.

ને એમાં પણ 'વિષયો પ્રત્યે ભાવ' (ભાવ-રૂપી-સંકલ્પ) મહા અનર્થકારી મનાય છે. (29)

Sep 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-290

 
અધ્યાય-૨-યુધિષ્ઠિરને શૌનકનો ઉપદેશ 

II वैशंपायन उवाच II प्रभातायां तु शर्वर्या तेषामक्लिष्त्कर्मणाम् I वनं पिपासतां विप्रास्तस्थुर्भिक्षामुजोSप्रतः II १ II

વૈશંપાયન બોલ્યા-બીજા દિવસે સવારે,પાંડવો સાથે વનમાં સાથે જવાની ઈચ્છાવાળા,ભિક્ષાભોગી વિપ્રો,

ઉત્તમકર્મી પાંડવોની સામે આવીને ઉભા રહ્યા ત્યારે યુધિષ્ઠિરે તેમને કહ્યું કે-'અમારું ઐશ્વર્ય હરાઈ ગયું છે,એથી ફળ,મૂળ અને માંસનો આહાર કરતા અમે વનમાં જઈશું.વનમાં અનેક દોષો હોય છે,ત્યાં વાઘો ને સર્પો હોય છે,

એટલે હું માનું છું કે તમને ત્યાં નક્કી ક્લેશ થશે અને બ્રાહ્મણોનો થયેલો ક્લેશ દેવોને પણ નાશ કરે છે,

તો પછી અમારું તો શું ગજું? માટે,કૃપા કરી તમે અહીંથી પાછા વળો (4)