Dec 7, 2025

ભાગવત રહસ્ય-૧૯-Bhgavat Rahasya-19

ભાગવત –એ -નારાયણનું સ્વરૂપ છે.ભગવાન શ્રીકૃષ્ણ જયારે ગોલોક ધામમાં પધાર્યા, ત્યારે પોતાનું તેજ સ્વરૂપ આ ગ્રંથમાં પધરાવ્યું-એમ એકાદશ સ્કંધમાં લખ્યું છે. તેથી ભાગવત –ભગવાનની સાક્ષાત શબ્દમયી મૂર્તિ છે.ઉદ્ધવજીએ જયારે શ્રીકૃષ્ણને પૂછેલું કે- આપના સ્વધામગમન પછી આ પૃથ્વી પર અધર્મ વધશે, ત્યારે ધર્મ કોને શરણે જશે ? ભગવાને ત્યારે કહ્યું છે કે-મારા ભાગવતનો આશ્રય જે લેશે –તેના ઘરમાં કળિ આવશે નહિ.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1002

 

અધ્યાય-૧૧૮-દશમો દિવસ (ચાલુ) ભીષ્મનું છેવટનું અદભુત કર્મ 


॥ संजय उवाच ॥ समं व्युढेष्वनिकेषु भुयिष्ठेवनिवर्तिनः I ब्रह्मलोकपराः सर्वे समपद्यंत भारत ॥१॥

સંજયે કહ્યું-હે ભારત,બધા સૈન્યના યોદ્ધાઓ,લગભગ બ્રહ્મપરાયણ થઈ,પછી પાની કરવી નહિ તેવા વિચારના થઇ ગયા હતા.અર્થાંત 'મારવું કે મરવું' એવા નિશ્ચય પર આવી ગયા હતા.એ સંકુલ યુદ્ધમાં એક સૈન્ય બીજા સૈન્ય સાથે વ્યવસ્થિત થઈને લડતું નહોતું.રથીઓ,ઘોડાઓ,હાથીઓ ને પાળાઓ અન્યોન્ય સામે વ્યવસ્થા પૂર્વક લડતા નહોતા,પણ ઉન્મત્તવત બની જઈને યુદ્ધ કરતા હતા.બંને સેનામાં રૌદ્ર સેળભેળ(મિશ્ર)ભાવ થઇ ગયો હતો.ઉન્મત્તતાને લીધે મહાઘોર નાશ થઇ રહ્યો હતો. 

Dec 6, 2025

ભાગવત રહસ્ય-૧૮-Bhgavat Rahasya-18

ભાગવત કથાનું પાન કરવા નારદજી ત્યાંથી ગંગા કિનારે આવ્યા છે.
શુદ્ધ ભૂમિમાં સાત્વિક ભાવ જલ્દી જાગે છે. ભૂમિની અસર સૂક્ષ્મ રીતે મન પર થાય છે.ભોગ ભૂમિમાં ભોગ ના પરમાણુઓ ફરે છે.ભોગભૂમિ એ ભક્તિમાં બાધક છે.ગંગા કિનારો –જ્ઞાન- ભૂમિ છે.માટે આજ્ઞા કરી છે-કે ગંગા કિનારે ચાલો. નારદજી સનત કુમારો સાથે,ગંગા કિનારે આનંદવનમાં આવ્યા છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1001

 

અધ્યાય-૧૧૭-દશમો દિવસ (ચાલુ) સંકુલ યુદ્ધ 


 ॥ संजय उवाच ॥ शिखंडी तु रणे भीष्ममासाद्य पुरुषर्षभम् I दसभिर्निशितैर्मल्लैराजधान्सतनांतरे ॥१॥

સંજયે કહ્યું-શિખંડીએ રણસંગ્રામમાં પુરુષશ્રેષ્ઠ ભીષ્મ પાસે આવીને તીક્ષ્ણ એવાં દશ બાણોથી તેમને છાતીમાં પ્રહાર કર્યો.ત્યારે ભીષ્મ ક્રોધથી પ્રજ્વલિત થયેલી આંખો વડે જાણે શિખંડીને બાળી નાખતા હોય તેમ તેને જોવા લાગ્યા અને 'આ સ્ત્રી છે'એમ કહીને તેની પર તેમણે પ્રહાર ન કર્યો.તે વેળા,અર્જુન શિખંડીને કહેવા લાગ્યો કે-'હે વીર,તમે જલ્દી ભીષ્મ સામે ધસો ને તેમને હણી નાખો.હું તમને વારંવાર શું કહું? યુધિષ્ઠિરના સસૈન્યમાં તમારા સિવાય બીજો કોઈ યોદ્ધો જોવામાં આવતો નથી કે જે ભીષ્મ સામે યુદ્ધ કરવા શક્તિમાન થાય,આ હું તમને સત્ય કહું છું.'

Dec 5, 2025

ભાગવત રહસ્ય-૧૭-Bhgavat Rahasya-17

જીવનમાં કામસુખ અને પૈસા મુખ્ય થયા એટલે ભગવાન ગૌણ થઈ ગયાં.મનુષ્ય પાસે કંઈ નથી ,છતાં ઠસક રાખે છે કે-હું પણ કાંઇક છું. વિદ્યાનું અને સંપત્તિનું તેને અભિમાન થાય છે. વંદન કરવું એ સહેલું નથી.વંદન કરવા એ ભક્તિ છે. જે વંદન કરતો નથી એ પ્રભુને ગમતો નથી.વંદન-ભક્તિ અભિમાનથી ગઈ.સર્વમાં શ્રીકૃષ્ણની ભાવના રાખી સર્વને વંદન કરો. વંદન કરવાથી વિરોધનો નાશ થાય છે.