SIVOHM ॐ
More then 12-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Dec 7, 2025
ભાગવત રહસ્ય-૧૯-Bhgavat Rahasya-19
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1002
અધ્યાય-૧૧૮-દશમો દિવસ (ચાલુ) ભીષ્મનું છેવટનું અદભુત કર્મ
॥ संजय उवाच ॥ समं व्युढेष्वनिकेषु भुयिष्ठेवनिवर्तिनः I ब्रह्मलोकपराः सर्वे समपद्यंत भारत ॥१॥
સંજયે કહ્યું-હે ભારત,બધા સૈન્યના યોદ્ધાઓ,લગભગ બ્રહ્મપરાયણ થઈ,પછી પાની કરવી નહિ તેવા વિચારના થઇ ગયા હતા.અર્થાંત 'મારવું કે મરવું' એવા નિશ્ચય પર આવી ગયા હતા.એ સંકુલ યુદ્ધમાં એક સૈન્ય બીજા સૈન્ય સાથે વ્યવસ્થિત થઈને લડતું નહોતું.રથીઓ,ઘોડાઓ,હાથીઓ ને પાળાઓ અન્યોન્ય સામે વ્યવસ્થા પૂર્વક લડતા નહોતા,પણ ઉન્મત્તવત બની જઈને યુદ્ધ કરતા હતા.બંને સેનામાં રૌદ્ર સેળભેળ(મિશ્ર)ભાવ થઇ ગયો હતો.ઉન્મત્તતાને લીધે મહાઘોર નાશ થઇ રહ્યો હતો.
Dec 6, 2025
ભાગવત રહસ્ય-૧૮-Bhgavat Rahasya-18
શુદ્ધ ભૂમિમાં સાત્વિક ભાવ જલ્દી જાગે છે. ભૂમિની અસર સૂક્ષ્મ રીતે મન પર થાય છે.ભોગ ભૂમિમાં ભોગ ના પરમાણુઓ ફરે છે.ભોગભૂમિ એ ભક્તિમાં બાધક છે.ગંગા કિનારો –જ્ઞાન- ભૂમિ છે.માટે આજ્ઞા કરી છે-કે ગંગા કિનારે ચાલો. નારદજી સનત કુમારો સાથે,ગંગા કિનારે આનંદવનમાં આવ્યા છે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1001
અધ્યાય-૧૧૭-દશમો દિવસ (ચાલુ) સંકુલ યુદ્ધ
॥ संजय उवाच ॥ शिखंडी तु रणे भीष्ममासाद्य पुरुषर्षभम् I दसभिर्निशितैर्मल्लैराजधान्सतनांतरे ॥१॥
સંજયે કહ્યું-શિખંડીએ રણસંગ્રામમાં પુરુષશ્રેષ્ઠ ભીષ્મ પાસે આવીને તીક્ષ્ણ એવાં દશ બાણોથી તેમને છાતીમાં પ્રહાર કર્યો.ત્યારે ભીષ્મ ક્રોધથી પ્રજ્વલિત થયેલી આંખો વડે જાણે શિખંડીને બાળી નાખતા હોય તેમ તેને જોવા લાગ્યા અને 'આ સ્ત્રી છે'એમ કહીને તેની પર તેમણે પ્રહાર ન કર્યો.તે વેળા,અર્જુન શિખંડીને કહેવા લાગ્યો કે-'હે વીર,તમે જલ્દી ભીષ્મ સામે ધસો ને તેમને હણી નાખો.હું તમને વારંવાર શું કહું? યુધિષ્ઠિરના સસૈન્યમાં તમારા સિવાય બીજો કોઈ યોદ્ધો જોવામાં આવતો નથી કે જે ભીષ્મ સામે યુદ્ધ કરવા શક્તિમાન થાય,આ હું તમને સત્ય કહું છું.'





