Dec 1, 2025

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-996

 

અધ્યાય-૧૧૨-દશમો દિવસ (ચાલુ) દ્રોણ અને અશ્વત્થામાનો સંવાદ 


॥ संजय उवाच ॥ अथ वीरो महेष्वासो मत्तवारणविक्रमः I समायाय महच्चापं मत्तवारण वारणम् ॥१॥

સંજયે કહ્યું-તે પછી,મોટા ધનુષ્યવાળા,મદોન્મત્ત હાથીસમાન પરાક્રમવાળા ને પાંડવોની સેનામાં પ્રવેશ કરીને પોતાના મોટા ધનુષ્ય વડે સર્વને ચારે બાજુ નસાડી મૂકતા,વીર દ્રોણાચાર્ય,ચારે બાજુ થતા અશુભ શકુનો જોઈને,પોતે નિમિત્તોનાં ફળને જાણનારા હોવાથી,તે અશુભ શકુનોનું ફળ,પોતાના પુત્ર અશ્વત્થામાને કહેવા લાગ્યા-'હે પુત્ર,આજનો દિવસ એ છે કે-અર્જુન ભીષ્મને મારવાનો પરમ યત્ન કરશે.મારાં બાણો આજે ભાથામાંથી ઉછળે છે,મારુ ધનુષ્ય ફરકે છે,અસ્ત્રો એની મેળે યોગને પામે છે અને મારી બુદ્ધિ ક્રૂર કર્મ કરવામાં પ્રવર્તે છે.દિશાઓમાં મૃગો,પક્ષીઓ ભયંકર શબ્દ કરે છે અને ગીધ પક્ષીઓ નીચે આવીને પડે છે.સૂર્ય જાણે નિસ્તેજ થયો હોય તેમ લાગે છે,દિશાઓ લાલ દેખાય છે ને પૃથ્વી જાણે કંપતી લાગે છે.પક્ષીઓ ને શિયાળો રુદન કરે છે,સૂર્ય મંડળના મધ્યમાંથી મોટો ઉલ્કાપાત પડે છે.

Nov 30, 2025

ભાગવત રહસ્ય-૧૩-Bhgavat Rahasya-13

સુતજી કહે છે -આ કથા એવી દિવ્ય છે કે સાત દિવસ પરીક્ષિતે કથા સાંભળી તો તે પ્રભુના ધામમાં ગયા છે. તે વખતે હું ત્યાં બેઠો હતો. મેં નજરે જોયું છે. પરીક્ષિત રાજાને આ કથા સાંભળ્યા પછી મુક્તિ મળી છે.તક્ષક નાગ કરડતાં પહેલાં જ તે પ્રભુના ધામમાં ગયા છે. –આ કથા એવી મંગલમય છે.સાત દિવસમાં પરીક્ષિતને જે કથાથી મુક્તિ મળી –તે કથા હું તમને સંભળાવું છું.

Nov 29, 2025

ભાગવત રહસ્ય-૧૨-Bhgavat Rahasya-12

શૌનક્જી કહે છે—જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ વધે એવી- સારભૂત કથા સંભળાવો. આપ એવી કથા સંભળાવો કે –ભક્તિ પુષ્ટ થાય ,કન્હૈયો વહાલો લાગે અને સંસારના વિષયોમાં સૂગ આવે.
સંસારના વિષયોમાં અરુચિ અને પ્રભુમાં રુચિ –એ કથાનું ફળ છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-995

 

અધ્યાય-૧૧૧-દશમો દિવસ (ચાલુ) કૌરવોનો ઘેરો 


 ॥ संजय उवाच ॥ सात्यकिं दंशितं युद्धे भीष्मायान्युद्यतं रणे I आर्ष्यश्रुंगीमहेष्वासो वारयामास संयुगे ॥१॥

સંજયે કહ્યું-એ યુદ્ધમાં દંશ રાખીને ભીષ્મ સામે લડવા તત્પર થયેલા સાત્યકિને,ઋષ્યશૃંગનો પુત્ર અલંબુશ આગળ વધતો અટકાવવા લાગ્યો,ત્યારે ક્રોધાયમાન થયેલા સાત્યકિએ તેને નવ બાણોનો માર માર્યો.એટલે સામે તે રાક્ષસે પણ સામે બાણો મૂકીને સાત્યકિને પીડિત કર્યો ને સિંહની જેમ ગર્જના કરવા લાગ્યો.એટલામાં ભગદત્ત ત્યાં આવી પહોંચ્યો ને તેણે સાત્યકિ પર પ્રહાર કર્યો એટલે સાત્યકિએ રાક્ષસ સામે યુદ્ધ પડતું મૂકીને ભગદત્ત સામે બાણોથી પ્રહાર કરવા માંડ્યો.ભગદત્તે સાત્યકિનું ધનુષ્ય કાપી નાખ્યું એટલે સાત્યકિએ બીજું ધનુષ્ય લઈને તેને વીંધી નાખ્યો.

Nov 28, 2025

ભાગવત રહસ્ય-૧૧-Bhgavat Rahasya-11

શુકદેવજીની બ્રહ્મનિષ્ઠા,વૈરાગ્ય,અલૌકિક પ્રેમલક્ષણા ભક્તિ જોઈ વ્યાસજી પણ પુત્ર શુકદેવજીને માન આપે છે.જન્મ થતાંવેંત શુકદેવજી ઘરનો ત્યાગ કરી વન તરફ જવા લાગ્યા. વ્યાસજીની પત્નીનું નામ વાટીકાજી છે.વાટીકાજીને તે વખતે ઘણું દુઃખ થયું છે.—ભલે એ લગ્ન ના કરે પણ ઘરમાં રહે.-તે રડવા લાગ્યા છે.
વાટીકાજીએ પ્રાર્થના કરી—મારો દીકરો નિર્વિકાર બ્રહ્મરૂપ છે-તે મારી પાસેથી દૂર ના જાય,તેને રોકો –તેને રોકો.