Dec 2, 2025

ભાગવત રહસ્ય-૧૪-Bhgavat Rahasya-14

શું કરવું કે શું ના કરવું-એ તમારા મનને ના પૂછો –પણ શાસ્ત્રને પૂછો (ગીતા-૧૬-૨૪)
શાસ્ત્ર કહે તે પ્રમાણે કરો. સદાચાર એ –પાયો- છે. અને સદવિચાર એ –મકાન- છે.
આચાર બગડે એટલે વિચાર બગડે છે. આચાર –વિચાર શુદ્ધ રાખો. એના વગર -મન -ની શુદ્ધિ થતી નથી.અને મનની શુદ્ધિ ના થાય ત્યાં સુધી-ભક્તિ-થઇ શકતી નથી.વિવેકથી સંસારનો અંત ના લાવો ,ત્યાં સુધી સંસારનો અંત આવવાનો નથી.જીવનમાં સદાચાર-સંયમ –જ્યાં સુધી ના આવે –ત્યાં સુધી પુસ્તકમાંનું જ્ઞાન કંઈ કામ લાગશે નહિ.કેવળ જ્ઞાન શા કામનું ?

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-997

 

અધ્યાય-૧૧૩-દશમો દિવસ (ચાલુ)ભીમસેનનું પરાક્રમ 


॥ संजय उवाच ॥ भगदत्तः कृपः शल्यः कृतवर्मा तथैव च I विंदानुविंदावावन्त्यौ सैन्यवश्व जयद्रथः ॥१॥

સંજયે કહ્યું-ભગદત્ત,કૃપાચાર્ય,શલ્ય,કૃતવર્મા,અવંતીકુમારો,જયદ્રથ,ચિત્રસેન,વિકર્ણ અને દુર્મર્ષણ આદિ તમારા દશ યોદ્ધાઓ ભીમસેન સામે લડવા લાગ્યા.અને તેઓ તીક્ષ્ણ બાણોથી ભીમસેન પર પ્રહાર કરવા લાગ્યા.સામે ભીમસેને પણ એ સર્વ મહારથીઓ પર પૃથક પૃથક પ્રહાર કરવા માંડ્યો.ભીમે સાત બાણોથી શલ્યને વીંધી નાખ્યો ને કૃતવર્માને આઠ બાણોથી ઘાયલ કર્યો.પછી કૃપાચાર્યનું ધનુષ્ય છેદી નાખ્યું ત્યારે તેમણે બીજું ધનુષ્ય લઈને ભીમને વીંધવા લાગ્યા.ત્યારે કોપેલા ભીમે પણ કૃપાચાર્ય પર બાણોનો મારો કર્યો.વળી,જયદ્રથના રથના ઘોડાઓ ને સારથિને મારી નાખી તેના ધનુષ્યને કાપી નાખ્યું.એટલે તે જયદ્રથ એકદમ ચિત્રસેનના રથ પર ચડી ગયો.તે રણસંગ્રામમાં ભીમે અદભુત પરાક્રમ કર્યું હતું.

Dec 1, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-996

 

અધ્યાય-૧૧૨-દશમો દિવસ (ચાલુ) દ્રોણ અને અશ્વત્થામાનો સંવાદ 


॥ संजय उवाच ॥ अथ वीरो महेष्वासो मत्तवारणविक्रमः I समायाय महच्चापं मत्तवारण वारणम् ॥१॥

સંજયે કહ્યું-તે પછી,મોટા ધનુષ્યવાળા,મદોન્મત્ત હાથીસમાન પરાક્રમવાળા ને પાંડવોની સેનામાં પ્રવેશ કરીને પોતાના મોટા ધનુષ્ય વડે સર્વને ચારે બાજુ નસાડી મૂકતા,વીર દ્રોણાચાર્ય,ચારે બાજુ થતા અશુભ શકુનો જોઈને,પોતે નિમિત્તોનાં ફળને જાણનારા હોવાથી,તે અશુભ શકુનોનું ફળ,પોતાના પુત્ર અશ્વત્થામાને કહેવા લાગ્યા-'હે પુત્ર,આજનો દિવસ એ છે કે-અર્જુન ભીષ્મને મારવાનો પરમ યત્ન કરશે.મારાં બાણો આજે ભાથામાંથી ઉછળે છે,મારુ ધનુષ્ય ફરકે છે,અસ્ત્રો એની મેળે યોગને પામે છે અને મારી બુદ્ધિ ક્રૂર કર્મ કરવામાં પ્રવર્તે છે.દિશાઓમાં મૃગો,પક્ષીઓ ભયંકર શબ્દ કરે છે અને ગીધ પક્ષીઓ નીચે આવીને પડે છે.સૂર્ય જાણે નિસ્તેજ થયો હોય તેમ લાગે છે,દિશાઓ લાલ દેખાય છે ને પૃથ્વી જાણે કંપતી લાગે છે.પક્ષીઓ ને શિયાળો રુદન કરે છે,સૂર્ય મંડળના મધ્યમાંથી મોટો ઉલ્કાપાત પડે છે.

Nov 30, 2025

ભાગવત રહસ્ય-૧૩-Bhgavat Rahasya-13

સુતજી કહે છે -આ કથા એવી દિવ્ય છે કે સાત દિવસ પરીક્ષિતે કથા સાંભળી તો તે પ્રભુના ધામમાં ગયા છે. તે વખતે હું ત્યાં બેઠો હતો. મેં નજરે જોયું છે. પરીક્ષિત રાજાને આ કથા સાંભળ્યા પછી મુક્તિ મળી છે.તક્ષક નાગ કરડતાં પહેલાં જ તે પ્રભુના ધામમાં ગયા છે. –આ કથા એવી મંગલમય છે.સાત દિવસમાં પરીક્ષિતને જે કથાથી મુક્તિ મળી –તે કથા હું તમને સંભળાવું છું.

Nov 29, 2025

ભાગવત રહસ્ય-૧૨-Bhgavat Rahasya-12

શૌનક્જી કહે છે—જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ વધે એવી- સારભૂત કથા સંભળાવો. આપ એવી કથા સંભળાવો કે –ભક્તિ પુષ્ટ થાય ,કન્હૈયો વહાલો લાગે અને સંસારના વિષયોમાં સૂગ આવે.
સંસારના વિષયોમાં અરુચિ અને પ્રભુમાં રુચિ –એ કથાનું ફળ છે.