SIVOHM ॐ
More then 12-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Dec 1, 2025
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-996
અધ્યાય-૧૧૨-દશમો દિવસ (ચાલુ) દ્રોણ અને અશ્વત્થામાનો સંવાદ
॥ संजय उवाच ॥ अथ वीरो महेष्वासो मत्तवारणविक्रमः I समायाय महच्चापं मत्तवारण वारणम् ॥१॥
સંજયે કહ્યું-તે પછી,મોટા ધનુષ્યવાળા,મદોન્મત્ત હાથીસમાન પરાક્રમવાળા ને પાંડવોની સેનામાં પ્રવેશ કરીને પોતાના મોટા ધનુષ્ય વડે સર્વને ચારે બાજુ નસાડી મૂકતા,વીર દ્રોણાચાર્ય,ચારે બાજુ થતા અશુભ શકુનો જોઈને,પોતે નિમિત્તોનાં ફળને જાણનારા હોવાથી,તે અશુભ શકુનોનું ફળ,પોતાના પુત્ર અશ્વત્થામાને કહેવા લાગ્યા-'હે પુત્ર,આજનો દિવસ એ છે કે-અર્જુન ભીષ્મને મારવાનો પરમ યત્ન કરશે.મારાં બાણો આજે ભાથામાંથી ઉછળે છે,મારુ ધનુષ્ય ફરકે છે,અસ્ત્રો એની મેળે યોગને પામે છે અને મારી બુદ્ધિ ક્રૂર કર્મ કરવામાં પ્રવર્તે છે.દિશાઓમાં મૃગો,પક્ષીઓ ભયંકર શબ્દ કરે છે અને ગીધ પક્ષીઓ નીચે આવીને પડે છે.સૂર્ય જાણે નિસ્તેજ થયો હોય તેમ લાગે છે,દિશાઓ લાલ દેખાય છે ને પૃથ્વી જાણે કંપતી લાગે છે.પક્ષીઓ ને શિયાળો રુદન કરે છે,સૂર્ય મંડળના મધ્યમાંથી મોટો ઉલ્કાપાત પડે છે.
Nov 30, 2025
ભાગવત રહસ્ય-૧૩-Bhgavat Rahasya-13
Nov 29, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-995
અધ્યાય-૧૧૧-દશમો દિવસ (ચાલુ) કૌરવોનો ઘેરો
॥ संजय उवाच ॥ सात्यकिं दंशितं युद्धे भीष्मायान्युद्यतं रणे I आर्ष्यश्रुंगीमहेष्वासो वारयामास संयुगे ॥१॥
સંજયે કહ્યું-એ યુદ્ધમાં દંશ રાખીને ભીષ્મ સામે લડવા તત્પર થયેલા સાત્યકિને,ઋષ્યશૃંગનો પુત્ર અલંબુશ આગળ વધતો અટકાવવા લાગ્યો,ત્યારે ક્રોધાયમાન થયેલા સાત્યકિએ તેને નવ બાણોનો માર માર્યો.એટલે સામે તે રાક્ષસે પણ સામે બાણો મૂકીને સાત્યકિને પીડિત કર્યો ને સિંહની જેમ ગર્જના કરવા લાગ્યો.એટલામાં ભગદત્ત ત્યાં આવી પહોંચ્યો ને તેણે સાત્યકિ પર પ્રહાર કર્યો એટલે સાત્યકિએ રાક્ષસ સામે યુદ્ધ પડતું મૂકીને ભગદત્ત સામે બાણોથી પ્રહાર કરવા માંડ્યો.ભગદત્તે સાત્યકિનું ધનુષ્ય કાપી નાખ્યું એટલે સાત્યકિએ બીજું ધનુષ્ય લઈને તેને વીંધી નાખ્યો.
Nov 28, 2025
ભાગવત રહસ્ય-૧૧-Bhgavat Rahasya-11
વાટીકાજીએ પ્રાર્થના કરી—મારો દીકરો નિર્વિકાર બ્રહ્મરૂપ છે-તે મારી પાસેથી દૂર ના જાય,તેને રોકો –તેને રોકો.





