SIVOHM ॐ
More then 12-Million Views
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Nov 26, 2025
Home Page
ભાગવત રહસ્ય-૯-Bhgavat Rahasya-9
પુણ્ય કરે ત્યારે મનુષ્ય ગાફેલ રહે છે, જયારે પાપ કરવામાં મનુષ્ય સાવધ રહેતો હોય છે.પુણ્યમાં પૈસાનું,વિદ્યાનું અભિમાન હોય છે.'ઠાકોરજી આપે છે, તમે આપતા નથી'-એ ભાવના સાથે તમે દાન કરો તો દાનનું હજાર ગણું પુણ્ય મળે છે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-992
અધ્યાય-૧૦૮-દશમો દિવસ-ભીષ્મ ને શિખંડીનો સમાગમ
॥ धृतराष्ट्र उवाच ॥ कथं शिखण्डी गांगेयमभ्यवर्तत संयुगे I पांडवाश्च कथं भीष्मस्तन्ममाचक्ष्व संजय ॥१॥
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,પછીના સંગ્રામમાં શિખંડી અને પાંડવો ભીષ્મ સામે કેવી રીતે યુદ્ધ કરવા લાગ્યા?તે મને કહે.
સંજયે કહ્યું-પછી,સૂર્યનો ઉદય થતાં ભેરી,મૃદંગ અને આનક આદિ રણવાજિંત્રો વાગવા લાગ્યાં ને શંખો ફૂંકાવા લાગ્યા.શત્રુઓનો નાશ કરી નાખે તેવો મહાન વ્યૂહ રચીને પાંડવોએ શિખંડીને સર્વ સૈન્યના મોખરામાં રાખ્યો હતો.અર્જુન અને ભીમ-એ બંને ચક્રો આગળ ઉભા રહીને તેનું રક્ષણ કરતા હતા.પાછળના ભાગમાં દ્રૌપદીના પુત્રો અને અભિમન્યુ ઉભા રહ્યા.સાત્યકિ,ચેકિતાન,
ધૃષ્ટદ્યુમ્ન-આદિ તેમના સૈન્યની સાથે તેઓની પાછળ રક્ષણ કરતા ઉભા હતા.ત્યાર પછી,યુધિષ્ઠિર,નકુલ-સહદેવ,વિરાટરાજ અને દ્રુપદરાજ હતા.પાંચ કેકયરાજકુમારો અને ધૃષ્ટકેતુ પાંડવોના સૈન્યના જનઘભાગનું રક્ષણ કરતા હતા.આવી રીતે વ્યૂહ રચના ગોઠવી દઈને પાંડવો મરણિયા થઈને યુદ્ધ કરવા તમારી સેના તરફ ધસ્યા.
Nov 25, 2025
ભાગવત રહસ્ય-૮-Bhgavat Rahasya-8
‘શ્રી રાધે-શ્રી રાધે’ બોલવા લાગે તો રાધાજી કૃપા કરે છે. રાધાજીની કૃપા વગર જીવ ભગવાન પાસે જઈ શકતો નથી.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-991
યુધિષ્ઠિરે કહ્યું-હે મહાબાહુ શ્રીકૃષ્ણ,તમે કહો છો તેમ જ છે.તમારો વેગ ધારણ કરવાને ભીષ્મ સમર્થ નથી.પણ હું મારા પોતાના જ ગૌરવ માટે તમને મિથ્યાવાદી (વચન તોડનાર) કહેવડાવવા માગતો નથી.હે માધવ,યુદ્ધ કર્યા વિના માત્ર યોગ્ય સલાહ આપીને જ તમે અમને મદદ કરો.પિતામહે મને વચન આપ્યું છે કે-'હું તને યોગ્ય સલાહ આપીને સહાય કરીશ,પણ તારે માટે યુદ્ધ નહિ કરું.હું તને સત્ય કહું છું કે મારે દુર્યોધન માટે લડવું પડશે' હે માધવ,તેમનું વચન હોવાથી તે મને સારી સલાહ આપશે.તો આપણે બધા એકત્ર થઈને ભીષ્મ પાસે જઈએ અને એમનો પોતાનો વધ શી રીતે થાય? તે પ્રશ્ન તેમને જ પૂછીએ.એ પિતામહ આપણને હિતકારક વચન જ કહેશે.અને જે પ્રમાણે એ કહેશે તે પ્રમાણે જ હું સંગ્રામમાં અવશ્ય કરીશ.તે આપણને યોગ્ય સલાહ અને જય આપશે.હાય,જેમણે અમને ઉછેરીને મોટા કર્યા તે પિતામહને જ હું મારવા ઈચ્છું છું,મારા ક્ષત્રિય જીવતરને ધિક્કાર છે'
Nov 24, 2025
ભાગવત રહસ્ય-૭-Bhgavat Rahasya-7
જેનાથી મનથી ભક્તિ થતી નથી,તેને તનથી પ્રભુ-સેવા કરવાની વિશેષ જરૂર છે.
જ્ઞાનમાર્ગથી,યોગમાર્ગથી-જે -ઈશ્વરના આનંદનો અનુભવ- થાય છે,તે- સહેજે ભક્તિથી પ્રાપ્ત થાય છે.


