Feb 20, 2026

ભાગવત રહસ્ય-૭૦-Bhgavat Rahasya-70

પરીક્ષિત દિગ્વિજય કરી રહ્યા છે. ફરતાં ફરતાં –પ્રાચી સરસ્વતી નદીના કિનારે આવ્યા. ત્યાં તેમણે એક કૌતુક જોયું.
એક બળદના ત્રણ પગ કોઈએ કાપી નાખ્યા છે. એક ગાય માતા ત્યાં ઉભી છે અને રડે છે.
બળદ એ ધર્મનું સ્વરૂપ છે. ગાય એ ધરતી માતાનું સ્વરૂપ છે.ધર્મ ના ચાર મુખ્ય અંગો છે.-સત્ય-તપ-પવિત્રતા-દયા. 
આ ચાર સદગુણોનો સરવાળો(સમન્વય)-એને જ ધર્મ કહે છે.
આ ચારે તત્વો જેનામાં પરિપૂર્ણ હોય-તે ધર્મી છે.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1052

 

અધ્યાય-૪૬-રાજકુમાર લક્ષ્મણ અને ક્રાથરાજ પુત્ર માર્યા ગયા 


II धृतराष्ट्र उवाच II यथा वदसि मे सूत एकस्य बहुभि: सह I संग्रामं तुमुलं घोरं जयं चैव महात्मनः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સૂત,તું મને કહે છે કે,એકલા અભિમન્યુનો અનેક યોદ્ધાઓની સાથે તુમુલ અને ઘોર સંગ્રામ થઇ રહ્યો અને તેમાં તે અભિમન્યુનો વિજય થયો હતો તેવું તેનું આ પરાક્રમ જોકે ન મનાય તેવું આશ્ચર્યજનક છે,તો પણ જેમને ધર્મનો આશ્રય છે તેમને માટે અતિ અદભુત તો નથી.હવે જયારે દુર્યોધન નાસી ગયો,ત્યારે કયા યોદ્ધાઓએ તેની સામે યુદ્ધ કર્યું?તે કહે.

Feb 19, 2026

ભાગવત રહસ્ય-૬૯-Bhgavat Rahasya-69

અર્જુન શ્રીકૃષ્ણના અનંત ઉપકારોને યાદ કરી ને -ધર્મરાજાને કહી રહ્યો છે-
“મોટાભાઈ-ચાર મહિના દુર્વાસાની સેવા દુર્યોધને કરી અને આશીર્વાદ તમને મળ્યા.
દુર્વાસના રાજમહેલમાં જ ત્રાસ આપે તેવું નથી,દુર્વાસના તો વનમાં પણ ત્રાસ આપે છે.
તેનાથી શ્રીકૃષ્ણ જ બચાવી શકે. શ્રીકૃષ્ણ વિનાનું જીવન હવે મને વ્યર્થ લાગે છે.ભારરૂપ લાગે છે.”

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1051

અધ્યાય-૪૫-રણમાંથી દુર્યોધન નાઠો 


II संजय उवाच II आददानस्तु शुराणामायुंष्यभवदार्जुनिः I अंतकः सर्वभूतानां प्राणान काल इवागते II १ II

સંજય બોલ્યો-શૂરાઓનાં આયુષ્યને લઇ લેતો એ અર્જુનપુત્ર,પ્રાણોનું હરણ કરતા સાક્ષાત યમરાજ હોય તેમ,સર્વ ભૂતોનો કાળ જ થઇ પડ્યો હતો.પરશુરામ સરખા તે અભિમન્યુએ વ્યૂહમાં પ્રવેશ કરીને સત્યશ્રવાને ઝપટી લીધો.તેને પકડાયેલો જોઈને તેને છોડાવવા અનેક મહારથીઓ અભિમન્યુ પર ચડી ગયા.રુક્મરથ નામનો મદ્રરાજનો પુત્ર ભયભીત થયેલી સેનાને આશ્વાસન  આપતો ત્યાં આવી પહોંચ્યો ને અભિમન્યુ સામે ધસ્યો.ત્યારે અભિમન્યુએ ત્રણ ત્રણ બાણો મારીને તેનું ધનુષ્ય,તેની ભુજાઓ ને છેવટે તેનું મસ્તક ધડથી જુદું કર્યું.તેને મરણ પામેલો જોઈને તેના મિત્ર રાજપુત્રો અભિમન્યુને ઘેરી વળ્યાં.ને અનેક બાણોથી તેમણે અભિમન્યુને ઢાંકી દીધો,તે જોઈને દુર્યોધન એકદમ હર્ષમાં આવી ગયો ને તેણે તો અભિમન્યુને મરેલો જ માની લીધો.

Feb 18, 2026

ભાગવત રહસ્ય-૬૮-Bhgavat Rahasya-68

નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-નારદજીએ કહ્યું તે સમય આવ્યો હોય તેમ લાગે છે. મને કળિયુગની છાયા દેખાય છે. મારા રાજ્યમાં અધર્મ વધી ગયો છે. લોકો જુઠ્ઠું બોલે છે,અનીતિ અને ચોરી વધી ગઈ છે. લોકોને ઘર ના બારણા પર તાળાં મારવાં પડે છે. મને ઘણા અપશુકન થાય છે. મંદિરમાં ઠાકોરજીનું સ્વરૂપ મને આનંદમાં દેખાતું નથી. શિયાળ અને કૂતરાઓ મારી સમક્ષ રડે છે. લાગે છે કે હવે કોઈ દુઃખની વાત સાંભળવી પડશે. અર્જુન હજુ દ્વારકાથી આવ્યો નથી.તે આવી જાય પછી-આપણે જલ્દી હિમાલય તરફ પ્રયાણ કરીએ.