Mar 18, 2026

ભાગવત રહસ્ય-૯૬-Bhgavat Rahasya-96

ત્રીજા સ્કંધના પ્રકરણોના બે વિભાગ છે. પૂર્વમીમાંસા અને ઉત્તર મીમાંસા.
પૂર્વમીમાંસામાં વરાહ નારાયણના અવતારની કથા કહી. ઉત્તરમીમાંસામાં કપિલ નારાયણ ના ચરિત્રનું વર્ણન છે.વરાહ એ યજ્ઞાવતાર છે-જયારે કપિલ એ જ્ઞાનાવતાર છે.
જે યજ્ઞ (સત્કર્મ) કરે છે,તેનું અજ્ઞાન દૂર થાય છે. અજ્ઞાન દૂર થાય એટલે જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે.વાદળાં જેમ સૂર્યને ઢાંકે છે,તેમ અજ્ઞાન-જ્ઞાનને ઢાંકે છે.વાદળ દૂર થાય એટલે સૂર્ય દેખાય છે.તેમ અજ્ઞાન દૂર થતાં જ્ઞાન દેખાય છે.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1078

 

અધ્યાય-૭૮-સુભદ્રાનો વિલાપ 


 II संजय उवाच II एतच्छ्रुत्वा वचस्तस्य केशवस्य महात्मनः I सुभद्र पुत्रशोकार्ता विललाप सुदुःखिता II १ II

સંજય બોલ્યો-અતિ દુઃખી થયેલી તથા પુત્રના શોકમાં વિહવળ બનેલી સુભદ્રા,કેશવનું વચન સાંભળીને વિલાપ કરવા લાગી.

'હા પુત્ર,મારા મંદ ભાગ્યે તારા પિતા સરખો પરાક્રમી છતાં તું રણમાં જઈને કેવી રીતે મરણ પામ્યો?હવે મને તારું કમળ સરખું શ્યામ મોં ક્યાંથી દેખાશે?ખરેખર રણમાંથી પાછી પાની નહિ કરનાર શૂરવીરને આજે રણમાં પડેલો બધા જુએ છે.પૂર્વે શયન વખતે સુંદર ચાદરોથી જે શરીરને ઓઢાડવામાં આવતું હતું તે સુખને જ તું યોગ્ય છે છતાં આજે તું બાણોથી વીંધાઇને કેમ રણભૂમિ પર સૂતો છે? 

Mar 17, 2026

ભાગવત રહસ્ય-૯૫-Bhgavat Rahasya-95

ભાગવતમાં વ્યાસજીએ લખ્યું છે-કે- હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ - રોજ ચાર-ચાર હાથ વધતા.આમ ખરેખર બને તો વિચાર કરો-કે- માતા-પિતાની શું સ્થિતિ થાય ?રોજ નવાં કપડાં જોઈએ,રોજ નવાં બારીબારણાં જોઈએ.પણ ભાગવતની આ સમાધિ ભાષા છે,કે જે મુખ્ય ભાષા છે.- લૌકિક ભાષા અહીં ગૌણ છે.
અહીં લોભનું સ્વરૂપ બતાવ્યું છે. રોજ ચાર-ચાર હાથ વધતા એટલે કે લોભ રોજ ને રોજ વધતો જાય છે. લાભ-થી લોભ-વધે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1077

 

અધ્યાય-૭૭-શ્રીકૃષ્ણે કરેલું સુભદ્રાને આશ્વાસન 


 II संजय उवाच II ता निशा दुःखशोकार्तौ निःश्वसंतावियोरगौ I निन्द्रा नैवोपलेभाते वासुदेवधनंजयौ II १ II

સંજય બોલ્યો-દુઃખ અને શોકથી પીડાતા તથા સર્પની જેમ મોટા નિશ્વાસ મુકતા શ્રીકૃષ્ણ તથા અર્જુનને તે રાત્રે નિંદ્રા આવી જ નહિ.નરનારાયણને એ પ્રમાણે ક્રોધાયમાન થયેલા જાણીને ઇન્દ્ર સહિત દેવો પણ ગભરાઈ ગયા ને વિચારમાં પડી ગયા કે-'હવે શું થશે?' તે સમયે અતિદારુણ,કર્કશ અને ઘોર ઉત્પાતને સુચવનારા વાયરા વાવા લાગ્યા અને કડાકાઓની સાથે વીજળીના ઝબકારા સાથે શુષ્ક વજ્રપાતો થવા લાગ્યા,ને પર્વતો ને વનો સહીત પૃથ્વી કંપવા લાગી.જોતાં,રૂવાં ઊભા થઇ જાય તેવા તે દારુણ ઉત્પાતોને જોઈને તેમ જ મહાબળવાન અર્જુનની પ્રતિજ્ઞાને સાંભળીને સૈનિકો બેબાકળા થઇ ગયા.

Mar 16, 2026

ભાગવત રહસ્ય-૯૪-Bhgavat Rahasya-94

સનતકુમારો(સનકાદિ) ઋષિઓએ જય-વિજયને શાપ આપ્યો. ભગવાને વિચાર્યું-કે-મારા દ્વારે આવી પાપ કર્યું-તેથી તેઓ મારા ધામમાં આવવા માટે લાયક નથી. (ભગવાન પ્રથમ પરીક્ષા કરે છે.પછી જ વૈકુંઠમાં આવવા દે છે.) પણ ભગવાન અનુગ્રહ કરીને –બહાર આવી સનકાદિને દર્શન આપે છે. છતાં એમની નજર ધરતી પર છે. નજર આપતા નથી.સનતકુમારો વંદન કરે છે-પણ ઠાકોરજી નજર આપતા નથી.