અધ્યાય-૧૮૪-બ્રાહ્મણનું માહાત્મ્ય
II वैशंपायन उवाच II मार्कण्डेयं महात्मनमूचुः पांडुसुतास्तदा I माहात्म्यं द्विजमुख्यानां श्रोतुमिच्छामकथ्यताम् II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,પાંડુપુત્રોએ મહાત્મા માર્કંડેયને પૂછ્યું-'અમે દ્વિજવરોના માહાત્મ્યને સાંભળવા ઇચ્છીએ છીએ તો તમે કહો' ત્યારે શાસ્ત્રોમાં નિપુણ,મહાતપસ્વી ને મહાતેજસ્વી તે માર્કંડેય બોલ્યા કે-હૈહયોના કુળનો એક પરપુરંજય નામનો રાજા મૃગયા માટે વનમાં ઘૂમતો હતો ત્યારે તેણે કાળિયારનું ચામડું ઓઢીને બેઠેલા એક મુનિને
મૃગ માનીને મારી નાખ્યા.જયારે તેને ભાન થયું ત્યારે તેને અતિ દુઃખ થયું ને હૈહયોને આ વૃતાંત કહ્યો.