Mar 30, 2026

ભાગવત રહસ્ય-૧૦૭-Bhgavat Rahasya-107

તિતિક્ષા (સહન કરવું) એ સંતોનું પહેલું લક્ષણ બતાવ્યું.બીજું લક્ષણ –કરુણા- છે. સર્વ દેહધારીઓ પ્રત્યે –સુહૃદયભાવ. પારકાનું દુઃખ દૂર કરવા દોડે,તેવા દયાળુ-તે સંત..ત્રીજું લક્ષણ –વાણી પર સંયમ. સંતો બહુ ઓછું બોલે છે.રમણ મહર્ષિના જીવનમાં આવે છે,તેમણે ૧૬ વર્ષ મૌન રાખ્યું છે. ૧૪ વર્ષ પછી તેમનાં માતાજી તેમને મળવા આવ્યા છે,પણ તેમની સાથે બોલ્યા નથી. વ્રતનો ભંગ કર્યો નથી.

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1089

 

અધ્યાય-૯૩-અંબષ્ઠ પડ્યો 


 II संजय उवाच II हते सुदक्षिणे राजन्वीरे चैव श्रुतायुधे I जवेनाम्पद्रवन्पार्थ कुपिताः सैनिकास्तव II १ II

સંજય બોલ્યો-હે રાજન,એ પ્રમાણે વીર સુદક્ષિણ તથા શ્રુતાયુધ રણમાં માર્યા ગયા ત્યારે,અભિષાહો,શૂરસેનો,શિબીઓ તથા વસાતીઓ અર્જુન પર બાણો વરસાવતા આગળ ધસ્યા.ત્યારે અર્જુને સામે અનેક બાણો મૂકીને લગભગ છ હજાર જેટલા યોદ્ધાઓનો નાશ કરી નાખ્યો.ત્યાં ઢળી પડેલાં અમેક મસ્તકોથી રણભૂમિ અવકાશ (જગ્યા)વિનાની થઇ ગઈ.તે યોદ્ધાઓનો આમ સંહાર થઇ રહ્યો હતો ત્યારે શ્રુતાયુ અને અચ્યુતાયુ નામના બે વીરનરો અર્જુન સામે બાણોનો વરસાદ કરતા આવી પહોંચ્યા અને તેમણે એક હજાર બાણોથી અર્જુનને સર્વાંગે ઢાંકી દીધો.

Mar 29, 2026

ભાગવત રહસ્ય-૧૦૬-Bhgavat Rahasya-106

દેવહુતિ કહે છે-આપ સત્સંગ કરવાની આજ્ઞા આપો છો,પણ મને જગતમાં ક્યાંય સંત દેખાતા નથી, સત્સંગ કરવાની ઈચ્છા થાય પણ સત્સંગ મળતો નથી.
કપિલદેવ કહે છે-સંત ના દેખાય ,તો સમજવું કે હજુ –પાપ વધારે છે. પાપ હોય તો સંત મળે તો પણ તેમાં સદભાવના થતી નથી.પ્રત્યેક ગામમાં –એકાદ સંત અને સતી સ્ત્રીને ભગવાન રાખે છે. એમના આધારે તો ધરતી ટકે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1088

 

અધ્યાય-૯૨-શ્રુતાયુધ અને સુદક્ષિણનું સ્વર્ગગમન 


 II संजय उवाच II सनिरुद्वस्तु तैः पार्थो महाबलपराक्रमः I द्रुतं समनुयातश्व द्रोणेन रथिनां वरः II १ II

સંજય બોલ્યો-હે ધૃતરાષ્ટ્રરાજ,મહાબળવાન ને મહાપરાક્રમી રથીશ્રેષ્ઠ અર્જુનને આમ સર્વ યોદ્ધાઓએ અટકાવી રાખ્યો હતો ત્યાં દ્રોણાચાર્ય તત્કાલ ધસી આવ્યા હતા.ત્યારે કિરણોને ફેંકી રહેલા સૂર્યની જેમ,તીક્ષ્ણ બાણો ફેંકતા અર્જુને સૈન્યને તપાવવા માંડ્યું હતું.એ યુદ્ધમાં અર્જુન હજારો રથો,હાથીઓ ને યોદ્ધાઓનો સંહાર કરતો હતો,તેના બાણોથી પીડાઈને સૈન્ય નાસભાગ કરવા લાગ્યું હતું.પોતાને અટકાવી રહેલ શત્રુ સૈન્યને કંપાવી દઈને અર્જુન ફરીથી દ્રોણ સામે ધસ્યો.સામે દ્રોણે અર્જુન પર પચીસ બાણો મૂકીને પોતાના શિષ્ય પર પ્રહાર કર્યો ત્યારે તે બાણોનો નાશ કરતો કરતો અર્જુન તેમની સામે ધસ્યો.

Mar 27, 2026

ભાગવત રહસ્ય-૧૦૫-Bhgavat Rahasya-105

મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી મનની મલિનતા અને 
ચંચળતા દૂર થાય છે. માટે કોઈ મંત્રનો જપ કરો.
પરમાત્માના બે સ્વરૂપો છે.સગુણ સ્વરૂપ એવું તેજોમય છે-કે આપણા જેવા સાધારણ જીવો તે સહન કરી શકે નહિ,જોઈ શકે નહિ.નિર્ગુણ-નિરાકાર સ્વરૂપ-એટલું સૂક્ષ્મ છે-કે જે હાથમાં આવતું નથી.આંખને દેખાતું નથી,માત્ર બુદ્ધિથી તેનો અનુભવ થઇ શકે.