Showing posts with label પતંજલિના યોગસૂત્રો. Show all posts
Showing posts with label પતંજલિના યોગસૂત્રો. Show all posts

Nov 24, 2017

પતંજલિના યોગસૂત્રો-6-Yogsutra of Patanjali-Gujarati

विपर्ययो मिथ्याज्ञानम् अतद्रूपप्रतिष्ठम्  (૮)
વિપર્યય એટલે મિથ્યા (ખોટું) જ્ઞાન.વસ્તુ નુ જે સાચું સ્વરૂપ છે તેનાથી ઉલટું દેખવું તે. (૮)
ચિત્તમાં ઉઠતી વૃત્તિઓ નો એક બીજો પ્રકાર છે-વિપર્યય.કે જેમાં એક વસ્તુ,બીજી વસ્તુમાં ભૂલ થી (ખોટી રીતે) જણાય.જેમકે છીપનો ટુકડો ભૂલથી ચાંદીનો ટુકડો જણાય.

Nov 23, 2017

પતંજલિના યોગસૂત્રો-5-Yogsutra of Patanjali-Gujarati

वृत्तिसारूप्यम् इतरत्र (૪)
આવી (નિરોધ-અવસ્થા) સિવાય ના બીજા સમયે દ્રષ્ટા (આત્મા) વૃત્તિઓ સાથે તદાકાર થઇ જાય છે.(૪)
જેમ, કે -જો મનુષ્ય ની કોઈ નિંદા કરે તો તેનાથી તેના મનમાં દુઃખ ની "વૃત્તિ" પેદા થાય છે,અને તે તેની (દુઃખ ની વૃત્તિ ની) સાથે તદાકાર થાય છે,પરિણામે દુઃખ નો અનુભવ થાય છે.  

Nov 22, 2017

પતંજલિના યોગસૂત્રો-4-Yogsutra of Patanjali-Gujarati

મનની ત્રણ અવસ્થાઓ હોય છે.
(૧)  તમોગુણ-વાળી-જે બુદ્ધિહીન અને પશુઓમાં હોય છે.તમોગુણ વાળી ક્રિયાઓ નુકશાનકારક જ હોય છે.આ અવસ્થામાં મનમાં બીજો કોઈ -પણ વિચાર આવતો નથી.
(૨)  રજોગુણ -વાળી-અવસ્થા એ ચંચળ અવસ્થા છે,તેમાં મનુષ્યનો મુખ્ય હેતુ હોય છે-સત્તા અને મોજશોખ.
(૩)  સત્વ-ગુણ-વાળી -અવસ્થામાં ગંભીરતા,સ્થિરતા,શાંતિ,અને સ્વસ્થતા હોય છે.ચિત્ત-રૂપી સરોવરના
તરંગો શમી ગયા હોય છે ને જળ સ્વચ્છ થઇ ગયું હોય છે.

Nov 21, 2017

પતંજલિના યોગસૂત્રો-3-Yogsutra of Patanjali-Gujarati

સંસાર ના જે કોઈ પદાર્થને  આપણે જોઈએ છીએ,જાણીએ છીએ,તે,તે બાહ્ય જગતના તરફથી આવેલ ઉત્તેજના (ક્રિયા-કે-સૂચન) ની સામે થયેલ મનની પ્રતિક્રિયા છે.સંસારનાં જડ-દ્રવ્યો (પદાર્થો) એટલે "સંવેદનો" ઉભા કરનાર કે ઉભા કરવાની એક "શક્યતા" છે.જે બહાર છે-(બાહ્ય-જગતમાં છે) તે કેવળ એક "ઉત્તેજના" જ છે.

Nov 20, 2017

પતંજલિના યોગસૂત્રો-2-Yogsutra of Patanjali-Gujarati

"મન" ની આ ક્રિયા સામે "બુદ્ધિ" પ્રતિ-ક્રિયા કરે છે.
અને આ "પ્રતિક્રિયા" ની સાથે-સાથે "હું" (અહમ) એવી "ભાવના" નું "સ્ફુરણ" થાય છે.
(અહીં આપેલા ઉદાહરણ મુજબ "મેં દૃશ્ય જોયું" "હું દૃશ્ય ને જોઈ શકું છું" તેમ)

હવે, આ ક્રિયા (મનની) અને પ્રતિક્રિયા (બુદ્ધિની) -એ બંને નું મિશ્રણ-"પુરુષ" (આત્મા) ની આગળ રજુ થાય છે,અને તે (આત્મા) આ મિશ્રણ ને "પદાર્થ-રૂપે" અનુભવે છે.

Nov 19, 2017

પતંજલિના યોગસૂત્રો-01-Yogsutra of Patanjali-Gujarati

(૧) સમાધિ-પાદ (એકાગ્રતા- તેનો આધ્યાત્મિક ઉપયોગ)
ટૂંક-સાર
સમાધિ-પાદ

અહીં પતંજલિ-
સહુ પ્રથમ આ તરંગો (વૃત્તિઓ) નો અર્થ સમજાવે છે.
બીજું, તેમનો નિરોધ કરવાનો ઉત્તમ માર્ગ બતાવે છે.અને
ત્રીજું,જેમ એક અગ્નિ બીજા અગ્નિને ગળી જાય તેમ,બીજા બધા તરંગોનો નિરોધ કરી શકે,
એવા "એક" તરંગ ને પ્રબળ કેમ બનાવવો તે શીખવે છે.
કારણકે જયારે એક જ તરંગ બાકી રહે ત્યારે તેનો નિરોધ કરવાનું સહેલું થઇ પડે છે.

અને જયારે તે એક તરંગ પણ સમી જાય ત્યારે તે સમાધિ ને "નિર્બીજ" કહી છે.
ત્યારે કંઈ જ બાકી રહેતું નથી,અને આત્મા તેના "સ્વ-રૂપ" તેના પોતાના "સ્વ-મહિમા" માં પ્રગટ થાય છે.અને ત્યારે જ મનુષ્ય ને ખબર પડે છે કે-"આત્મા-એ કોઈ મિશ્ર વસ્તુ નથી"

વિશ્વમાં એ (આત્મા) એક જ "અમિશ્ર" અને "શાશ્વત" છે.
અને આમ હોવાથી તેને જન્મ નથી કે તેને મૃત્યુ નથી.
તે (આત્મા) એ મૃત્યુ રહિત,અવિનાશી અને "જ્ઞાન નું સનાતન સાર-તત્વ" છે.

Dec 16, 2014

પતંજલિના યોગસૂત્રો-64-Yogsutra of Patanjali-Gujarati

યોગ ના વિષય પર ના સંદર્ભો અને આધારો

શ્વેતાશ્વતર ઉપનિષદ-અધ્યાય-૨

જ્યાં અગ્નિ નું મંથન થાય છે,જ્યાં વાયુ નો નિરોધ થાય છે,જ્યાં સોમરસ છલકાઈ જાય છે,
ત્યાં (સિદ્ધ) મન ઉત્પન્ન થાય છે. (૨)

છાતી,ગળું અને માથું ટટ્ટાર રહે તેવી રીતે શરીરને સીધી (આસન) ની સ્થિતિમાં રાખીને,ઇન્દ્રિયો નો મનમાં લય કરીને,બ્રહ્મ ( ॐ કાર )રૂપી તરાપા વડે વિદ્વાન પુરુષે જોખમકારક પ્રવાહો તરી જવા (૮)

યોગીએ પોતાની સર્વ ક્રિયાઓ નિયમમાં રાખીને,પ્રાણ નો નિરોધ કરીને જયારે પ્રાણ ની ગતિ,અતિશય ધીમી થઇ જાય ત્યારે તેને નસકોરાં દ્વારા બહાર કાઢવો.જેમ સારથી તોફાની ઘોડાઓને કાબૂમાં રાખે છે,તેમ,
સાવધાન યોગીએ પોતાનું મન કાબૂ માં રાખવું (૯)

જ્યાં કાંકરા કે અગ્નિ કે રેતી ન હોય,જે મંજુલ શબ્દ,જળાશય વગેરે થી મનને પ્રસન્ન કરે તેવું હોય,અને
આંખને અણગમતું ના હોય,તથા જ્યાં પવન ફૂંકાતો ના હોય,તેવા સમતળ અને પવિત્ર,
ગુહા જેવા સ્થાનમાં યોગ નો અભ્યાસ કરવો. (૧૦)

ધુમ્મસ,ધુમાડાઓ,તડકો,અગ્નિ,આગિયાના ઝબકારા,વીજળી,સ્ફટિક,ચંદ્ર જેવા -ભાસો સામે આવીને
યોગ સાધનામાં ક્રમે ક્રમે બ્રહ્મ નું ભાન કરાવે છે. (૧૧)

જયારે પ્રુથ્વી,જળ,તેજ,વાયુ અને આકાશ-એ પંચ-ભૂતોની અનુભૂતિઓ યોગ માર્ગમાં આવવાની શરુ થાય,
ત્યારે તેવા યોગાગ્નિ-મય શરીર પ્રાપ્ત થયેલા ને રોગ,વૃદ્ધાવસ્થા કે મૃત્યુ આવતા નથી (૧૨)

શરીર નું હળવા-પણું,આરોગ્ય,અલોલુપતા,સુંદર વર્ણ,અવાજમાં મીઠાશ,શરીરમાં સુગંધ,મળ-મૂત્ર ની અલ્પતા-આ બધા યોગમાં પ્રવૃત્તિ થયાનાં ચિહનો છે. (૧૩)

જેવી રીતે માટીથી ખરડાયેલું -સોના-રૂપ નું ચકતું જયારે સાફ થાય ત્યારે-પૂરેપૂરું ચકચકિત દેખાય,
તેવી રીતે,જીવાત્મા આત્મ-તત્વ નું દર્શન કરીને એક-સ્વ-રૂપ,કૃતાર્થ અને શોક-રહિત થાય છે.


શ્રી શંકરાચાર્યે ટાંકેલા મહર્ષિ યાજ્ઞવલ્કય ના શ્લોકો.

"હે,ગાર્ગી,ઈચ્છા પ્રમાણે  આસનો નો યથાવિધિ અભ્યાસ કર્યા પછી જે વ્યક્તિએ આસન સિદ્ધ કર્યું છે,
તેણે પ્રાણાયામ નો અભ્યાસ કરવો"

"સુખકર જગા પર દર્ભાસન બિછાવવું,તેના પર મૃગચર્મ પાથરવું,આસન પર સ્વસ્થ થઈને બેસવું,
ફળ અને લાડુ થી ગણપતિ ની પૂજા કરવી,પછી ડાબા હાથ ની હથેળીમાં જમણી હથેળી મુકવી,
ડોક અને માથું સીધાં રાખવાં,શરીર ને સ્થિર રાખીને,પૂર્વ કે ઉત્તર દિશા તરફ મોઢું રાખી ને બેસવું,
તથા દૃષ્ટિ ને નાકા ની અણી પર સ્થિર કરવી.
અતિભોજન કે ઉપવાસ નો કાળજી-પૂર્વક ત્યાગ કરી ને આગળ કહેલી રીતે નાડી-શુદ્ધિ કરવી.
નાડી શુદ્ધિ નહિ કરનાર નો સાધના નો શ્રમ વ્યર્થ જાય છે.

ઈડા અને પિંગલા (જમણા અને ડાબા નસકોરાં) ના સંયોગ ના સ્થળમાં "હું" બીજ નું ચિંતન કરીને,
ઈડા (ડાબા નસકોરા) દ્વારા બહારથી હવા ભરવી (પૂરક)
ત્યાં (કુંભક) અગ્નિ નું ચિંતન કરીને,"ર" બીજ નું ધ્યાન કરવું.અને એ ધ્યાન કરતી વખતે-જ-
પિંગલા (જમણા નસકોરા) દ્વારા વાયુ ને બહાર કાઢવો.(રેચક)

વળી પાછા,પિંગલા (જમણા નસકોરા) દ્વારા પૂરક કરીને આગળ ની રીત પ્રમાણે ઈડા (ડાબા નસકોરા)
તરફ બહાર કાઢવો.(રેચક)

ગુરુના ઉપદેશ પ્રમાણે આનો અભ્યાસ ત્રણ-ચાર માસ કે ત્રણ-ચાર વર્ષ સુધી કરવો,
જ્યાં સુધી આ રીતે નાડી- શુદ્ધિ ના થાય-ત્યાં સુધી,ઉષા-કાળે (સંવારે) મધ્યાહ્ને,સાંજે અને મધરાતે,
એકાંતમાં આ અભ્યાસ કરવો.

શરીર નું હળવા-પણું,સુંદર વર્ણ,જઠરાગ્નિ પ્રદીપ્ત થવો,અમુક પ્રકાર ના નાદ નું શ્રવણ-વગેરે-
નાડી-શુદ્ધિ નાં ચિહ્નો છે.

ત્યાર પછી -પૂરક-કુંભક-રેચક ક્રિયાઓ રૂપી પ્રાણાયામ કરવો.
પ્રાણ ને અપાન સાથે જોડવો તેનું નામ પ્રાણાયામ.
સોળ માત્રા (સેકંડ) માં માથા થી પગ સુધી શરીર ને (શ્વાસથી) ભરવું તે-પૂરક,બત્રીસ માત્રા માં રેચક અને
ચોસઠ માત્રા નો કુંભક કરવો.

પ્રાણાયામ નો બીજો એક પ્રકાર છે કે-જેમાં-
ચોસઠ માત્રા નો કુંભક પ્રથમ કરવાનો હોય છે,પછી સોળ માત્રા નો રેચક,અને સોળ માત્રા નો પૂરક.

પ્રાણાયામ-- વડે --શરીર--ના સર્વ દોષો બળી જાય છે,
ધારણા-- થી --મન-- ની મલીનતા દૂર થાય છે.
પ્રત્યાહાર-- થી --સંસર્ગ-દોષો-- નાશ પામે છે.અને
ધ્યાન-- દ્વારા-આત્મા ની (ઈશ્વરની) પ્રાપ્તિમાં --જે કંઈ આવરણ-રૂપ-- છે તેનો નાશ થાય છે.

સાંખ્ય-દર્શન
અધ્યાય-૩

ધ્યાન ની વૃદ્ધિ દ્વારા,શુદ્ધ (પુરુષ-આત્મા) ની પાસે પ્રકૃતિ ની પેઠે સર્વ શક્તિઓ આવે છે (૨૯)
આશક્તિ નો નાશ -એ ધ્યાન કહેવાય.  (૩૦)
વૃત્તિઓ ના નિરોધ થી ધ્યાન સિદ્ધ થાય છે. (૩૧)
ધારણા,આસન અને પોતાનાં કર્તવ્ય કર્મ કરવાથી ધ્યાન સિદ્ધ થાય છે. (૩૨)

શ્વાસોશ્વાસ ના ત્યાગ અને ધારણા દ્વારા "પ્રાણ" નો નિરોધ થાય છે. (૩૩)
જે સ્થિતિ માં સહેલાઈ થી સ્થિર થઈને બેસી શકાય -તે આસન. (૩૪)
વૈરાગ્ય અને અભ્યાસ થી પણ ધ્યાન સિદ્ધ થાય છે. (૩૬)
પ્રકૃતિ નાં તત્વો ના અભ્યાસ થી અને "નેતિ-નેતિ" કરીને સર્વ વસ્તુનો
ત્યાગ કરવાથી "વિવેક" આવે છે.  (૭૪)

અધ્યાય-૪

ઉપદેશ નું પુનરાવર્તન જરૂરી છે. (૩)
જેમ,બાજ પાસેથી તેનો શિકાર લઇ લેવામાં આવે તો તે દુઃખી થાય છે,પણ તે પોતે જ તે શિકાર છોડી દે,
તો તે સુખી થાય છે-
તેમ,જે મનુષ્ય પોતાની ઈચ્છા થી સર્વ વસ્તુ નો ત્યાગ કરે,તો તે સુખી થાય છે. (૫)
જેમ,સર્પ પોતાની કાંચળીનો ત્યાગ કરીને સુખી થાય છે તેમ. (૬)

જે મુક્તિનું સાધન નથી તેનું ચિંતન કરવું નહિ,ભરત (રાજા-જડ-ભરત) ની જેમ તે બંધન-રૂપ થાય છે.(૮)
જેમ,કુમારિકા એ એક કરતાં વધારે બંગડીઓ પહેરી હોય તો તે અવાજ કરે છે,
તેમ,ઘણી વસ્તુઓ ના સંબંધથી આશક્તિ-ક્રોધ વગેરે ઉત્પન્ન થાય છે. (૯)
બે-વસ્તુ (એક કરતાં વધારે) હોય તો તે બાબતમાં પણ આમ જ સમજવું (૧૦)

"આશા" નો ત્યાગ કરનારો-પિંગલા" (ભરથરી-પિંગલા) ની પેઠે સુખી થાય છે. (૧૧)
શાસ્ત્રો ઘણાં છે-તે શાસ્ત્રો અને ગુરૂ પાસે થી જ્ઞાન મેળવવું ,
પણ  તે બધામાંથી,ભમરા ની જેમ  માત્ર સાર ગ્રહણ કરવો.(૧૩)

બાણ બનાવનાર ની પેઠે જેનું મન એકાગ્ર થયેલું હોય છે,તેને સમાધિમાં અડચણ ઉત્પન્ન થતી નથી.(૧૪)
જેમ,સંસાર ની સર્વ-બાબતો માં (નક્કી કરેલા નિયમો પાળવા પડે છે) તેમ-(યોગમાર્ગમાં)
નક્કી કરેલા નિયમો નું ઉલ્લંઘન કરવાથી "ધ્યેય-પ્રાપ્તિ" થઇ શક્તી નથી. (૧૫)

નમ્રતા,બ્રહ્મચર્ય અને ગુરુસેવા થી "સિદ્ધિ" લાંબે ગાળે પ્રાપ્ત થાય છે (૧૯)
વામદેવ ની જેમ સમય ની કશી મર્યાદા નથી  (૨૦)
અથવા જેમણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેની સાથેના સંપર્ક માં યોગ સિદ્ધ થાય છે. (૨૪)
ભોગ દ્વારા આસક્તિ ની નિવૃત્તિ થતી નથી.સૌભરી-મુનિ ની પેઠે. (૨૭)

અધ્યાય-૫
જેમ ઔષધિઓ દ્વારા મેળવેલી આરોગ્ય-પ્રાપ્તિ ને નકારી શકાય નહિ,
તેમ,યોગ ની સિદ્ધિઓ ને પણ નકારી શકાય નહિ (તે મળે જ છે)  (૧૨૮)

અધ્યાય-૬
સ્થિર અને સુખકર હોય -તે જ આસન-બીજો કોઈ નિયમ નથી. (૨૪)

વ્યાસ-સૂત્રો
અધ્યાય-૪-વલ્લી-પહેલી.
ઉપાસના બેસી ને જ કરી શકાય. (૭)
ધ્યાન માટે પણ એ જ નિયમ (૮)
કારણકે ધ્યાનસ્થ પુરુષ ને નિશ્ચળ પૃથ્વી ની સાથે સરખાવવામાં આવે છે. (૯)
સ્મૃતિઓ પણ તેમ કહે છે. (૧૦)
જયાં મન એકાગ્ર થાય ત્યાં ઉપાસના કરવી,સ્થળ નો બીજો કોઈ નિયમ નથી (૧૧)

સમાપ્ત
સ્વામી વિવેકાનંદ ના "રાજ-યોગ" પુસ્તક પર આધારિત.
રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ -www.sivohm.com
email---anilshukla1@gmail.com


   PREVIOUS PAGE     
        END       
     INDEX PAGE                  




Dec 15, 2014

પતંજલિના યોગસૂત્રો-63-Yogsutra of Patanjali-Gujarati

  • ततः क्लेशकर्मनिवृत्तिः (૩૦)

કે જેનાથી કલેશ અને કર્મ ની નિવૃત્તિ થાય છે. (૩૦)

જયારે "ધર્મ-મેઘ" સમાધિ પ્રાપ્ત થાય છે,ત્યારે યોગી ને પતન નો ભય રહેતો નથી.કોઈ પણ વસ્તુ તેને
નીચે ખેંચી શકતી નથી.એને માટે કશું અનિષ્ટ રહેતું નથી.કે કશું દુઃખ રહેતું નથી,

  • तदा सर्वावरणमलापेतस्य ज्ञानस्याऽनन्त्याज्ज्ञेयम् अल्पम् (૩૧)

ત્યારે સર્વ આવરણ અને મળ દૂર થતાં જ્ઞાન અનંત થાય છે અને તેથી જ્ઞેય અલ્પ બને છે (૩૧)

જ્ઞાન તો પોતે ત્યાંજ રહેલું છે પણ તેના પર નું આવરણ દૂર થાય છે.અને તેથી,
જ્ઞેય-વિષયો સાથેનું સમસ્ત જગત પુરુષ ની પાસે નહીવત થઇ જાય છે.
સાધારણ મનુષ્ય પોતાને બહુ જ અલ્પ માને છે,કારણકે તેને મન જ્ઞેય-વિશ્વ અનંત લાગે છે.

  • ततः कृतार्थानां परिणामक्रमपरिसमाप्तिर्गुणानाम् (૩૨)

ત્યારે લક્ષ્યમાં પહોંચી ગયેલા હોવાને લીધે,ગુણો ની પરિણામ-પરંપરા સમાપ્ત થાય છે.(૩૨)

  • क्षणप्रतियोगी परिणामापरान्तनिग्रार्ह्यः क्रमः (૩૩)

ક્ષણો ની સાથે સંબંધિત અને પરિવર્તનો ની પરંપરાને બીજે  છેડે જેનો અનુભવ થાય છે તેને ક્રમ કહે છે (૩૩)

"ક્રમ" ની વ્યાખ્યા આપતાં પતંજલિ કહે છે કે-ક્રમ એટલે ક્ષણો ની સાથે સંબંધિત થઈને રહે છે તે પરિવર્તનો.
જયારે મનુષ્ય વિચાર કરે છે ત્યારે -તે અરસામાં ઘણી ક્ષણો ચાલી જાય છે,અને ક્ષણ ની સાથે વિચાર પણ
બદલાય છે.અને આ ફેરફારો ને માત્ર "એક-પરંપરા" ના "છેડે"પારખી શકાય છે.કે જેને ક્રમ કહે છે.

પરંતુ જે ચિત્ત સર્વ-વ્યાપકતા ની સ્થિતિએ પહોંચ્યું હોય તેને માટે ક્રમ હોતો જ નથી.
તેને માટે સર્વ-કંઈ વર્તમાન બની ગયું છે,તેની પાસે એક માત્ર વાતમાં ની જ હયાતિ છે.
ભૂતકાળ અને ભવિષ્યકાળ અદૃશ્ય થઇ જાય છે,કાળ સ્થગિત થઇ રહે છે,અને
સઘળું જ્ઞાન એક ક્ષણમાંજ થઇ જાય છે.સર્વ કંઈ એક ચમકારા ની પેઠે જણાય છે.

  • पुरुषार्थशून्यानां गुणानां प्रतिप्रसवः कैवल्यं, स्वरूपप्रतिष्ठा वा चितिशक्तिरेति (૩૪)

"કૈવલ્ય" એટલે "પુરુષ" (આત્મા) માટેની ઉપયોગિતાથી રહિત થયેલા ગુણો નો ઉલટા ક્રમમાં લય (પ્રતિલોમ) -અથવા- "ચિત્ત શક્તિ ની પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠા"

હવે હેતાળ માતા -પ્રકૃતિ નું નિસ્વાર્થ કાર્ય પુરુ થયું,કે જે તેણે પોતાને માથે લીધું હતું.
પોતાના સ્વરૂપ ને વિસરી ગયેલા જીવાત્મા નો જાણે કે હાથ ઝાલીને તેણે જુદાંજુદાં શરીરો દ્વારા
ઉંચો ને ઉંચો લઈ જઈને જગતમાં ના સઘળાં અનુભવો કરાવી,સઘળા રૂપો બતાવ્યા.અને-
અંતે-તેનો ભૂલાઈ ગયેલો મહિમા તેને પ્રાપ્ત કરાવ્યો.સ્વ-રૂપ ની સ્મૃતિ કરાવી.

ત્યાર પછી તે હેતાળ મા જે રસ્તે થઈને આવી હતી તે જ રસ્તે પછી વળી ગઈ અને જિંદગીના વેરણ રણમાં
ભુલા પડી ગયેલ બીજા જીવાત્માઓને માર્ગ દર્શન કરવામાં લાગી ગઈ.
અને આ રીતે અનાદિ કાળથી તે અનંત-કાળ સુધી આમ કામ કર્યા જ કરે છે.

આ રીતે સુખ-દુઃખમાં થઈને,શુભાશુભ માં થઈને જીવાત્માઓના અનંત પ્રવાહ -
પૂર્ણત્વ ના મહાસાગર માં -આત્મ-સાક્ષાત્કાર ના મહાસાગરમાં વહ્યા જ કરે છે.

જેમણે પોતાના સ્વ-રૂપ નો સાક્ષાત્કાર કર્યો છે તેમનો જય હો..
આપણા સર્વ પર તેમના આશીર્વાદ હો.......



કૈવલ્યપાદ સમાપ્ત


   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE                  

Dec 14, 2014

પતંજલિના યોગસૂત્રો-62-Yogsutra of Patanjali-Gujarati

  • विशेषदर्शिन आत्मभावभावनाविनिवृत्तिः (૨૫)

પુરુષ (આત્મા) અને ચિત્ત નો તફાવત દેખી શકનાર નું-
"ચિત્ત એ આત્મા છે" એવું (અજ્ઞાન) દૂર થાય છે  (૨૫)

  • तदा विवेकनिम्नं कैवल्यप्राग्भारं चित्तम् (૨૬)

ત્યારે "વિવેક" તરફ વળેલું -ચિત્ત -એ "કૈવલ્ય" ની "પૂર્વ-અવસ્થા" ને પ્રાપ્ત કરે છે. (૨૬)

આમ,યોગ ની સાધના વિવેક-શક્તિ તરફ-કે-દર્શન ની સ્વચ્છતા તરફ લઇ જાય છે.
આંખ ની સામેથી આવરણ હટી જાય છે,અને વસ્તુઓ "જેવી છે" તેવે જ સ્વરૂપે જણાય છે.
યોગી ને પ્રતીત થાય છે કે-પ્રકૃતિ એ મિશ્ર વસ્તુ છે અને સાક્ષી-રૂપ પુરુષ ને આ જગતનું દૃશ્ય દેખાડી રહી છે,
તથા-પ્રકૃતિ એ માલિક નથી અને પ્રકૃતિનાં સઘળાં મિશ્રણો-એ કેવળ અંતરના સિંહાસન પર વિરાજમાન-
સમ્રાટ-પુરુષ ને આ જગતનું દૃશ્ય બતાવવા માટે જ છે.

લાંબા કાળની સાધના વડે જયારે વિવેક પ્રાપ્ત થાય છે,ત્યારે ભય નીકળી જાય છે અને ચિત્ત-
કૈવલ્ય ની પૂર્વ અવસ્થા ને પ્રાપ્ત કરે છે.

  • तच्छिद्रेषु प्रत्ययान्तराणि संस्कारेभ्यः (૨૭)

તે કૈવલ્ય-સ્થિતિના વચ્ચે ના ગાળાઓમાં અડચણ-રૂપ જે જે વિચારો ઉઠે છે,તે સંસ્કારોમાંથી આવે છે. (૨૭)

"સુખી થવા માટે બાહ્ય વસ્તુ ની જરૂર રહે છે" એવું આપણ ને મનાવનારા જે વિવિધ પ્રકારના વિચારો ઉઠે છે,
તે બધા પૂર્ણત્વ ની અવસ્થામાં અડચણ-રૂપ છે.પુરુષ (આત્મા) પોતે આનંદ-સ્વ-રૂપ છે.પણ-
આ જ્ઞાન -એ પૂર્વ ના "સંસ્કારો" ને લીધે ઢંકાઈ  ગયું છે,જે સંસ્કારો નો ક્ષય થઇ જવો જોઈએ.

  • हानम् एषां क्लेशवदुक्तम् (૨૮)

તેમનો (તે સંસ્કારો નો) નાશ અગાઉ કહ્યા પ્રમાણે ક્લેશો (અવિદ્યા-અસ્મિતા) નો નાશ કરી કરવાનો છે.(૨૮)

  • प्रसंख्यानेऽप्यकुसीदस्य सर्वथाविवेकख्यातेर्धर्ममेघः समाधिः (૨૯)

તત્વો નું વિવેક-જ્ઞાન થતાં,તેમાંથી ઉત્પન્ન થતી "ઐશ્વર્ય માટે ની સ્પૃહા" ને છોડવાથી,
યોગી ને "સંપૂર્ણ-વિવેક-જ્ઞાન" થાય છે.અને તેનાથી તે "ધર્મ-મેઘ" નામની સમાધિ-અવસ્થાએ પહોંચે છે.(૨૯)

જયારે યોગી આ "વિવેક-જ્ઞાન" મેળવી ચુકે-ત્યારે પાછલા પ્રકરણમાં જણાવેલી સર્વ વિભૂતિઓ (સિદ્ધિઓ) તેની પાસે આવે છે,પરંતુ સાચો યોગી તેમનો અસ્વીકાર કરે છે.અને તેનામાં એક "ખાસ-પ્રકારનું સંપૂર્ણ-વિવેક-જ્ઞાન"
અને એક ખાસ પ્રકારનું તેજ આવે છે-તેને "ધર્મ-મેઘ" કહેવામાં આવે છે.


   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE