Showing posts with label ભાગવત રહસ્ય. Show all posts
Showing posts with label ભાગવત રહસ્ય. Show all posts

Jan 1, 2021

ભાગવત રહસ્ય -૪૯3 (સંપૂર્ણ)

શુકદેવજી કહે છે કે-રાજા,તારા લીધે મને કૃષ્ણ-કથા કરવાનું મળ્યું,હું પણ કૃતાર્થ થયો.તારા લીધે મને પણ કૃષ્ણ-પ્રેમમાં તન્મયતા થઇ.મારા હૃદયમાં શ્રીકૃષ્ણ આવી વિરાજ્યા.રાજા,તારા શરીર ને તક્ષક નાગ કરડશે તે મારાથી જોઈ શકાશે નહિ.આગળ નો પ્રસંગ જોવાની મારી જોવાની ઈચ્છા નથી.રાજા,તારા મનમાં કાંઇ શંકા હોય તો પ્રશ્ન કર.કારણ મારે જવું પડશે,હું બ્રહ્મ-નિષ્ઠ છું,તક્ષક મારી હાજરીમાં આવશે ને મારી નજરે ચડશે તો તેનું ઝેર અમૃત થઇ જશે.

Dec 31, 2020

ભાગવત રહસ્ય -૪૯૨

શુકદેવજી છેવટે રાજાને અંતિમ ઉપદેશ આપતાં કહે છે કે-હે,રાજન જન્મ અને મરણ એ શરીરના ધર્મ છે.આત્માના નથી.આત્મા અજર અમર છે.ઘડો ફૂટી જતાં તેના અંદર રહેલું ઘટાકાશ,બહારના વ્યાપક મહાકાશ સાથે મળી જાય છે.તેમ મરણ પામતાં જીવ બ્રહ્મરૂપ થાય છે.રાજા આજે છેલ્લો દિવસ છે,તક્ષક નાગને આવવાનો સમય થયો છે.તારા શરીરને તક્ષક કરડશે,તે તારા શરીર ને બાળી શકશે પણ તારા આત્માને બાળી શકશે નહિ.તું શરીરથી જુદો છે.

Dec 30, 2020

ભાગવત રહસ્ય -૪૯૧ (સ્કંધ-૧૨)

આગળનો સ્કંધ -૧૧ એ શ્રીકૃષ્ણ નું જ્ઞાન-સ્વ-રૂપ છે અને આ સ્કંધ-૧૨ એ પ્રેમ-સ્વ-રૂપ છે.જ્ઞાન અને પ્રેમ ,અંતે તો એક જ છે.જેને પરમાત્માનું જ્ઞાન થાય છે તે જ પરમાત્માને પ્રેમ કરી શકે છે.અને તેવી જ રીતે-જેને પરમાત્મા સાથે પ્રેમ થાય છે તેને જ પરમાત્માનું જ્ઞાન મળી શકે છે.જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે-તે પરમાત્માના ચરણમાં-આશ્રયમાં રહે છે,મુક્ત બને છે.સ્કંધ-૧૧ માં મુક્તિ-લીલા છે.મુક્ત જીવો પરમાત્માના આશ્રયમાં રહે છે.એટલે બારમા સ્કંધમાં –આશ્રય-લીલા છે.

Dec 29, 2020

ભાગવત રહસ્ય -૪૯૦

શ્રીકૃષ્ણ ઉદ્ધવને કહે છે કે-તું એવી ભાવના રાખ કે હું તારી સાથે જ છું.
પરમાત્માનું સતત સ્મરણ રહે તે સિદ્ધિ જ છે.પણ ઉદ્ધવને હજુ સાંત્વના મળતી નથી.
તે કહે છે કે ભાવના કોઈ આધાર વગર થતી નથી,મને કોઈ આધાર આપો.
એટલે દ્વારકાનાથે પોતાની ચરણ પાદુકાઓ ઉદ્ધવને આપી.ઉદ્ધવને હવે થયું કે હું એકલો નથી.મારા પરમાત્માની ચરણ-પાદુકા,મારા પરમાત્મા -મારી પાસે જ છે.

Dec 28, 2020

ભાગવત રહસ્ય -૪૮૯

જગતમાં સર્વને ખબર છે કે એકલા જવાનું છે,સંસારના સર્વ સંબંધો જુઠ્ઠા છે.તો પણ સ્ત્રીને પુરુષ વગર કે પુરુષને સ્ત્રી વગર,કે બંનેને બાળકો વગર ચેન પડતું નથી.
આના પર એક બહુ સરસ દૃષ્ટાંત છે.એક મહાત્મા કથા કરતા હતા.ગામના શ્રીમંત નગરશેઠનો પુત્ર રોજ કથા સાંભળવા આવે,પણ સાંજના ૬ વાગે એટલે તરત કથામાંથી ઉઠીને ચાલ્યો જાય.મહાત્મા રોજ આ જોયા કરે,એક દિવસ તેને પૂછ્યું.

Dec 27, 2020

ભાગવત રહસ્ય -૪૮૮-(ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)

છેવટે ઉદ્ધવ શ્રીકૃષ્ણને પૂછે છે કે-આપે યોગમાર્ગ,ભક્તિમાર્ગ,જ્ઞાનમાર્ગ વગેરેનો ઉપદેશ આપ્યો પરંતુ જે પોતાના મનને વશ કરી શકે તેને જ આ યોગમાર્ગ સિદ્ધ થાય છે.અને આ માંકડા જેવા મનને વશ કરવું દુષ્કર છે.માટે જે મનુષ્યો મનને વશ
ના કરી શકે,તે,સિદ્ધિને સહેલાઈથી કેવી રીતે પ્રાપ્ત કરી શકે તે બતાવો.

Dec 26, 2020

ભાગવત રહસ્ય -૪૮૭-(ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)

તે પછી ભગવાને પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું અને 
ચારેય આશ્રમોના ધર્મો સમજાવ્યા.ઉદ્ધવજી પ્રશ્નો પૂછે છે અને શ્રીકૃષ્ણ જવાબ આપે છે.
શમ એટલે શું ? બુદ્ધિ ને પરમાત્મામાં સ્થાપવી તે શમ છે.
દમ એટલે શું? ઇન્દ્રિયોને વશ કરવી તે દમ છે.
દાન કોને કહેવાય ? કોઈ પણ પ્રાણીનો દ્રોહ ના કરવો તે શ્રેષ્ઠ દાન છે.
આ જગતમાં જે કાંઇ દેખાય છે તે પરમાત્માના આધારે છે,તેવો ભાવ રાખી કોઈની સાથે દ્રોહ ના કરવો.જગતના કોઈ જીવ ને હલકો ગણવો નહિ કે તેની પ્રત્યે કુભાવ રાખવો નહિ.પ્રત્યેકને સદભાવ 
અને સમભાવથી જોવા તે મોટામાં મોટું દાન છે.

Dec 25, 2020

ભાગવત રહસ્ય -૪૮૬-(ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)

ઉદ્ધવને સત્સંગનો મહિમા બતાવતાં શ્રીકૃષ્ણ કહે છે કે-જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્યમાં આગળ વધેલા હોય એવા મહાપુરુષનો સત્સંગ કર.સંતોના સત્સંગથી મનુષ્ય અને પ્રાણીઓના જીવન પણ સુધરે છે.વૈષ્ણવના ઘરનો પોપટ,પ્રભુનું નામ બોલે છે અને કસાઈના ઘરનો પોપટ ગાળો બોલે છે.કુસંગથી મનુષ્ય બગડે છે.મનુષ્ય સમાજમાં 
રહી મનુષ્ય થવું સહેલું છે,પણ બ્રહ્મ-જ્ઞાની થવું કઠણ છે.

Dec 24, 2020

ભાગવત રહસ્ય -૪૮૫-(ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)

(૧૮) ટીટોડા (કુરર) પક્ષી-પાસેથી-કોઈ વસ્તુનો સંગ્રહ ના કરવાનો બોધ લીધો.
અતિ સંગ્રહથી વિગ્રહ થાય છે.સંગ્રહનો ત્યાગ એ સુખદાયી છે.
(૧૯) બાળક-પાસેથી-નિર્દોષતાનો બોધ લીધો.
(૨૦) કુમારી કન્યા-પાસેથી- એકાંતવાસનો બોધ લીધો.
એક કુમારી કન્યા હતી.બહારગામથી તેનું માગું કરવા પરોણાઓ આવ્યા.ઘરમાં ચોખા નહોતા.તેથી તે ડાંગર ખાંડવા લાગી.ખાંડતા પહેલાં તેણે તેના હાથમાં બંગડીઓ હતી તે  એક –એક બંગડી રાખી બાકીની બધી ઉતારી નાંખી.કારણ કે-જો ખાંડતી વખતે બંગડીઓનો અવાજ થાય અને મહેમાન તે સાંભળે તો તેઓને જાણ થઇ જાય કે આ લોકોના ઘરમાં ચોખા પણ નથી અને તેમની ગરીબી જાહેર થઇ જાય.જો હાથમાં જો એક જ બંગડી હોય તો તેનો અવાજ ક્યાંથી થાય તેમ વસ્તીમાં રહેવાથી,કજિયા-કંકાશ થાય માટે સાધુઓએ એકાંતવાસ કરવો જોઈએ.

Dec 23, 2020

ભાગવત રહસ્ય -૪૮૪-(ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)

દત્તાત્રેય તેમના ગુરુઓ વિષે આગળ કહે છે.કે-
(૧૩) હાથી-પાસેથી સ્પર્શ-સુખ (વિષય)ની લાલચ થી પોતાનો કેવી રીતે નાશ થાય છે તેનો બોધ.હાથીને પકડનારા એક મોટો ખાડો ખોદીને તે ખાડો ડાળી-પાંદડાં વડે ઢાંકે છે ને ઉપર એક સજીવ લાગે તેવી લાકડાની હાથણી રાખે છે.હાથી આ લાકડાની હાથણીને સાચી સમજી તેને સ્પર્શ કરવા આવે છે અને ખાડામાં પડે છે.અને પકડાઈ જાય છે.આથી જ -શાસ્ત્રોમાં સાધક-કે સંન્યાસીએ લાકડાની બનાવેલી સ્ત્રીની પૂતળીને પગથી પણ સ્પર્શ ના કરવો તેવી આજ્ઞા આપી છે.

Dec 22, 2020

ભાગવત રહસ્ય -૪૮૩-(ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)

યદુરાજાના પ્રશ્નનો જવાબ આપતાં દત્તાત્રેય કહે છે કે-રાજન,આનંદ બહાર નથી,આનંદ કોઈ વિષયોમાં નથી,પણ આનંદ અંદર છે. હું “હું” પણાને ભૂલી ગયો છું.જગતના વિષયો માંથી દૃષ્ટિ હટાવીને મેં દૃષ્ટિને અંતર્મુખ કરી છે. હું મારા સ્વ-રૂપમાં સ્થિત છું.પ્રારબ્ધ અનુસાર જે મળે તેમાં આનંદ માનુ છું.મેં મારી દૃષ્ટિને ગુણમયી બનાવી છે,હું સર્વના ગુણ જોઉં છું.

Dec 21, 2020

ભાગવત રહસ્ય -૪૮૨ (ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)

ભગવાન શ્રીકૃષ્ણે હવે ઉદ્ધવને ટૂંકાણમાં જ્ઞાનનો ઉપદેશ કરે છે.(મહાત્માઓ તેને "ઉદ્ધવ-ગીતા" પણ કહે છે) સાંદીપની ગુરૂ એ જે દક્ષિણા માગેલી –કે “જ્ઞાન કોઈ યોગ્ય વ્યક્તિ ને આપી આગળ વધારજે” આજે તેમણે તે આજ્ઞા પુરી કરીને સ્વધામ જતાં પહેલાં જ્ઞાન ઉદ્ધવને આપી ને ગયા છે.શ્રીકૃષ્ણ કહે છે કે-ઉદ્ધવ,આ બધો માયાનો ખેલ છે.
ભ્રમ છે,સંસાર અસત્ય છે અને માત્ર આત્મા જ સત્ય છે.

Dec 20, 2020

ભાગવત રહસ્ય -૪૮૧

મહાભારતના વન-પર્વમાં યુધિષ્ઠિર અને યક્ષનો સંવાદ આવે છે. 
તેમાં યક્ષે યુધિષ્ઠિરને એક પ્રશ્ન પૂછેલો કે –“આ દુનિયામાં મોટામાં મોટું આશ્ચર્ય શું છે?” 
ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો છે-કે-
'અહ્ન્યાનિ ભૂતાની ગચ્છન્તિ યમમંદિરમ,શેષા સ્થિરત્વમિચ્છન્ત્તી કિમાસ્ચર્યમતઃપરમ'.
(દરરોજ સેંકડો જીવો યમરાજને ઘેર જઈ રહ્યા છે,તે જોવા છતાં (તો પણ) બીજા બાકી રહી ગયેલા લોકો તો,એમ જ માને છે કે પોતે મરવાના જ નથી.અને એમ માની દુનિયામાં મનસ્વી રીતે રહે છે.આથી મોટું બીજું શું આશ્ચર્ય હોઈ શકે?)

Dec 19, 2020

ભાગવત રહસ્ય -૪૮૦

આત્મ-સ્વ-રૂપ ભગવાન સમસ્ત પ્રાણીઓમાં આત્મ-રૂપે=નિયંતા રૂપે રહેલા છે.(સ્થિત છે).જે મનુષ્ય ન્યૂનતા (ઓછું) કે અધિકતા (વધારે) ના જોતાં સર્વત્ર પરિપૂર્ણ ભગવત સત્તા જ જુએ છે,અને સાથોસાથ સમસ્ત પ્રાણી કે પદાર્થ,આત્મ-સ્વ-રૂપ ભગવાનનું જ સ્વ-રૂપ છે,એવું સમજે છે.વળી, જેને તેવો અનુભવ  થઈને આવી દૃષ્ટિ સિદ્ધ થઇ છે,
તે ભગવાન નો પરમપ્રેમી ઉત્તમ ભાગવત ભક્ત છે.(૧૧-૨-૪૫)

Dec 18, 2020

ભાગવત રહસ્ય -૪૭૯

જીવ,ઈશ્વરથી થોડો પણ વિખુટો હશે તો અંતે રડવાનું છે. ઈશ્વરના વિયોગનો રોગ જીવને થયો છે.અને આ વિયોગ રૂપી દુઃખની દવા એ છે કે-જીવ,ઈશ્વર સાથે સંબંધ જોડે.“મારે ઈશ્વરમાં મળી જવું છે” તેવો નિશ્ચય કરવાનો છે.પણ આ શરીરથી શરૂમાં બ્રહ્મ-સંબંધ થઇ શકે નહિ,શરીર મલિન ,શરીરમાંથી સતત દુર્ગંધ નીકળે છે.તેથી પ્રારંભમાં મનથી ઈશ્વર સાથે સંબંધ જોડવો જોઈએ.કાળ સર્વને માથે છે.તેમાંથી છૂટવા કાળના યે કાળ શ્રીકૃષ્ણને શરણે જવું જોઈએ.

Dec 17, 2020

ભાગવત રહસ્ય -૪૭૮

એક દિવસ પિંડારક તીર્થમાં ઋષિમુનિઓ બેઠા હતા.યાદવકુમારોને આ ઋષિઓની મશ્કરી કરવાનું સુઝ્યું. અતિસંપત્તિમાં યાદવો ભાન ભૂલ્યા છે.યાદવકુમારોએ શાંબને સ્ત્રીનો પહેરવેશ પહેરાવી તેને ઋષિમુનિઓ પાસે લઇ ગયા.અને ઋષિમુનિઓને પૂછ્યું કે આ સ્ત્રી ગર્ભિણી છે,આને પુત્ર થશે કે પુત્રી? ઋષિઓને આ ઠીક લાગ્યું નહિ.અને શાપ આપ્યો કે-આને પુત્ર કે પુત્રી નહિ પણ તમારા વંશનો વિનાશ કરનારું મુશળ પેદા થશે.

Dec 16, 2020

ભાગવત રહસ્ય -૪૭૭

અગિયારમા સ્કંધમાં આગળ આવી ગયેલા એકથી દશ સ્કંધનો ઉપસંહાર છે.અગિયારમા સ્કંધમાં વર્ણવેલું જ્ઞાન,આગળના અધ્યાયો માં આવી ગયેલ કપિલગીતા,પુરંજન આખ્યાન,ભવાટવી નું વર્ણન વગેરેમાં વર્ણવેલ જ્ઞાનમાં આવી જાય છે.આ અગિયારમા સ્કંધમાં ઉપસંહાર રૂપે આગળનું બધું જ્ઞાન ફરીથી કહેવામાં આવ્યું છે.આમ અગિયારમો સ્કંધ એ ભગવાનનું મુખ છે,કે જેમાં જ્ઞાન ભરેલું છે.

Dec 15, 2020

ભાગવત રહસ્ય -૪૭૬

દશમ સ્કંધ ના અંતમાં વર્ણવ્યું છે –સુભદ્રાહરણ.ભદ્ર એટલે કલ્યાણ.કલ્યાણ કરનારી અદ્વૈત બ્રહ્મવિદ્યા –તે જ સુભદ્રા. સુભદ્રા (બ્રહ્મવિદ્યા) ક્યારે મળે? અર્જુનને ચાર મહિના તપશ્ચર્યા કરાવીને શ્રીકૃષ્ણ તેને સુભદ્રા આપે છે.અર્જુન ત્રિદંડી સંન્યાસ લે છે.(અઢાર કલાક રોજ જપ કરવાનો.) સર્વ કામનાઓનો ત્યાગ કરે છે પછી તેને સુભદ્રા (બ્રહ્મ-વિદ્યા) મળે છે.

Dec 14, 2020

ભાગવત રહસ્ય -૪૭૫

તે પછી એક વખત સૂર્યગ્રહણનો સમય આવ્યો છે.કુરુક્ષેત્રમાં વ્રજવાસીઓ,યાદવો,
વસુદેવ,દેવકી સર્વ એક સાથે એકઠાં થયા છે.સર્વ સાથે શ્રીકૃષ્ણનું એક સાથે મિલન થયું છે. પરમાનંદ થયો છે.ગોપીઓનો પ્રભુ પ્રત્યેનો પ્રેમ નિહાળી ને પ્રભુની પત્નીઓ પોતાની જાતને ધિક્કારવા લાગી.“અમને આ ગોપીઓ જેવો પ્રેમ ક્યારે પ્રાપ્ત થશે?” ભગવાનની રાણીઓ એ રાધાજીની પ્રશંસા સાંભળી હતી,તેઓ વિચારતી કે રાધાજીમાં એવી શી વિશેષતા છે ?  

Dec 12, 2020

ભાગવત રહસ્ય -૪૭૪

શ્રીકૃષ્ણ સુદામાને વળાવવા જાય છે.વિદાયવેળાએ સુદામાને કહે છે કે-'મિત્ર,તું બીજી વખતે આવે ત્યારે એકલો ના આવતો,ભાભીને પણ લાવજે,ઘેર જઈ ભાભીને મારા પ્રણામ કહેજે.' આખું જગત જેને વંદન કરે છે તે એક ગરીબ બ્રાહ્મણની પત્નીને પ્રણામ કરે છે.
'મારી મા યશોદા ગોકુળમાં હતો ત્યારે જેવા પૌંઆ આપતી હતી તેવી ભેટ મને ભાભીએ આપી છે'