અધ્યાય-૨૪૩-યુધિષ્ઠિરનો પાંડવોને ઉપદેશ
II युधिष्ठिर उवाच II अस्मानभिगता स्तात भयार्ताच्छरणैपिण : I कौरवान विपमप्राप्तान कथं ब्रूयास्त्वमिदशम् II १ II
યુધિષ્ઠિર બોલ્યા-હે ભીમ,કૌરવો સંકટમાં પડયા છે,ભયથી આપણું શરણ ઈચ્છે છે,તો તારાથી આવું કેમ બોલાય? જયારે બહારનો માણસ,કુળ પર હાથ નાખે ત્યારે તેનું અપમાન કેમ સહન કરાય?ગંધર્વો જાણે છે કે આપણે અહીં લાંબા વખતથી રહીએ છીએ,છતાં તેમણે આપણું આ અપ્રિય કાર્ય કર્યું છે.આપણા કુળનો ઘાત થયો છે ત્યારે કુળના ઉદ્ધાર માટે અને શરણાગતની રક્ષા માટે તમે સજ્જ થાઓ.વિલંબ કરો નહિ ને તે દુર્યોધનને છોડાવો.કોઈ પણ ક્ષત્રિય,શરણાર્થે આવેલાને પુરી શક્તિથી રક્ષે છે,હે ભીમ,તારે માટે તો કહેવું જ શું?








