Jan 8, 2026

ભાગવત રહસ્ય-૩૦-સ્કંધ-૧-Bhgavat Rahasya-30-Skandha-1

કોઈ પણ સત્કર્મની શરૂઆત –મંગલાચરણથી કરવામાં આવે છે.સત્કર્મોમાં અનેક વિઘ્નો આવે છે. તે સર્વ (વિઘ્નો)ની નિવૃત્તિ માટે મંગલાચરણની આવશ્યકતા છે.
કથા માં બેસો ત્યારે પણ મંગલાચરણ કરીને બેસો.શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે દેવો પણ સત્કર્મમાં વિઘ્ન કરે છે. દેવોને ઈર્ષા થાય છે કે-આ નારાયણનું ધ્યાન કરશે તો અમારા જેવો થશે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1014

 

અધ્યાય-૮-દ્રોણવધનું સંક્ષિપ્ત કથન 


II संजय उवाच II तथा द्रोणमभिघ्नन्तं साश्वसूतरथद्विपान I व्यथिताः पांडवा द्रष्ट्वा न चैनं पर्यवारयन II १ II

સંજય બોલ્યો-આ પ્રમાણે દ્રોણાચાર્ય ઘોડાઓ,હાથીઓ,રથો સાથે પોતાના સૈન્યને લઈને આગળ વધતા હતા તે જોઈને પાંડવો ગભરાઈ ગયા અને તેમને અટકાવી શક્યા નહિ.પછી,યુધિષ્ઠિરે ધૃષ્ટદ્યુમ્ન અને અર્જુનને આજ્ઞા કરી કે 'તમે બરાબર સાવધાન થઈને દ્રોણાચાર્યને ચોતરફથી આગળ વધતા અટકાવો.' ને આ રીતે આજ્ઞા થતાં અર્જુને અને ધૃષ્ટદ્યુમ્ને પોતાના અનુયાયીઓ સાથે દ્રોણાચાર્ય સામે ધસારો કર્યો.ત્યારે તેમને સાથ આપવા બીજા મહારથીઓ પણ ત્યાં આવી પહોંચ્યા.અને સર્વ પોતપોતાના પરાક્રમો દેખાડવા માંડ્યા.ત્યારે તે સર્વને જોઈને રણમાં અતિ દુર્જય એવા ગુરુ દ્રોણાચાર્ય કોપાયમાન થઇ ને બાણોની વર્ષા કરીને પાંડવોના સૈન્યને વિખેરી નાખીને ચારે બાજુ ઉન્મત્તની જેમ ઘૂમવા લાગ્યા.

Dec 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1013

અધ્યાય-૭-દ્રોણનો સેનાપતિપદે અભિષેક 


II द्रोण उवाच II वेदं षड्गं वेदाहमर्थविद्यां च मानवीं I त्रैम्बकंथेष्वस्त्रं शस्त्राणि विविधानि च II १ II

દ્રોણ બોલ્યા-'હું વેદોને,વેદોનાં છ અંગોને,મનુએ કહેલી અર્થવિદ્યાને,શિવે આપેલાં અસ્ત્રને અને એ ઉપરાંત અનેક જાતનાં શસ્ત્રોને જાણું છું.જયની ઈચ્છાવાળા તમે મારામાં જેજે ગુણો કહયા છે તે બધાને દેખાડવાની ઈચ્છાથી હું પાંડવો સામે યુદ્ધ કરીશ પણ દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્નને હું આ રણસંગ્રામમાં કોઈ પણ રીતે મારી શકીશ નહિ કેમ કે તેને મારો વધ કરવા માટે જ ઉત્પન્ન કરવાં આવ્યો છે.હું સોમક યોદ્ધાઓનો નાશ કરતો રહીશ અને પાંડવોના સૈન્યો સામે યુદ્ધ કરીશ પણ પાંડવો હર્ષયુક્ત થઈને મારી સામે યુદ્ધ કરશે નહિ'

Dec 17, 2025

ભાગવત રહસ્ય-૨૯-Bhgavat Rahasya-29

વૈરાગ્ય એટલે શું ? ભોગના અનેક પદાર્થો મળે-તેમ છતાં જેનું મન તેમાં ન જાય તેનું નામ વૈરાગ્ય.જગતને છોડવાની જરૂર નથી-પરંતુ જગતને જે દ્રષ્ટિથી જુઓ છો –તેને છોડવાની જરૂર છે.જગતને કામ-દ્રષ્ટિથી-ભોગ દ્રષ્ટિથી ન જુઓ. દોષ- દ્રષ્ટિ હોય ત્યાં સુધી દેવ દ્રષ્ટિ થતી નથી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1012

 

અધ્યાય-૬-દુર્યોધને દ્રોણાચાર્યને આપેલું પ્રોત્સાહન 


II संजय उवाच II कर्णस्य वचनं श्रुत्वा राजा दुर्योधनस्तदा I सेनामध्य गतं द्रोणमिदं वचनमब्रवीत II १ II

સંજય બોલ્યો-'ત્યારે કર્ણનાં એ વચન સાંભળીને દુર્યોધન,સેનાની મધ્યમાં ઉભેલા દ્રોણાચાર્યને કહેવા લાગ્યો કે-

'હે બ્રાહ્મણશ્રેષ્ઠ,ઉત્તમ બ્રાહ્મણવર્ણ,શ્રેષ્ઠ કુળમાં જન્મ,શાસ્ત્રાભ્યાસ,વય,બુદ્ધિ,પરાક્રમ,દક્ષતા,અજેયપણું,

અર્થજ્ઞાન,નીતિ,જપ,તપ,અને કૃતજ્ઞતા એ સર્વ ગુણોથી આપ વૃદ્ધ છો.આપ સમાન બીજો કોઈ પણ પુરુષ આ રાજાઓનો યોગ્ય રક્ષક નથી,માટે હે નિષ્પાપ,ઇન્દ્ર જેમ દેવોનું રક્ષણ કરે છે તેમ આપ અમારું રક્ષણ કરો.આપની આગેવાની હેઠળ અમે શત્રુઓને જીતવા ઇચ્છીએ છીએ.

Dec 16, 2025

ભાગવત રહસ્ય-૨૮-Bhgavat Rahasya-28

ધન્ધુકારી માટે કથા કરી તે આષાઢ મહિનામાં કરી છે. શ્રાવણ મહિનામાં લોકોએ આગ્રહ કર્યો એટલે –ગોકર્ણ ફરીથી કથા કરવા બેઠા છે.કથા સાંભળતા અમારે બીજો કોઈ વિચાર કરવો નથી, એકવાર ભૂલ થઇ –અને તેથી અમે રહી ગયા.અતિશય સાવધાન થઈને બધા કથા સાંભળે છે. વક્તા –શ્રોતા નું મન એક થયું છે. પ્રભુ-પ્રેમથી હૃદય પીગળવા લાગ્યું. તે વખતે ભક્તિ મહારાણી પ્રગટ થયા છે. જ્ઞાન અને વૈરાગ્યને લઇને પધાર્યા છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1011

અધ્યાય-૫-નવા સેનાપતિની યોજનાની ભાંજગડ 


II संजय उवाच II रथस्थं पुरुषव्याघ्रं द्रष्टा कर्णमवस्थितम् I हृष्टो दुर्योधनो राजन्निदं वचनमब्रवीत II १ II

સંજય બોલ્યો-હે રાજન,રથમાં બેઠેલા નરસિંહ કર્ણને પોતાની સામે આવેલો જોઈને દુર્યોધન હર્ષમાં આવી ગયો 

ને બોલ્યો-'હે કર્ણ,હવે તારા રક્ષણ તળે રહેલા મારા સૈન્યને હું સનાથ માનું છું.

હવે આપણે આગળ પર શું યોગ્ય અને હિતકારક કરવું જોઈએ તેનો તું વિચાર કર.'

Dec 15, 2025

ભાગવત રહસ્ય-૨૭-Bhgavat Rahasya-27

ભાગવતની કથા શ્રવણ કરે –તો વાંસની એક એક ગાંઠ તૂટે છે. પરમાત્માની કથા સાંભળ્યા પછી –ધીરે ધીરે આસક્તિઓની ગાંઠ તૂટે છે. પ્રભુ પ્રત્યે પ્રેમ વધી જાય એટલે-આસક્તિઓની ગાંઠ છૂટી જાય છે.ગાંઠ છોડવાનું કહ્યું છે(વિવેકથી)—ગાંઠ કાપવાનું નહિ.ભગવાનના નામનો જપ કરશો—તે એકલો જ સાચો છે-એમ માની ને તેનું સ્મરણ કરશો તો વાસનાની ગાંઠ છૂટશે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1010

 

અધ્યાય-૪-ભીષ્મે કર્ણને યુદ્ધ કરવાની આજ્ઞા આપી 


II संजय उवाच II तस्य लालप्यमानस्य कुरुवृद्ध: पितामह I देशकालोचितं यास्यमब्रवीन्प्रितमानसः II १ II

સંજય બોલ્યો-કર્ણે આ પ્રમાણે વારંવાર કહ્યું ત્યારે કુરુવૃદ્ધ પિતામહે પ્રસન્નચિત્ત થઈને દેશકાળને યોગ્ય વચનો કહ્યાં.

'હે કર્ણ,જેમ,સરિતાઓને સમુદ્ર આશ્રયરૂપ છે,તેમ તું મિત્રોને અશ્રયરૂપ થા.જેમ,દેવો ઇન્દ્રની પાછળ જીવે છે તેમ,તારા બાંધવો તારી પાછળ જીવો.શત્રુઓનો તું માનભંજન થા અને મિત્રોનો તું આનંદવર્ધન થા.જેમ,વિષ્ણુ,દેવતાઓનો આધાર છે તેમ,તું કૌરવોનો આધાર છે.હે કર્ણ,પૂર્વે,તેં દુર્યોધનના જયની ઈચ્છાથી કામ્બોજ યોદ્ધાઓને જીત્યા હતા.વળી,નગ્નજિત,અમ્બષ્ઠો,

વિદેહો અને ગાંધારોને પણ તેં હરાવ્યા હતા.રણસંગ્રામમાં મહાભયંકર એવા કિરાતોને તેં દુર્યોધનના તાબામાં આણ્યા હતા.

વળી,દુર્યોધનનું હિત ઇચ્છીને અનેક સંગ્રામોમાં અનેક વીરોને પરાજય આપ્યો હતો.

Dec 14, 2025

ભાગવત રહસ્ય-૨૬-Bhgavat Rahasya-26

ગોકર્ણે ધન્ધુકારીના મરણના સમાચાર સાંભળ્યા.તેઓ ફરતાં ફરતાં ગયાજીમાં આવ્યા છે. તેમણે સાંભળ્યું કે –મારા ભાઈની દુર્ગતિ થઇ છે. તેનો ઉદ્ધાર કરવા ગોકર્ણે ધન્ધુકારી પાછળ ગયાજીમાં શ્રાધ્ધ કર્યું છે. ભગવાનના –ચરણમાં-
પિંડદાન કર્યું છે. ગયા શ્રાધ્ધ શ્રેષ્ઠ છે, ત્યાં –વિષ્ણુ પાદ (વિષ્ણુ ના ચરણ) છે.