Dec 20, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૮

વાલી,શ્રીરામને કહે છે કે “હે,રામ,એક ક્ષત્રિય તરીકે તેં દગાથી,છુપાઈને મને વાનરને વગર અપરાધે માર્યો છે.આથી તારો યશ કલંકિત થયો છે,તું અધર્મી છે ને રાજધર્મને જાણતો નથી.
સાધુચરિત દશરથ રાજાનો પુત્ર થઇ તું આવો શઠ કેમ પાક્યો? સામી છાતીએ તું મારી સાથે લડવા કેમ ના આવ્યો? તારું ધર્મ-ધ્વજ-પણું,એ ઘાસથી ઢંકાયેલા કુવા જેવું છે,
તું જટા-વલ્કલનો વેશ ધારણ કરીને આવો અધર્મ આચરે છે?

Dec 19, 2021

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-015


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૭

શ્રીરામનો શોક જોઈને સુગ્રીવની આંખોમાંથી પણ આંસુ આવી ગયાં.તેણે રામજીને આશ્વાસન આપતાં કહ્યું કે-હું રાવણને કે તેના નિવાસસ્થાનને જાણતો નથી,તેમ છતાં હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે-રાવણનો નાશ કરીને હું તમને સીતાજીને પાછાં લાવી આપીશ.
શ્રીરામ આંસુ લુછી સ્વસ્થ થયા ને સુગ્રીવને ભેટ્યા,અને કહે છે કે-પહેલું તો મારે વાલીને હણીને તારું કામ કરવાનું છે એટલે વાલી કેવો બળવાન છે તે મારે જાણવું છે.

Dec 17, 2021

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-014


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૬

હવે લક્ષ્મણે શ્રીરામનો પરિચય આપી,સીતાહરણની વાત કરી કહ્યું કે-સીતાને હરી જનાર રાક્ષસનો પત્તો લાગતો નથી અને તેથી અમે બંને ભાઈઓ સુગ્રીવને શરણે આવ્યા છીએ.
વાલ્મિકીજી કહે છે કે-અહો,કાળનું કેવું બળ છે!! પ્રતાપી રાજા દશરથના મહાસમર્થ પુત્ર વનચર જાતિના રાજા સુગ્રીવની કૃપા-પ્રસાદી ઈચ્છે છે !! હનુમાનજી કહે છે કે-લક્ષ્મણજી તમે ખેદ ના કરો,સૌ સારાં વાનાં થશે,સુગ્રીવ આપને અવશ્ય મદદ કરશે,તેને પણ વાલીની સામે લડવામાં આપની મદદની જરૂર છે,એમ કહીને એમણે વાલીના ત્રાસની બધી વાત કરી.

Dec 16, 2021

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-013


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૫

મનુષ્ય પ્રેમ કર્યા વગર રહી શકતો નથી,પણ તે પ્રેમ કરે છે,ધન સાથે,યશ સાથે,સ્ત્રી સાથે,
બાળકો સાથે કે બાળકોના બાળકો સાથે.તેને પરમાત્મા સાથે પ્રેમ કરવાની ફુરસદ નથી,
પરમાત્મા સિવાય બીજા કોઈ પણ સાથે કરેલો પ્રેમ માણસને છેવટે રડાવે છે.
પરમાત્મા સાથેનો પ્રેમ જ મનુષ્યને સુખ,શાંતિ અને આનંદ આપનારો નીવડે છે.
જગત અપૂર્ણ છે,જીવ પણ અપૂર્ણ છે.જીવ પરિપૂર્ણ ત્યારે બને જયારે તે ઈશ્વર સાથે મૈત્રી કરે,
પ્રેમ કરે.ઈશ્વર તેને જ મળે છે જે ઈશ્વરને પરિપૂર્ણ પ્રેમ આપે છે.ઈશ્વર પૂર્ણ છે જીવ અપૂર્ણ છે,ઈશ્વર સાથે પ્રેમ કરવા બીજા જીવો સાથેનો પ્રેમ છોડવો પડે છે.

Dec 15, 2021

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-012


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૪

\વાલી અને માયાવી-રાક્ષસ વચ્ચે ભયાનક યુદ્ધ થયું પણ છેવટે વાલીના બળ આગળ રાક્ષસ હારવા લાગ્યો.જીતવાની કોઈ આશા નથી અને મોત નિશ્ચિત છે-એવી ખાતરી થતાં રાક્ષસ ભાગ્યો.વાલી અને સુગ્રીવ એની પાછળ પડ્યા.એટલે રાક્ષસ એક ગુફામાં ગુસી ગયો.ત્યારે વાલીએ સુગ્રીવને કહ્યું કે તું અહીં બહાર ઉભો રહે,અને પખવાડિયા સુધી મારી રાહ જોજે,ત્યાં સુધીમાં હું બહાર ના આવું તો સમજવું કે હું માર્યો ગયો છું.

Dec 14, 2021

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-011


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-કિષ્કિન્ધા કાંડ-૧૫૩

કિષ્કિંધાકાંડ
શબરીનો ઉદ્ધાર કરી શ્રીરામ ઋષ્યમૂક પર્વત તરફ આગળ વધ્યા.
તે વખતે વાનરરાજ સુગ્રીવ પોતાના સલાહકારોથી વીંટળાઈને પર્વત પર બેઠેલો હતો.
દૂરથી તેમણે રામ-લક્ષ્મણને જોયા.જટાધારી તપસ્વી વેશમાં પણ તેમની વીર-પ્રતિભા,
સુગ્રીવથી છાની રહી નહિ.એને બીક લાગી કે –મારા દુશ્મન બનેલા મારા ભાઈ વાલીએ,મારો નાશ કરવા તો આમને મોકલ્યા નહી હોયને? કદાચ મારો વિશ્વાસ સંપાદન કરવા આવો સાધુવેશ તો ધારણ નહી કર્યો હોયને? સુગ્રીવે પોતાના મનની આ શંકા પોતાના સાથીદારોને કહી.અને તે ભયનો માર્યો ધ્રુજી ઉઠયો.

Dec 13, 2021

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-010


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૨

ભક્તિ એ પ્રેમ અને સેવા વગર સફળ થતી નથી.પ્રેમમાં એવી શક્તિ છે કે,
નિરાકાર.એ સાકાર બને છે.પ્રેમ કરવા લાયક એક ઈશ્વર જ છે,
અને ઈશ્વર જીવ પાસેથી માત્ર પ્રેમ જ માગે છે.
સંતો કહે છે કે-ઈશ્વર સાથે ખૂબ પ્રેમ કરો.ઈશ્વરની સેવા કરતાં,હૃદય પીગળે,
અને આંખમાંથી આંસુ વહે,તો માનજો કે ઈશ્વરની સાચી સેવા કરી.

Dec 12, 2021

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-009


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૧

આપણા થઇ ગયેલા ઋષિ-મુનિઓએ કોઈને છેતરવા શાસ્ત્રો લખ્યાં નથી. તેઓ તો નિસ્વાર્થી હતા.તેમના દિલમાં માત્ર એક જ આકાંક્ષા –ઈચ્છા હતી –અને તે પરોપકારની,માનવ સેવાની.એટલે એમણે જે શાસ્ત્રોમાં કહ્યું તે ખોટું નથી.આપણી બુદ્ધિમાં કોઈ વાત ઉતરે નહિ તો એનો અર્થ એ નથી કે –તે વાત ખોટી છે.
સાચી વાત તો એ છે કે આપણી બુદ્ધિ સીમિત છે જયારે ઋષિમુનિઓની બુદ્ધિ વિશાળ હતી.આપણને ના સમજાય તેવું ઘણું-બધું એ વિશાળ બુદ્ધિને સમજાણું છે,તેનો અનુભવ કર્યો છે,અને લખ્યું છે.એટલે આપણા ઋષિ-મુનિઓની વાતમાં શંકા કરવા જેવું નથી.