Jun 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-197

 
અધ્યાય-૨૨૦-સુભદ્રાહરણ અને બલરામનો ક્રોધ 

II वैशंपायन उवाच II ततः संवादिते तस्मिन्ननुज्ञातो धनंजयः I गतां रैवतके कन्यां विदित्वा जनमेजय II १ II

વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,અર્જુને યુધિષ્ઠિરની સંમતિ જાણીને અને તે કન્યા રૈવતક પર્વત ગઈ છે,

એમ પણ જયારે તેણે જાણ્યું ત્યારે ,તે શ્રીકૃષ્ણ પાસે ગયો,અને પોતાના ધારેલા કાર્યની યોજના તેમને 

સમજાવી ને તેમની અનુજ્ઞા મેળવી.ને આમ,કૃષ્ણનો મત મેળવીને તેણે પ્રયાણ આદર્યું.(1-2)

May 31, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-196

 
સુભદ્રાહરણ પર્વ 

અધ્યાય-૨૧૯-અર્જુનને સુભદ્રાનું આકર્ષણ 

II वैशंपायन उवाच II ततः कतिपयाहस्य तस्मिन् रैवतके गिरौ I वृष्णयंधकानमवदुत्सवो नृपसत्तम II १ II

વૈશંપાયન બોલ્યા-હે શ્રેષ્ઠ રાજા,કેટલાક દિવસો પછી,તે રૈવતક પર્વત પર વૃષ્ણીઓ તથા અંધકોનો એક ઉત્સવ થયો.ત્યાં બ્રાહ્મણોને ઘણાં દાન અપાયાં.તે પર્વતની આજુબાજુએ રત્નસુશોભિત અનેક ભવનો ને વૃક્ષો હતાં.

ત્યાં વાદકો,વાજીંત્રો વગાડતા હતા,નર્તકો નૃત્ય કરતા હતા,ને ગાયકો ગાન ગાતા હતા.ઓજસ્વી વૃષ્ણીકુમારો,અલંકારોથી વિભૂષિત થઈને,સુવર્ણ ચિત્રવાળાં વાહનોમાં બેસીને સર્વ બાજુએ ફરતા હતા.

નગરજનો પણ પોતાની સ્ત્રીઓ ને પરિવારો સાથે વાહનોમાં કે પગપાળા ફરી રહ્યા હતા.(1-6)

May 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-195

અધ્યાય-૨૧૮-અર્જુનનું દ્વારકામાં આગમન 

II वैशंपायन उवाच II सोSपरांतेपु तीर्थानि पुण्यान्यायतनानि च I सर्वाण्येवानुपूर्व्येण जगामामितविक्रम II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,તે અમાપ પરાક્રમી અર્જુન,પશ્ચિમ સમુદ્રને તીરે આવેલાં સર્વ તીર્થો ને પુણ્યસ્થાનોમાં ક્રમપૂર્વક ફરતાં ફરતાં તે પ્રભાસતીર્થે આવ્યો.મધુસુદન શ્રીકૃષ્ણે,જયારે સાંભળ્યું કે-અર્જુન પ્રભાસતીર્થ આવ્યો છે ત્યારે તે અર્જુનને મળવા આવ્યા ને અર્જુનને મળીને,ભેટીને પરસ્પર કુશળ પૂછીને,તે બે મિત્રો તે વનમાં બેઠા.

વાસુદેવે અર્જુનને,તેના પ્રવાસનું કારણ પૂછ્યું ત્યારે અર્જુને સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યો.

તે સાંભળીને શ્રીકૃષ્ણ બોલ્યા કે-'તેં કર્યું તે બરાબર જ છે ને એમ જ થવું જોઈએ' (1-7)

May 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-194

 
અધ્યાય-૨૧૬-વર્ગા અપ્સરાની શાપમુક્તિ 

II वैशंपायन उवाच II ततः समुद्रे तीर्थानि दक्षिणे भरतर्पम: I अभ्यगच्छत्सुपुण्यामि शोभितानि तपस्विमिः II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ભારતવંશમાં શ્રેષ્ઠ એવો તે અર્જુન,તપસ્વીઓથી શોભતા દક્ષિણ સમુદ્ર પરનાં પુણ્યતીર્થોમાં ગયો.ત્યાં અગસ્ત્ય,સૌભદ્ર,પૌલોમ,કારંધમ,ને ભારદ્વાજ નામના પાંચ તીર્થોનાં તેણે દર્શન કર્યાં.

જો કે આ તીર્થો તપસ્વીઓથી ત્યજાયેલાં હતાં,એટલે અર્જુને ત્યાં હાજર રહેલ કોઈ સાધુને પૂછ્યું કે-

'હે બ્રહ્મવાદી,તપસ્વીઓ આ તીર્થનો ત્યાગ કેમ કરે છે?' ત્યારે તેણે કહ્યું કે-આ તીર્થોમાં પાંચ મોટા મગરમચ્છો 

રહે છે અને તે તપસ્વીઓને ખેંચી જાય છે એટલે તપસ્વીઓ આ તીર્થમાં રહેતા નથી' (1-6)

May 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-193

 
અધ્યાય-૨૧૫-અર્જુનનાં ચિત્રાંગદા સાથે લગ્ન 

II वैशंपायन उवाच II कथयित्वा च तत्सर्वं ब्राह्मणेभ्य: स भारत I प्रपयौ हिमवत्पार्श्वं ततो वज्रधरात्मजः II १ II

વૈશંપાયન બોલ્યા-અર્જુને તે બધી વાત બ્રાહ્મણોને કહી સંભળાવી અને પછી,ત્યાં અગસ્ત્ય વટ આગળ જઈને વસિષ્ઠ પર્વત પર ગયો ને ભૃગુતુંગ (તુંગનાથ)માં જઈ પહોંચ્યો.હિરણ્યતીર્થમાં સ્નાન કરીને,તેણે અનેક પુણ્યસ્થાનોનાં દર્શન કર્યા ને પછી બ્રાહ્મણોની સાથે તે ,એ સ્થાનોમાંથી નીચે ઉતરી પૂર્વ તરફ ચાલ્યો.

ને તેણે નૈમિષારણ્ય તરફ વહેતી ઉત્પલીની,નંદા,અપરનંદા,યશસ્વિની,કૌશિકી.મહાનદી-આદિનાં દર્શન કર્યા.

આમ સર્વ તીર્થો તથા આશ્રમોના દર્શન કરીને તેણે બ્રાહ્મણોને ગાયોનું દાન આપ્યું.(1-8)

May 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-192

અધ્યાય-૨૧૪-અર્જુન અને ઉલૂપીનો મેળાપ 


II वैशंपायन उवाच II तं प्रयान्तं महाबाहु कौरवाणां यशस्करं I अनुजग्मुर्महात्मानो ब्राह्मणा वेदपारगा II १ II

વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,કૌરવ વંશનો યશ વધારવાવાળો અર્જુન જયારે ત્યાંથી જવા લાગ્યો ત્યારે,

તેની સાથે વેદજ્ઞ મહાત્મા બ્રાહ્મણો પણ તેની સાથે જવા લાગ્યા.વળી,આધ્યાત્મચિંતન કરવાવાળા,ભિક્ષાચારી બ્રહ્મચારી,ભગવદ્ભક્ત,પુરાણોના જ્ઞાતા સૂત,કથાવાચક,સન્યાસી,વાનપ્રસ્થ વગેરે પણ તેની સાથે ગયા.(1-3)

May 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-191

 

અધ્યાય-૨૧૨-સુંદ-ઉપસુંદનું મૃત્યુ 


II नारद उवाच II जित्वा तु पृथिवीं दैत्यो निःसप्तनौ गतव्यथौ I कृत्वा त्रैलोक्यमव्यग्नं कृतकृत्यो बभूवतुः II १ II

નારદ બોલ્યા-સમસ્ત પૃથ્વીને જીતી લઈને,ને ત્રણે લોકને એકસરખાં હથેળીમાં લઈને,તે બંને દૈત્યો શત્રુરહિત અને ચિંતામુક્ત થયા ને પોતાને કૃતાર્થ માનવા લાગ્યા.દેવો,ગંધર્વો,યક્ષો,નાગો,રાજાઓ ને રાક્ષસો પાસેથી સર્વ રત્નો પોતાને ત્યાં લાવીને તેઓ પરમ સંતોષ પામતા હતા.હવે કોઈ પણ તેમને વ્યથા કરનારો રહ્યો નહોતો એટલે તે બંને  નિરઉદ્યોગી રહી દેવોની જેમ વિહરવા લાગ્યા.સ્ત્રીઓ,ફુલમાળાઓ,સુગંધી દ્રવ્યો,પુષ્કળ ભક્ષ્યો-ને ભોજ્યો તથા 

મનગમતાં પીણાઓથી તેઓ પરમ પ્રીતિ મેળવતા હતા.ને દેવોની જેમ જ ઉદ્યાનોમાં,પર્વતોમાં,વનોમાં તથા ઈચ્છા પ્રમાણે અનેક જુદા જુદા પ્રદેશોમાં મનમાન્યો વિહાર કરતા હતા.(1-5)

May 25, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-190

અધ્યાય-૨૧૧-તિલોત્તમાનું નિર્માણ 


II नारद उवाच II ततो देवपर्य: सर्वे सिध्धाश्च् परमर्पय: I जग्मुस्तदा परामार्ति द्रष्ट्वा तस्कदनं महत् II १ II

નારદ બોલ્યા-આવો મહાસંહાર થતો જોઈને સર્વે દેવર્ષિઓ,સિદ્ધો,તથા પરમઋષિઓ પરમ દુઃખ પામ્યા.

ને જગત પર કૃપા કરવાની યાચના કરવા તેઓ પિતામહ બ્રહ્મા પાસે ગયા.ને દીન થઈને,તેઓએ,બ્રહ્માને,

સુંદ-ઉપસુંદનુ સર્વ કાર્ય,સંપૂર્ણ રીતે કહી સંભળાવ્યું.ને સહાય કરવાની પ્રાર્થના કરી.એટલે તેમનાં વચન સાંભળીને,પિતામહે થોડીવાર વિચાર કરીને,નિશ્ચય કર્યો ને તેમણે વિશ્વકર્માને બોલાવ્યા.(1-10)

May 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-189

 
અધ્યાય-૨૧૦-સુંદ અને ઉપસુંદનો દિગ્વિજય 

II नारद उवाच II उत्सवे वृत्तमात्रे तु त्रिलोक्याकांक्षिणावुमौ I मंत्रयित्वा ततः सेनां तावाज्ञापयातां तदा II १ II

નારદ બોલ્યા-જયારે ઉત્સવ પૂરો થયો,ત્યારે ત્રણે લોક પર વિજય મેળવવા ઇચ્છતા તે બંનેએ મંત્રણા કરીને સૈન્યને આજ્ઞા આપી.મિત્રો,વૃદ્ધ દૈત્યો અને મંત્રીઓની રાજા લઈને,તથા પ્રયાણ માટેનાં મંગલ કાર્યો કરીને તેઓએ રાત્રે મઘા નક્ષત્રમાં,પોતાની મહાન દૈત્ય સેના સાથે પ્રયાણ આદર્યું.ચારણો,વિજયસૂચક મંગળ સ્તુતિઓથી તેમની પ્રશંસા કરતા હતા,અને તેઓ ઘણા પ્રસન્ન થઈને આગળ વધતા હતા.(1-4)

May 23, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-188

 
અધ્યાય-૨૦૯-સુંદ અને ઉપસુંદનું આખ્યાન 

II नारद उवाच II शृणु मे विस्तरेणे ममितिहासं पुरातनम् I भ्रात्रुति: सहितः पार्थ यथावृतं युधिष्ठिर II १ II

નારદ બોલ્યા-હે યુધિષ્ઠિર,પૂર્વે,મહાન અસુર હિરણ્યકશિપુના વંશમાં,નિકુંભ નામે એક બળવાન રાક્ષસ થયો હતો,

તેને સુંદ અને ઉપસુંદ નામના બે,બળવાન ને ક્રૂર માનસવાળા,દૈત્યોના ઇન્દ્ર સરખા પુત્રો હતા.

તે બંને એક જ નિશ્ચયવાળા,એક જ કાર્યવાળા,એક જ પ્રયોજનવાળા,અને સુખદુઃખમાં સદૈવ સાથે વર્તનારા હતા.

તેઓ એકબીજા વિના જમતા નહોતા અને એકબીજાનું પ્રિય કરતા હતા.તેઓ એક જ જાતના સ્વભાવવાળા અને આચરણવાળા હતા,જાણે કે એક જ ખોળિયામાં બે જીવ હોય,તેવા તે હતા.(1-6)

May 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-187

અધ્યાય-૨૦૮-યુધિષ્ઠિર અને નારદનો સંવાદ 


II जनमेजय उवाच II एवं संप्राप्यं राज्यं तदिन्द्रप्रस्थं तपोधन I अत ऊर्ध्व महात्मनः किमकुर्वत पाण्डवाः II १ II

જન્મેજય બોલ્યા-હે તપોધન,આમ,ઈંદ્રપ્રસ્થનું રાજ્ય મેળવ્યા પછી,મારા પૂર્વજ એવા,તે પાંડવોએ શું કર્યું?

તેમની ધર્મપત્ની દ્રૌપદી તેમની સાથે કેવી રીતે વર્તતી હતી? તે પાંચે પાંડવો એક પત્ની સાથે સંબંધ રાખતા હતા,છતાં,તેમનામાં પરસ્પર ભેદ કેમ પડ્યો નહિ? તેમની ચેષ્ટાઓને હું સાંભળવા ઈચ્છું છું (1-4)

May 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-186

 
રાજ્યલંભ પર્વ 

અધ્યાય-૨૦૭-ઈંદ્રપ્રસ્થનું નિર્માણ 

II द्रुपद उवाच II एवमेतन्ममहाप्राज्ञ यथास्थ विदुराद्य माम् I ममापि परमो हर्षः संबन्धेSस्मिन् कृते प्रभो II १ II

દ્રુપદ બોલ્યો-હે મહામતિ વિદુર,તમે આજે જે મને કહો છો તે તેમ જ છે.આ સંબંધ થવાથી મને પણ પરમહર્ષ 

થયો છે.આ મહાત્માઓને પોતાના નગર હસ્તિનાપુર જવું એ ઘણું યોગ્ય છે.પણ હું મારા મુખથી 

એ કહું તે ઉચિત નથી.કેમ કે ધર્મજ્ઞ બલરામ અને શ્રીકૃષ્ણની પણ સલાહ ને આજ્ઞા લેવી યોગ્ય છે,

કેમ કે તેઓ પાંડવોના હિતમાં તત્પર છે,તેઓ પણ અનુમતિ આપે તો તેઓ ભલે જાય.(1-4)

May 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-185

અધ્યાય-૨૦૬-વિદુર અને દ્રુપદનો સંવાદ 

II धृतराष्ट्र उवाच II भीष्मः शांतन्वो विद्वान द्रोणश्च भगवानृपि: हितं च परमं वाक्यं त्वं च सत्यं ब्रवीपि माम् II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-વિદ્વાન શાંતનુપુત્ર ભીષ્મે તથા ભગવાન દ્રોણે જે વચન મને કહ્યું છે તે પરમહિતકારી છે.

હે વિદુર,તું પણ મને સત્ય કહે છે,પાંડુના પુત્રો,પણ નિઃસંશય ધર્મથી મારા પુત્રો છે.

જેમ,મારા પુત્રો આ રાજ્યના અધિકારી છે તેમ,પાંડુપુત્રો પણ તેના અધિકારી છે.

હે વિદુર તું જા,તે પાંડવોને તેમની માતાને તથા કૃષ્ણાને અહીં સત્કારપૂર્વક લઇ આવ.

May 19, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-184

અધ્યાય-૨૦૫-વિદુરનો ઉપદેશ 

II विदुर उवाच II राजन्निःसंशयं श्रेयो वाच्यस्त्वमासि बान्धवैः I नत्वशुश्रुषमाणे वै वाक्यं संप्रतितिष्ठति II १ II

વિદુર બોલ્યા-હે મહારાજ,નિઃસંશય,બાંધવોએ (મારે) તમને હિતકારી વચન કહેવાં જોઈએ.પણ જો તે તમે નહિ સાંભળો,તો તે જોઈ ઉપયોગમાં આવે નહિ.ભીષ્મે અને દ્રોણે,હિતકારી વચનો કહ્યાં છે,પણ કર્ણ તેને હિતકારી હોવાનું માનતો નથી.હે રાજન,વિચાર કરવા છતાં,મને એ સમજાતું નથી કે-આ બે પુરુષસિંહો કરતાં,તમારે બીજો તો કયો શ્રેષ્ઠ મિત્ર છે ? અથવા તો તેમનાથી બુદ્ધિમાં બીજો કોણ અધિક હોઈ શકે છે? હે રાજા,આ બંને,વયમાં,બુદ્ધિમાં ને વિદ્યામાં વૃદ્ધ છે ને તમારા ને પાંડવોમાં તેમનો સમભાવ છે.(1-5)

May 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-183

 
અધ્યાય-૨૦૩-ભીષ્મનો ઉપદેશ 

II भीष्म उवाच II न रोचते विग्रहो मे पाण्डुपुत्रैः कथंचन I यथैव धृतराष्ट्रो मे तथा पाण्डुरसंशयम् II १ II

ભીષ્મ બોલ્યા-પાંડુપુત્રો સાથે મને કોઈ પણ રીતે વિગ્રહ રુચતો નથી.જેમ,ધૃતરાષ્ટ્ર મારો છે,તેમ પાંડુ પણ મારો છે.

જેમ,ગાંધારીપુત્રો મારા છે તેમ,કુંતીપુત્રો પણ મારા છે.મારે તે બંનેને રક્ષવાના છે.હે રાજા,તેઓ જેમ મારા છે તેમ,તેઓ તારા,દુર્યોધનના અને અન્ય કુરુઓના છે.ને તેથી જ તેમની સાથે વિગ્રહ કરવો યોગ્ય નથી.

તે વીરો સાથે સંધિ કરીને તેમને અડધું રાજ્ય આપો કેમ કે આ રાજ્ય તેમના પણ બાપદાદાઓનું છે.