જયારે નેત્રની કીકીઓ (પડળ-આદિ દોષો) ન હોય ત્યારે જ,અત્યંત સ્વચ્છ (નવીન રત્ન જેવી) હોય છે.પણ પછી તેઓમાં ઘડો-આદિ પદાર્થોના પ્રતિબિંબ સહિત-ચિત્તની વૃત્તિ,પેસે છે.
આવી રીતે નેત્રની કીકીઓ દ્વારા અંદર પેઠેલો પ્રતિબિંબ-રૂપ-પદાર્થનો
"હું છું" એવા અભિમાન-વાળા જીવની સાથે સંયોગ થાય છે.
આમ,ઘડો-આદિ બાહ્ય પદાર્થો બહાર દેખાય છે-
તે છતાં હૃદયમાં અહંકાર ધરાવનાર જીવના જાણવામાં આવે છે.