હવે ધૌમ્યનો ત્રીજો,વેદ નામે જે શિષ્ય હતો,તેને ગુરુએ આજ્ઞા આપી,કે 'તું અહીં થોડો વખત મારા ઘરમાં રહે અને સેવા કર,તારું કલ્યાણ થશે' 'બહુ સારું' એમ કહીને તે વેદ,લાંબા વખત સુધી ગુરુની સેવામાં રહ્યો,ગુરુએ તેને બળદની જેમ કામમાં જોતરી રાખ્યો,પણ ટાઢ-તડકો,ભૂખ-તરસ-આદિ સર્વ દુઃખો સહન કરીને તે સેવા કરતો રહ્યો,એટલે ગુરુ તેના પર પ્રસન્ન થયા અને તેનું કલ્યાણ થયું ને તેને સર્વજ્ઞતા મળી.ગુરુ દ્વારા,આ શિષ્ય 'વેદ'ની કસોટી હતી.પછી,ગુરુની આજ્ઞાથી તેણે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો (74-80)
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Nov 13, 2022
Nov 12, 2022
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-013
પૌષ્ય-પર્વ
અધ્યાય-૩-જન્મેજયને સરમાનો શાપ-ધૌમ્યના શિષ્યોની કથા-ઉત્તંક તથા પૌષ્યનું ચરિત્ર
II सौतिरुवाच II जनमेजयः पारिक्षितः सहभ्रात्रुभि: कुरुक्षेत्रे दीर्घसत्रमुपास्ते II
तस्य भ्रातरस्त्रः श्रुतसेन उग्र्सेनो भीमसेन इति II तेषु तत्सत्रमुपासीनेष्वागच्छ्त्सारमेयः II १ II
સૂતજી (સૌતિ કે સૂતપુત્ર) બોલ્યા-પરીક્ષિતપુત્ર જન્મેજયે પોતાના ભાઈઓની સાથે,
કુરુક્ષેત્રમાં દીર્ઘ સત્રનું અનુષ્ઠાન કર્યું.તેમાં શ્રુતસેન,ઉગ્રસેન અને ભીમસેન એ ત્રણ ભાઈઓ બેઠા હતા,
ત્યારે એક કૂતરો ત્યાં આવી પહોંચ્યો,જન્મેજયના ભાઈઓએ તેને મારીને ત્યાંથી હટાવ્યો,
એટલે તે કૂતરો રડતો રડતો તેની માતા (સરમા) પાસે ગયો.માતાએ તેને રોવાનું કારણ પૂછ્યું,
તો તેણે કહ્યું કે-'જન્મેજયના ભાઈઓએ તેને માર્યો છે' માતાએ કહ્યું કે-'તેં કંઈ અપરાધ કર્યો હશે'
ત્યારે કૂતરાએ કહ્યું કે-મેં કશો દોષ કર્યો નથી,યજ્ઞના પદાર્થોને મેં જોયા સરખોયે નથી કે તેને ચાટ્યા પણ નથી'
Nov 11, 2022
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-012
(12) શાંતિ પર્વ (નોંધ-આ શાંતિપર્વમાં -329-અધ્યાયો અને -14729-શ્લોકોનું કીર્તન કર્યું છે)
જ્ઞાની વૃદ્ધિ કરનારું,જ્ઞાનીઓને પ્રિય આ શાંતિ પર્વ છે,જેમાં,યુધિષ્ઠિરને,સગાં-સંબંધીઓનો ઘાત કરવાને લીધે,ગ્લાનિ થાય છે,ત્યારે બાણ-શૈયા પાર સુતેલા ભીષ્મ,તેમને રાજધર્મ કહી સંભળાવે છે,વળી આપદધર્મ અને મોક્ષધર્મ વિષે પણ બહુ વિસ્તૃતતાથી 329-અધ્યાયોમાં વર્ણન કરવાં આવ્યું છે.(325-330)
Nov 10, 2022
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-011
(6) ભીષ્મ પર્વ- (નોંધ-ભીષ્મ-પર્વમાં -117-અધ્યાયો અને -5884-શ્લોકોનું કીર્તન કર્યું છે)
આ પર્વમાં સંજયે જંબુખંડની કથા કહી છે,શ્રીકૃષ્ણ,યુદ્ધની શરૂઆતમાં થયેલો અર્જુનનો મોહ દૂર કરવા
ગીતાનું જ્ઞાન તેને આપે છે.ભીષ્મના આકરા યુદ્ધથી,ને અર્જુનની તેમને નહિ મારવાની ઈચ્છાથી,કંટાળીને,
શ્રીકૃષ્ણે પોતે હથિયાર હાથમાં નહિ લેવાની પ્રતિજ્ઞા તોડીને,ભીષ્મને મારવા જાય છે,તે અહીં વર્ણવ્યું છે.
પછી શિખંડીને યુદ્ધમાં આગળ કરીને,ભીષ્મ પર,અર્જુન બાણોની વર્ષા કરે છે,ને ભીષ્મને રથમાંથી નીચે પાડે છે,
ને ભીષ્મ બાણ-પથારીએ સુએ છે,આ પર્વમાં 117-અધ્યાયો કહ્યા છે.
(નોંધ-શ્રીમદ્દ ભગવદ્ ગીતા,આ ભીષ્મપર્વમાંથી લેવામાં આવેલી છે-અનિલ)
Nov 9, 2022
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-010
પછી,સુકન્યા,ચ્યવન મુનિ,માંધાતા,જનતું,સોમક,શ્યેન કપોત,શિબિરાજા વગેરેનાં આખ્યાનો કહ્યાં છે,
ત્યાર બાદ,અષ્ટાવક્રનું ઉપાખ્યાન આવે છે,તેમાં નૈયાયિકોમાં મુખ્ય વરુણપુત્ર બંદી સાથે,જનકરાજાના દરબારમાં,
અષ્ટાવક્ર વિવાદ કરે છે,જેમાં બંદી ની હાર થાય છે,વિજય પછી,અષ્ટાવક્ર,સાગરમાં ડૂબેલા પિતાને પાછા મેળવે છે.
પછી,પાંડવોની ગંધમાદન પર્વત યાત્ર અને નારાયણાશ્રમમાં તેમના વાસ વિષે કહેલ છે.
ગંધમાદન પર્વત ઉપર દ્રૌપદી ભીમસેનને સૌગન્ધિક કમળ લાવી આપવા કહે છે,ત્યારે તે લેવા જતાં,
ભીમને હનુમાનનાં દર્શન થાય છે,તેનું વર્ણન કરેલ છે.(170-178)




