અધ્યાય-૧૫૦-હનુમાનનું પૂર્વરૂપ
II भीमसेन उवाच II पूर्वरूपंद्रष्टा ते न यास्यामि कथंचन I यदि तेऽहमनुग्राह्यो दर्शयात्मानत्मना II १ II
ભીમસેન બોલ્યા-હું તમારું પૂર્વરૂપ જોયા વિના કોઈ રીતે જવાનો નથી,
તમારી મારા પર કૃપા જ હોય તો મને તમારું પૂર્વસ્વરૂપ બતાવો
વૈશંપાયન બોલ્યા-ભીમે આમ કહ્યું એટલે કપીશ્વર હનુમાને સ્મિત કરીને સાગર ઓળંગતી વખતે તેમણે
જે રૂપ ધારણ કર્યું હતું તે બતાવ્યું,ને તેમણે પોતાના શરીરને વિસ્તાર્યું.ત્યારે તેમનો દેહ અતિ લાંબો,પહોળો
વિસ્તાર પામીને તે રૂપ વડે કદલીવનને ઢાંકી દીધું.અને ઊંચાઈમાં પર્વતને પણ ઢાંકીને ઉભા રહ્યા.(4)




