Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Mar 28, 2024
માયાધામ-By અનિલ શુક્લ
'એ' ને ખોળવો,એય ભ્રાંતિ નથી શું ભલા?
સમજાય છે એ 'એ' ખુદમાં મળી ગયા બાદ.
પ્રભુ,તેમનું દિલ બદલ કે પછી મારી વાણી,
હજાર કહું પણ ના સમજી શકે તે મારી વાત.
સર્વસ્થાને જે, તે રહે કેમ કોઈ એક સ્થાને?
સર્વનામ જેના તેનું ક્યાંથી હોય એક નામ?
બિંબ-પ્રતિબિંબ થયું,માયાની આ માયાજાળ,
હદ નહોતી,પણ સરહદ બની,બન્યું માયાધામ.
અનિલ
ડીસેમ્બર-૧૭-૨૦૧૮
comments? OR you want to publish your poetery? or any article?
email me-anamiyogi@gmail.com
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-469
માર્કંડેય સમાસ્યા પર્વ
અધ્યાય-૧૮૨-વર્ષા ને શરદઋતુનું વર્ણન
II वैशंपायन उवाच II निदाघांतकरः कालः सर्वभूतसुखावहः I तत्रैव वसतां तेषां प्रावृद सममिषद्यत II १ II
વૈશંપાયન બોલ્યા-તે પાંડવો ત્યાં રહેતા હતા,ત્યારે પ્રાણીમાત્રને સુખ આપનારો તથા ઉનાળાના ઉકળાટને સમાવનારો વર્ષાકાળ આવ્યો.ત્યારે મહાગર્જના કરતાં વાદળોએ આકાશ તથા દિશાઓને છાઈ દીધાં હતાં.અને કાળાં વાદળો રાતદિવસ વરસી રહ્યાં હતાં.ધરતી પર ઘાસ ઉગી આવ્યું હતું ને તેમાં સર્પો ને જીવડાં ઘૂમતાં હતાં.
Mar 27, 2024
આત્મારામ-By અનિલ શુક્લ
ઝુકાવી દીધું શિર તો પછી તેને પાછું ઉઠાવવું શું?
મળી બેહોશી પરમપ્રેમની તો હોશમાં આવવું શું?
ડૂબ્યા પ્રાર્થનામાં તો પછી કરવી હવે પ્રાર્થના શું?
આશકી પરમપ્રેમની મળી તો બીજી વાતો શું?
જીવનની ઉપર ઉઠી ગયા પછી નીચા જવાનું શું?
અમર્યાદ થયું જીવન તો જીવનની મર્યાદાઓનું શું?
સરનામું છે,ખબર પણ છે તો પછી તેને ખોળવો શું?
જ્યાં છે 'તે' ત્યાં ખોળે નહિ તો 'તે' મળી જાય શું?
સ્તબ્ધતા છે,બંધ વાણી છે,અજબ આલમ થઇ ગયું,
રામ,આત્મારામ થયો,જિંદગી રહે ના રહે, ફેર શું?
અનિલ
ડીસેમ્બર-૨૧-૨૦૧૮
comments? OR you want to publish your poetery? or any article?
email me-anamiyogi@gmail.com
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-468
અધ્યાય-૧૮૧-ભીમનો છુટકારો
II युधिष्ठिर उवाच II भवानेताद्शो लोकं वेदवेदांIगपारगः I ब्रूहि किं कुर्वतः कर्म भवेद्वतिरनुत्तमा I १ II
યુધિષ્ઠિર બોલ્યા-તમે આવી યોનિમાં છો,તો પણ વેદ અને વેદાંગમાં પારંગત છો,
તો કહો,શું કરવાથી મનુષ્યને ઉત્તમ ગતિ મળે?
સર્પ બોલ્યો-હે ભારત,સુપાત્રે દાન આપ્યાથી,પ્રિય વચનો કહેવાથી,સત્ય બોલવાથી
અને અહિંસા-ધર્મમાં તત્પર રહેવાથી મનુષ્ય સ્વર્ગે જાય છે એવું મારુ માનવું છે.
Mar 26, 2024
નિર્વિચાર-By અનિલ શુક્લ
ધર્મશાળા કહો કે કેદખાનું- તે ઘરને,સ્થાયી થઇ ત્યાં કોઈ રહી ના શકે,
કરવટો બદલો ગમે તેટલી પણ શાંતિની નીંદ ત્યાં કેમે કરી મળી શકે?
રણમાં બનાવી ઘર કે જંગલોમાં જઈ-જેને ખોળવાની તમન્નાઓ હતી,
એક દિ' છોડવું પડશે-વિચાર્યું એમ -તો 'એ' પાસમાં જ બેઠેલો હતો.
ખોળતા હતા જે નયન,'તે'ને ચોતરફ,તે જ નયનોમાં જ 'તે' બેઠેલો હતો.
વિચાર કરીને 'તે' ને કહેવો કેવી રીતે? નિર્વિચાર અવસ્થામાં 'તે' મળ્યો હતો.
અનિલ
ફેબ્રુઆરી,૨,૨૦૧૯
comments? OR you want to publish your poetery? or any article?
email me-anamiyogi@gmail.com
Subscribe to:
Posts (Atom)




