અધ્યાય-૧૭૨-પાંડવોના રથી-અતિરથી (ચાલુ)
II भीष्म उवाच II रोचमानो महाराज पांडवाना महारथः I योत्स्यते भरव्त्संख्ये परसैन्येषु भारत II १ II
ભીષ્મે કહ્યું-હે ભારત,પાંડવોના પક્ષમાં રોચમાન રાજા મહારથી છે.ભીમસેનનો મામો પુરુજિત મહાબળવાન છે ને તેને હું અતિરથી માનું છું.ભીમસેનનો હિડિમ્બામાં ઉત્પન્ન થયેલો માયાવી ઘટોત્કચ અતિરથી છે.બીજા અનેક દેશના રાજાઓ પાંડવોને માટે એકત્રિત થયા છે તેમાં આ મુખ્ય મુખ્ય રથી-અતિરથી ને અર્ધ રથીઓ તને મેં કહ્યા.અર્જુને રક્ષણ કરેલી આ ભયંકર સેના સંગ્રામમાં આવશે તેની સામે રણમાં જયની અથવા મૃત્યુની આકાંક્ષા રાખતો હું તે રાજાઓની સામે યુદ્ધ કરીશ,





