અધ્યાય-૧૭૬-હોત્રવાહન અને અંબાનો સંવાદ
II भीष्म उवाच II ततस्ते तापसाः सर्वे कार्यवंतोभवंस्तदा I तां कन्यां चितयंतस्ते किं कार्यमिति धर्मिणः II १ II
ભીષ્મે કહ્યું-તે પછી સર્વ ધર્મિષ્ઠ તપસ્વીઓ 'તે કન્યા માટે શું કરવું?' તેનો વિચાર કરવા લાગ્યા.કેટલાએકે કહ્યું-'એ કન્યાને એના બાપને ઘેર લઇ જાઓ' કેટલાએકે મને ઠપકો આપવાનો વિચાર જણાવ્યો.કેટલાએકે શાલ્વને સોંપી દેવાનું કહ્યું.આ પ્રમાણે મતભેદ થયો ત્યારે તપસ્વીઓએ ફરીથી અંબાને કહ્યું કે-'હે રાજપુત્રી તું સુકુમાર ને કુંવારી છે,તેથી આ સંન્યાસમાર્ગ દુઃખદાયક થશે.આ નિર્જન ગહન વનમાં તને એકલી જોઈને રાજાઓ તારી માગણી કરશે,માટે તું વનમાં રહેવાનો વિચાર માંડી વાળ.'
તેમ છતાં અંબા તેના તપ કરવાના નિશ્ચય પર અટલ રહી.