અધ્યાય-૧૭૭-અંબા અને પરશુરામનો સંવાદ
II अकृतव्रण उवाच II दुःखद्रयमिहं भद्रे कतस्य चित्तर्षसि I प्रतिकर्तव्यमचसे तत्वं वत्से वदस्व मे II १ II
અકૃતવણે કહ્યું-હે કલ્યાણી,હમણાં તને બે દુઃખ છે,તેમાંથી તું કયા દુઃખનો ઉપાય ઈચ્છે છે તે તું મને કહે.જો શાલ્વ તારી સાથે લગ્ન કરે તેવી તારી ઈચ્છા હોય તો પરશુરામ તેને તેવી આજ્ઞા તેને કરશે અને જો ભીષ્મને રણમાં હારેલા જોવા ઇચ્છતી હશે તો પણ ભૃગુવંશી રામ તેમ કરે તેમ છે,માટે તેનો તારે આજે જ વિચાર કરવા યોગ્ય છે.