અધ્યાય-૧૯૧-શિખંડીને સ્થૂણાકર્ણ યક્ષનો સમાગમ
II भीष्म उवाच II ततः शिखण्डिनो माता यथातत्वं नराधिप I आचचक्षे महाबाहो भर्त्रे कन्यां शिखण्डिनिं II १ II
ભીષ્મે કહ્યું-હે મહાબાહો,પછી,રાણીએ શિખંડીની ખરી વાત,પોતાના ભર્તાને જાહેરમાં કહી કે-'હે રાજા,મને પુત્ર ન હોવાથી,શોક્યોના ભયને લીધે આ શિખંડીની કન્યા હતી તો પણ તે પુરુષ છે એમ મેં જણાવ્યું હતું.હે રાજા તમે પણ મારા પર પ્રીતિને લીધે તે વાતને અનુમોદન આપ્યું હતું.'કન્યા અવતરીને તે પુરુષ થશે' એવા શંકરનાં વચન તરફ નજર રાખીને મેં આ સાહસ કર્યું હતું ને અનર્થની દરકાર કરી નહોતી પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.ને આ વાત દુઃખરૂપ થઇ છે.





