અધ્યાય-૧૪-ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન-ભીષ્મ કેવી રીતે હણાયા?
II धृतराष्ट्र उवाच II कथं करुणामृषभो हतो भीष्मः शिखण्डिना I कथं रथात्स न्यपतत्पिता मे वासवोपमः II १ II
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-કુરુકુળશ્રેષ્ઠ ભીષ્મ,શિખંડીના હાથે કેવી રીતે હણાયા?ઇન્દ્રસમાન પિતામહ રથમાંથી કેવી રીતે પડ્યા?
દેવતુલ્ય પરાક્રમી ભીષ્મથી રહિત થયેલા મારા યોદ્ધાઓની કેવી સ્થિતિ થઇ?તે જયારે હણાયા ત્યારે તારા મનની કેવી સ્થિતિ થઇ હતી? તેમને હણાયેલા સાંભળીને મારું મન મહાદુઃખમાં ડૂબી જાય છે.તે ભીષ્મ સાથે ને આગળ પાછળ તેમનું રક્ષણ કરતા કયા યોદ્ધાઓ ચાલતા હતા? શત્રુસેનાના કોણે તેમને ઘેરી લીધા હતા? તેં જે સર્વ જોયું તે મને કહે.