અધ્યાય-૬૯-પાંચમો દિવસ-મકર અને શ્યેન વ્યૂહ
॥ संजय उवाच ॥ व्युषितायां च शर्वर्या उदिते च दिवाकरे I उभे सेने महाराज युद्धायैव समीयतुः ॥१॥
સંજયે કહ્યું-રાત્રિ વીતી ગઈ અને પ્રભાતના સૂર્યનો ઉદય થતાં,બે સેનાઓ યુદ્ધ કરવા માટે સજ્જ થઈને ઉભી.તમારા દુષ્ટ વિચારના પરિણામથી તે વેળા પાંડવો ને કૌરવો સામસામા વ્યૂહરચના કરીને એકબીજા પર પ્રહાર કરવા તૈયાર થઇ રહ્યા.
ભીષ્મ,પોતાના મકરવ્યુહનું ચારે બાજુથી રક્ષણ કરતા હતા.ને મોટી રથીઓની સેનાથી વીંટાઇને આગળ નીકળી પડ્યા,યોગ્ય વિભાગમાં ઉભેલા રથીઓ,પાયદળો,હાથીઓ અને ઘોડેસ્વારો એકબીજાને અનુસરવા લાગ્યા.





