અધ્યાય-૧૧૯-દશમો દિવસ (ચાલુ) ભીષ્મ પડ્યા
॥ संजय उवाच ॥ एवं ते पांडवा सर्वे पुरस्कृत्य शिखंडीनम् I विव्यधुः समरे भीष्मं परिवार्य समंततः ॥१॥
સંજયે કહ્યું-એ પ્રમાણે સર્વ પાંડવ યોદ્ધાઓ શિખંડીને આગળ કરીને,ચારે બાજુથી ભીષ્મને ઘેરી લઈને બાણોથી વીંધતા હતા,ત્યારે ભીષ્મનું બખ્તર અનેક સ્થળેથી ભેદાઈ ગયું હતું.તેમનાં મર્મસ્થાનો ભેદાઈ જતાં હતા છતાં પણ તે વ્યથા પામ્યા ન હતા.ત્યાર પછી,દ્રુપદરાજ અને ધૃષ્ટકેતુને પણ નહિ ગણકારીને પિતામહ,પાંડવ સેનાના મધ્ય ભાગમાં આવી પહોંચ્યા.ત્યારે સાત્યકિ,ભીમસેન,અર્જુન,દ્રુપદ આદિ મહારથીઓએ તેમને તીક્ષ્ણ બાણોથી વીંધવા લાગ્યા.પણ સામે તે મહારથીઓને અસંખ્ય બાણો છોડીને ભીષ્મ તેમને પણ પીડવા લાગ્યા હતા.





