અધ્યાય-૧૨૧-અગીયારમો દિવસ-ભીષ્મનો દુર્યોધનને ઉપદેશ
॥ संजय उवाच ॥ वयुष्टायां तु महाराज शर्वर्या सर्वपार्थिवाः I पांडवा धार्तराष्टाश्च उपातिष्ठन पितमहम् ॥१॥
સંજયે કહ્યું-હે મહારાજ,રાત્રી વીતી ગયા પછી જયારે સવાર થયું ત્યારે પાંડવ-કૌરવ આદિ સર્વ રાજાઓ પુનઃ પિતામહ સામે આવીને ઉભા.કૌરવ અને પાંડવો યુદ્ધ કરવું પડતું મૂકીને કવચો તથા આયુધો ઉતારીને અન્યોન્ય તરફ પ્રેમવાળા થઈને પોતપોતાની યોગ્યતા પ્રમાણે અનુક્રમે સર્વે ભીષ્મની આસપાસ બેઠા.એ સમયે,બાણોથી વ્યાપ્ત થયેલા ભીષ્મ,પોતાને થતી વેદનાને ધૈર્યથી નિયમમાં રાખીને નિશ્વાસ મૂકીને સર્વ રાજાઓ સામે જોઈને બોલ્યા 'પાણી લાવો' ત્યારે સર્વ ક્ષત્રિયો દોડીને શીતળ જળના કળશો લઇ આવ્યા.પણ ભીષ્મે કહ્યું-'મારે અર્જુનને મળવાની ઈચ્છા છે'





