Dec 10, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1005

 

અધ્યાય-૧૨૧-અગીયારમો દિવસ-ભીષ્મનો દુર્યોધનને ઉપદેશ


॥ संजय उवाच ॥ वयुष्टायां तु महाराज शर्वर्या सर्वपार्थिवाः I पांडवा धार्तराष्टाश्च उपातिष्ठन पितमहम् ॥१॥

સંજયે કહ્યું-હે મહારાજ,રાત્રી વીતી ગયા પછી જયારે સવાર થયું ત્યારે પાંડવ-કૌરવ આદિ સર્વ રાજાઓ પુનઃ પિતામહ સામે આવીને ઉભા.કૌરવ અને પાંડવો યુદ્ધ કરવું પડતું મૂકીને કવચો તથા આયુધો ઉતારીને અન્યોન્ય તરફ પ્રેમવાળા થઈને પોતપોતાની યોગ્યતા પ્રમાણે અનુક્રમે સર્વે ભીષ્મની આસપાસ બેઠા.એ સમયે,બાણોથી વ્યાપ્ત થયેલા ભીષ્મ,પોતાને થતી વેદનાને ધૈર્યથી નિયમમાં રાખીને નિશ્વાસ મૂકીને સર્વ રાજાઓ સામે જોઈને બોલ્યા 'પાણી લાવો' ત્યારે સર્વ ક્ષત્રિયો દોડીને શીતળ જળના કળશો લઇ આવ્યા.પણ ભીષ્મે કહ્યું-'મારે અર્જુનને મળવાની ઈચ્છા છે'

Dec 9, 2025

ભાગવત રહસ્ય-૨૧-Bhgavat Rahasya-21

પિંડદાનનો સાચો અર્થ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.વિચાર કરતાં સમજાશે કે-
આ શરીરને પિંડ કહે છે,અને તે શરીરને પરમાત્માને અર્પણ કરવું તેણે પિંડદાન કહે છે.
શરીર-પિંડનો ઉપયોગ જે સત્કર્મમાં કરે છે તેને સદગતિ મળે છે. પણ શરીર-પિંડનો ઉપયોગ જે માત્ર પેટ ભરવામાં કરે તેની દુર્ગતિ થાય છે. આ શરીર ભોગ માટે નથી, ભક્તિ કરવા માટે છે.નિશ્ચય કરવો કે-મારું જીવન મેં ઈશ્વરને અર્પણ કર્યું છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1004

 

અધ્યાય-૧૨૦-દશમો દિવસ (ચાલુ) અર્જુને ભીષ્મને આપેલું ઉશીકું 


॥ धृतराष्ट्र उवाच ॥ कथमासस्तदा योधा हिन भीष्मेण संजय I बलिना देवकल्पेन गुर्वर्थे ब्रह्मचारिणा ॥१॥

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,પોતાના પિતા માટે બ્રહ્મચારી થયેલા,દેવ સરખા બળવાન એવા એ ભીષ્મ વિનાના થયેલા મારા યોદ્ધાઓની શી દશા થઇ? ભીષ્મે 'આ સ્ત્રી છે' એમ માનીને જયારે શિખંડી પર પ્રહાર ન કર્યો ત્યારે જ મેં માની લીધું કે કૌરવો,પાંડવોના હાથે માર્યા ગયા.અરેરે,અફસોસની વાત છે કે,આથી વધારે હું બીજું કયું દુઃખ માનું કે દુષ્ટ બુદ્ધિવાળો હું આજે મારા પિતાને મરણ પામેલા સાંભળું છું.અવશ્ય મારું હૃદય કેવળ લોખંડનું જ બનેલું છે કારણકે આજે મારા પિતા ભીષ્મને મુએલા સાંભળીને તે સો કકડા થઈને ચિરાઈ જતું નથી.મારા પિતા દેવવ્રત,રણમાં મરણ પામ્યા,એ વિચારને મનમાં લાવતાં મને એટલું બધું દુઃખ થાય છે કે જે હું સહન કરી શકતો નથી.અરેરે,જે ભીષ્મને પૂર્વે પરશુરામ પોતાના દિવ્ય અસ્ત્રોથી મારી શક્યા  ન હતા તેમને આજે પાંચાલપુત્ર શિખંડીએ મારી નાખ્યા !!(ઘણું જ આશ્ચર્ય ને અફસોસ)

Dec 8, 2025

ભાગવત રહસ્ય-૨૦-Bhgavat Rahasya-20

તુંગભદ્રા નદીના કિનારે એક ગામ હતું. ત્યાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ પોતાની પત્ની ધુન્ધુલી સાથે રહેતો હતો.આત્મદેવ પવિત્ર હતા પણ આ ધુન્ધુલી સ્વભાવથી ક્રૂર,પારકી પંચાત કરવાવાળી અને ઝગડાળુ હતી.આત્મદેવ નિઃસંતાન હતા. ઘરમાં સંપત્તિ પુષ્કળ હતી પણ સંતતિના અભાવે આત્મદેવ દુઃખી છે. સંતતિ માટે આત્મદેવે ઘણા પ્રયત્ન કર્યા,પણ સફળતા મળી નહિ,એટલે તેણે આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો, અને વન પ્રતિ પ્રયાણ કર્યું.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1003

 

અધ્યાય-૧૧૯-દશમો દિવસ (ચાલુ) ભીષ્મ પડ્યા 


॥ संजय उवाच ॥ एवं ते पांडवा सर्वे पुरस्कृत्य शिखंडीनम् I विव्यधुः समरे भीष्मं परिवार्य समंततः ॥१॥

સંજયે કહ્યું-એ પ્રમાણે સર્વ પાંડવ યોદ્ધાઓ શિખંડીને આગળ કરીને,ચારે બાજુથી ભીષ્મને ઘેરી લઈને બાણોથી વીંધતા હતા,ત્યારે ભીષ્મનું બખ્તર અનેક સ્થળેથી ભેદાઈ ગયું હતું.તેમનાં મર્મસ્થાનો ભેદાઈ જતાં હતા છતાં પણ તે વ્યથા પામ્યા ન હતા.ત્યાર પછી,દ્રુપદરાજ અને ધૃષ્ટકેતુને પણ નહિ ગણકારીને પિતામહ,પાંડવ સેનાના મધ્ય ભાગમાં આવી પહોંચ્યા.ત્યારે સાત્યકિ,ભીમસેન,અર્જુન,દ્રુપદ આદિ મહારથીઓએ તેમને તીક્ષ્ણ બાણોથી વીંધવા લાગ્યા.પણ સામે તે મહારથીઓને અસંખ્ય બાણો છોડીને ભીષ્મ તેમને પણ પીડવા લાગ્યા હતા.

Dec 7, 2025

ભાગવત રહસ્ય-૧૯-Bhgavat Rahasya-19

ભાગવત –એ -નારાયણનું સ્વરૂપ છે.ભગવાન શ્રીકૃષ્ણ જયારે ગોલોક ધામમાં પધાર્યા, ત્યારે પોતાનું તેજ સ્વરૂપ આ ગ્રંથમાં પધરાવ્યું-એમ એકાદશ સ્કંધમાં લખ્યું છે. તેથી ભાગવત –ભગવાનની સાક્ષાત શબ્દમયી મૂર્તિ છે.ઉદ્ધવજીએ જયારે શ્રીકૃષ્ણને પૂછેલું કે- આપના સ્વધામગમન પછી આ પૃથ્વી પર અધર્મ વધશે, ત્યારે ધર્મ કોને શરણે જશે ? ભગવાને ત્યારે કહ્યું છે કે-મારા ભાગવતનો આશ્રય જે લેશે –તેના ઘરમાં કળિ આવશે નહિ.