શુદ્ધ -બ્રહ્મ- માયા- ના સંસર્ગ વિના અવતાર લઇ શકે નહિ. સો ટચનું સોનું એટલું પાતળું હોય છે કે-તેમાંથી દાગીના ઘડી શકાય નહિ. દાગીના બનાવવા તેમાં બીજી ધાતુ ઉમેરવી પડે છે.તેવીજ રીતે પરમાત્મા પણ માયાનો આશ્રય-કરી-અવતાર લઇ પ્રગટ થાય છે.પણ ઈશ્વરને માયા બાધક થતી નથી-જીવને માયા બાધક થાય છે.
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Jan 21, 2026
ભાગવત રહસ્ય-૪૨-Bhgavat Rahasya-42
શુદ્ધ -બ્રહ્મ- માયા- ના સંસર્ગ વિના અવતાર લઇ શકે નહિ. સો ટચનું સોનું એટલું પાતળું હોય છે કે-તેમાંથી દાગીના ઘડી શકાય નહિ. દાગીના બનાવવા તેમાં બીજી ધાતુ ઉમેરવી પડે છે.તેવીજ રીતે પરમાત્મા પણ માયાનો આશ્રય-કરી-અવતાર લઇ પ્રગટ થાય છે.પણ ઈશ્વરને માયા બાધક થતી નથી-જીવને માયા બાધક થાય છે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1024
અધ્યાય-૧૮-ત્રિગર્તોના નાશનું મંગલાચરણ-સુધન્વા માર્યો ગયો
II संजय उवाच II ततः संशप्तका राजन समे देशे व्यवस्थिताः I व्युह्यानिकं रथैरेव चन्द्राकारं मुदापुता:II १ II
સંજય બોલ્યો-હે રાજન,ત્યાર પછી હર્ષમાં આવી ગયેલા સંશપ્તક યોદ્ધાઓ પોતાના સૈન્યને રથો વડે ચંદ્રાકારે ગોઠવીને સપાટ પ્રદેશમાં ઉભા રહ્યા.અર્જુનને સામે આવતો જોઈને તેઓએ મોટા શબ્દથી હર્ષનાદો કરી મુક્યા.તેમને હર્ષમાં આવેલા જોઈને અર્જુને મંદહાસ્ય કરીને શ્રીકૃષ્ણને કહ્યું કે-હે દેવકીપુત્ર,યુદ્ધમાં મરવાની ઈચ્છાથી આવેલા આ ત્રિગર્તભાઈઓને તમે જુઓ.આ રડવાના સમયે તેઓ હર્ષયુક્ત થયેલા છે.આ પાપી પુરુષોને દુર્લભ એવા દિવ્યલોકને તેઓ આજે પામશે'
Jan 20, 2026
ભાગવત રહસ્ય-૪૧-Bhgavat Rahasya-41
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1023
સંશપ્તકવધ પર્વ
અધ્યાય-૧૭-ત્રિગર્તોની પ્રતિજ્ઞા અને અર્જુનનું પ્રયાણ
II संजय उवाच II ते सेने शिबिरं गत्वा न्यविशांपते I यथाभागं यथान्यायं यथागुल्मं च सर्वश II १ II
સંજય બોલ્યો-હે રાજન,તે બંને પક્ષની સેનાઓ પોતપોતાની છાવણીમાં જઈને યથાયોગ્ય વિભાગ પ્રમાણે તથા પોતપોતાનાં પ્રથમથી નિયત કરેલાં સ્થાન પ્રમાણે સર્વસ્થળે વિશ્રાંતિ લેવા લાગી.સૈન્યોને પાછાં વાળી પરમ દુઃખી મનવાળા દ્રોણાચાર્યે દુર્યોધનને જોઈને લજ્જાપૂર્વક તેને કહ્યું કે-'મેં તને પ્રથમ જ કહ્યું હતું કે જ્યાં સુધી અર્જુન યુદ્ધમાં ઉભો હશે ત્યાં સુધી યુધિષ્ઠિરને પકડી શકાય તેમ નથી.તમે અતિશય પ્રયત્ન કરી રહ્યા હતા,છતાં અર્જુને જે પરાક્રમ કરી દેખાડ્યું છે તે પરથી જ તું મારા વચન પર શંકા કરીશ નહિ.હું તને ખરું જ કહું છું કે-કોઈ પણ ઉપાયે જો અર્જુનને યુદ્ધમાંથી દૂર કરવામાં આવે તો જ યુધિષ્ઠિર તારે સ્વાધીન થશે.
Jan 19, 2026
ભાગવત રહસ્ય-૪૦-Bhgavat Rahasya-40
સૂતજી કહે છે- જીવાત્મા અંશ છે. પરમાત્મા અંશી(જેમાંથી અંશ થાય તે) છે.
આ જીવ કોઈ જીવનો અંશ નથી-જીવ કોઈ જીવનો નથી-જીવ ઈશ્વરનો છે. ઈશ્વરથી વિખુટો પડ્યો છે-તેથી તેની દશા બગડી છે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1022
અધ્યાય-૧૬-પહેલો દિવસ સમાપ્ત
II संजय उवाच II तदबलं सुमहदीर्णं त्वदीयं प्रेक्ष्य वीर्यवान I दधारैको रणे राजन वृषसेनोस्त्रमायया II १ II
સંજય બોલ્યો-હે રાજન,તમારા સૈન્યને નાસભાગ થતું જોઈને પરાક્રમી વૃષસેન (કર્ણનો પુત્ર) એકલો જ પોતાની અસ્ત્રકુશળતાથી સર્વને રોકી રહ્યો હતો.તેનાં બાણો દશે દિશામાં જતાં હતાં.ને તેણે ઘાયલ કરેલા રથીઓ અને ઘોડેસ્વારો ટપોટપ પૃથ્વી પર પડતા હતા.ત્યારે નકુલનો પુત્ર શતાનિક તેની સામે ધસી આવ્યો અને દશ નારાચ બાણોથી તેને વીંધી નાખ્યો.સામે વૃષસેને શતાનિકના ધનુષ્યને કાપી નાખ્યું ને તેની ધજાને ઢાળી દીધી એટલે દ્રૌપદીના પુત્રો પોતાના એ ભાઈનું રક્ષણ કરવા માટે ત્યાં ધસી આવ્યા ને બાણોના સમૂહથી તે કર્ણના પુત્રને એકદમ અદશ્ય કરી દીધો.





