અધ્યાય-૧૯-અર્જુનનાં દિવ્યાસ્ત્રો
II संजय उवाच II द्रष्ट्वा तु संनिवृतौंस्तान् संशप्तकगणान पुनः I वासुदेव महात्मार्जुनः समभापत II १ II
સંજય બોલ્યો-આમ સંશપ્તકયોદ્ધોની ટુકડી ફરી યુદ્ધ કરવા માટે પાછી ફરેલી જોઈને અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે-
'હે હૃષીકેશ,આપણા રથને તે સંશપ્તકોની ટુકડી સામે હંકારો.મને લાગે છે કે તેઓ જીવતા સંગ્રામ છોડશે નહિ.આજે તેમને હું રણમાં રોળી નાખીશ' ત્યારે શ્રીકૃષ્ણે મંદહાસ્ય કરીને અર્જુનની ઈચ્છા પ્રમાણે રથને હાંક્યો.સામે ક્રોધાયમાન થયેલી સંશપ્તકોની ટુકડીએ અનેક પ્રકારના આયુધોને હાથમાં લઈને અર્જુનને બાણોના સમૂહથી છાઈ દીધો ને અર્જુનને ઘેરી લીધો.





