Jan 27, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1029

 

અધ્યાય-૨૩-ઘોડા,ધ્વજ-આદિનું વર્ણન 


  II धृतराष्ट्र उवाच II सर्वेमापेव मे ब्रूहि रथचिह्नानि संजय I ये द्रोणमभ्यवर्तन्त कृद्वा भीम पुरोगमाः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,ભીમસેન વગેરે જે યોદ્ધાઓ ક્રોધાયમાન થઈને દ્રોણ પર ચડી આવ્યા હતા 

તે બધા રથોનું,ઘોડાઓનું તથા ધજાઓનું તું મારી પાસે વર્ણન કર.

સંજય બોલ્યો-ભીમસેન જયારે,રીંછના જેવા રંગવાળા ઘોડાઓ દોડાવીને દ્રોણ પર ચડી આવ્યો ત્યારે તે જોઈને રૂપેરી રંગના ઘોડાઓવાળો સાત્યકિ પણ ત્યાં ચડી આવ્યો.યુધામન્યુ,પોતાના કાબરચીતરા ઘોડાઓ સાથે ને ધૃષ્ટદ્યુમ્ન કબુતરના રંગના ઘોડાઓ લઈને ત્યાં ચડી આવ્યો.પોતાના પિતાનું રક્ષણ કરવા ઈચ્છતો ક્ષત્રધર્મા લાલ રંગના ઘોડાઓને લઈને ત્યાં ધસી આવ્યો.શિખંડીનો પુત્ર ક્ષત્રદેવ કમળનાં પાંદડાં સમાન રંગવાળા ઘોડાઓને પોતે જાતેજ દોડાવતો આવી પહોંચ્યો હતો.

Jan 26, 2026

ભાગવત રહસ્ય-૪૬-Bhgavat Rahasya-46

પરમાત્મા જેને પોતાનો ગણે છે તેને જ પોતાનું સ્વરૂપ બતાવે છે.પ્રભુએ પોતાનું- નામ- પ્રગટ રાખ્યું છે-પણ પોતાનું સ્વ-રૂપ છુપાવ્યું છે. જયારે લાડીલા ભક્તો-પરમાત્માની બહુ ભક્તિ કરી ભગવાન ને લાડ લડાવે છે-ત્યારે-જ પરમાત્મા પોતાનું સ્વ-રૂપ બતાવે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1028

 

અધ્યાય-૨૨-કર્ણ અને દુર્યોધનની વાતચીત 


 II धृतराष्ट्र उवाच II भारद्वाज भग्नेषु पांडवेषु महामृधे I पांचालेषु च सर्वेषु कश्चिदन्योम्पवर्तत II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-તે મહાન યુદ્ધમાં દ્રોણાચાર્યે પાંડવોના સૈન્યમાં ભંગાણ પાડ્યું તે વખતે બીજો કયો પુરુષ તેમની સામે યુદ્ધ કરવા આવ્યો હતો? અહો,એ આશ્ચર્યની વાત છે કે-એ પાંડવસૈન્યમાં તેવો કોઈ પુરુષ નહોતી કે જે દ્રોણાચાર્યને જોઈને ત્યાંથી પાછો ન હઠે!દ્રોણાચાર્યને ત્યાં ઉભેલા જોઈને કયા ક્યા શૂરવીર યોદ્ધાઓ યુદ્ધ કરવા પાછા ફર્યા હતા?

Jan 24, 2026

ભાગવત રહસ્ય-૪૫-Bhgavat Rahasya-45

વ્યાસજી કહે છે- તમારી વાત સાચી છે. મારું મન અશાંત છે.પણ અશાંતિનું કારણ શું છે? તે સમજાતું નથી. જાણતો નથી.મારી કાંઇક ભૂલ થઇ છે. પણ મને મારી ભૂલ સમજાતી નથી. કૃપા કરી મને મારી ભૂલ બતાવો.હું તમારો ઉપકાર માનીશ.મારી ભૂલ હું સુધારીશ.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1027

 

અધ્યાય-૨૧-આ તે દ્રોણ કે સાક્ષાત કાળ?


II संजय उवाच II ततो युधिष्ठिरो द्रोणं द्रष्ट्वान्तिकमुपागतम I महता शरवर्षेण प्रत्यगृहणादभीतवत II १ II

સંજય બોલ્યો-તે પછી,દ્રોણાચાર્યને લગભગ પોતાની પાસે આવેલા જોઈને યુધિષ્ઠિરે મોટી બાણની વૃષ્ટિ કરી નિર્ભયની જેમ તેમની સામે થયા.દ્રોણને જોઈને સત્યજિત,યુધિષ્ઠિરનું રક્ષણ કરવાની ઈચ્છાથી દ્રોણની સામે ધસ્યો.તેણે તીક્ષ્ણ બાણો છોડીને દ્રોણને વીંધી નાખ્યા અને તેમના સારથી,ઘોડા ને પૃષ્ઠરક્ષકને પણ વીંધી નાખ્યા.શત્રુના આ ચરિત્રને જોઈને દ્રોણાચાર્યે મનમાં વિચાર કર્યો કે-'આને તો હવે મારવો જ પડશે' પછી તેમણે દશ તીક્ષ્ણ બાણોથી સત્યજિતને વીંધી નાખ્યો અને તેના ધનુષ્યનાં ટુકડા કરી નાખ્યા.તે જોઈને પાંચાલવંશના વૃકે,બાણોનો વરસાદ કરી દ્રોણાચાર્યને છાઈ દીધા.

Jan 23, 2026

ભાગવત રહસ્ય-૪૪-Bhgavat Rahasya-44

સૂતજી કહે છે-દ્વાપરયુગની સમાપ્તિનો સમય હતો.
બદ્રીનારાયણ જતાં રસ્તામાં કેશવ-પ્રયાગ આવે છે, ત્યાં વ્યાસજીનો-સમ્યપ્રાશ- આશ્રમ છે. ભાગવતની રચના ત્યાં થઇ છે.વ્યાસજીને કળિયુગના દર્શન થયાં. તેમને-તે વખતે-પાંચ હજાર વર્ષ પછી શું થશે?-તેના દર્શન થયાં.
(બારમાં સ્કંધમાં આનું વર્ણન કર્યું છે.વ્યાસજીએ જેવું (સમાધિમાં) જોયું તેવું લખ્યું છે.)