“હું ઓછું બોલતો,સેવામાં સાવધાન રહેતો અને વિનય રાખતો. મારા ગુરુદેવે મારા પર ખાસ કૃપા કરી-અને વાસુદેવ-ગાયત્રી નો મંત્ર આપ્યો. (સ્કંધ-૧ -અધ્યાય-૫ –શ્લોક -૩૭ –એ વાસુદેવ-ગાયત્રી મંત્ર છે)
નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ, પ્રધ્યુમ્નાયા નમઃ સંગર્ષણાય ચ.
II धृतराष्ट्र उवाच II व्यथयेयुरिमे सेनां देवानामपि संजय I आहवे ये न्यवर्तन्त वृकोदरमुखा नृपाः II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,આ જે ભીમસેન વગેરે ને રાજાઓ યુદ્ધમાં દ્રોણ સામે પાછા ફર્યા હતા,તેઓ દેવોની સેનાને પણ ગભરાવી દે તેવા છે.આ જગતનો પુરુષવર્ગ દૈવ સાથે સંબંધવાળો થઈને જ ઉત્પન્ન થાય છે.અવશ્ય તે દૈવમાં જ જુદાંજુદાં સર્વ પ્રયોજનો દેખાય છે.કારણકે જે યુધિષ્ઠિર દીર્ઘકાળ સુધી વનમાં મૃગચર્મ ધારણ કરીને લોકથી છાનો છાનો ફરતો હતો,તે જ યુધિષ્ઠિર અહીં રણમાં મોટી સેનાને આમતેમ ફેરવી રહ્યો છે.આ બધું દૈવયોગે જ થઇ રહ્યું છે.મારા પુત્રનું પ્રથમ જે રાજ્ય હતું તે પણ દૈવયોગે જ હતું.માટે જ પુરુષ ભાગ્ય સાથે જોડાઈને ઉત્પન્ન થાય છે અને દૈવની ઇચ્છાએ જ આકર્ષાય છે નહિ કે પોતાની ઇચ્છાએ.જે યુધિષ્ઠિર જુગારના વ્યસનને પામી પ્રથમ દુઃખી થયો હતો તો તેણે જ આજે દૈવયોગે સહાયકો મેળવ્યા છે.
II धृतराष्ट्र उवाच II सर्वेमापेव मे ब्रूहि रथचिह्नानि संजय I ये द्रोणमभ्यवर्तन्त कृद्वा भीम पुरोगमाः II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,ભીમસેન વગેરે જે યોદ્ધાઓ ક્રોધાયમાન થઈને દ્રોણ પર ચડી આવ્યા હતા
તે બધા રથોનું,ઘોડાઓનું તથા ધજાઓનું તું મારી પાસે વર્ણન કર.
સંજય બોલ્યો-ભીમસેન જયારે,રીંછના જેવા રંગવાળા ઘોડાઓ દોડાવીને દ્રોણ પર ચડી આવ્યો ત્યારે તે જોઈને રૂપેરી રંગના ઘોડાઓવાળો સાત્યકિ પણ ત્યાં ચડી આવ્યો.યુધામન્યુ,પોતાના કાબરચીતરા ઘોડાઓ સાથે ને ધૃષ્ટદ્યુમ્ન કબુતરના રંગના ઘોડાઓ લઈને ત્યાં ચડી આવ્યો.પોતાના પિતાનું રક્ષણ કરવા ઈચ્છતો ક્ષત્રધર્મા લાલ રંગના ઘોડાઓને લઈને ત્યાં ધસી આવ્યો.શિખંડીનો પુત્ર ક્ષત્રદેવ કમળનાં પાંદડાં સમાન રંગવાળા ઘોડાઓને પોતે જાતેજ દોડાવતો આવી પહોંચ્યો હતો.
II धृतराष्ट्र उवाच II भारद्वाज भग्नेषु पांडवेषु महामृधे I पांचालेषु च सर्वेषु कश्चिदन्योम्पवर्तत II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-તે મહાન યુદ્ધમાં દ્રોણાચાર્યે પાંડવોના સૈન્યમાં ભંગાણ પાડ્યું તે વખતે બીજો કયો પુરુષ તેમની સામે યુદ્ધ કરવા આવ્યો હતો? અહો,એ આશ્ચર્યની વાત છે કે-એ પાંડવસૈન્યમાં તેવો કોઈ પુરુષ નહોતી કે જે દ્રોણાચાર્યને જોઈને ત્યાંથી પાછો ન હઠે!દ્રોણાચાર્યને ત્યાં ઉભેલા જોઈને કયા ક્યા શૂરવીર યોદ્ધાઓ યુદ્ધ કરવા પાછા ફર્યા હતા?