Jan 30, 2026

ભાગવત રહસ્ય-૫૦-Bhgavat Rahasya-50

નારદજી કહે છે –સતત હું વિચારતો-મારા શ્રીકૃષ્ણની ઝાંખી થાય તો કેવું સારું ? અને લાલાએ કૃપા કરી ખરી!! એક દિવસ ધ્યાનમાં મને સુંદર નીલો પ્રકાશ દેખાયો. પ્રકાશને નિહાળીને હું જપ કરતો હતો.ત્યાં જ –પ્રકાશમાંથી બાલકૃષ્ણ નુ સ્વરૂપ પ્રગટ થયું.મને બાલકૃષ્ણલાલના સ્વરૂપની ઝાંખી થઇ.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1032

 

અધ્યાય-૨૬-ભગદત્તનું યુદ્ધ 


  II धृतराष्ट्र उवाच II तेष्वेवं सन्निवृतेषु प्रत्युध्यातेषु भागशः I कथं युयुधिरे पार्या मामकाश्च तरस्विनः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-એ પ્રમાણે જયારે તે પાંડવો યુદ્ધ કરવાને પાછા ફર્યા અને વિભાગ પ્રમાણે સામે ધસી આવ્યા ત્યારે 

મારા બળવાન પુત્રો ને કુંતાના પુત્રો કેવી રીતે લડ્યા?વળી,અર્જુને સંશપ્તકો સામે કેવું પરાક્રમ કર્યું હતું તે મને કહે.


સંજય બોલ્યો-આમ જયારે પાંડવો યુદ્ધ કરવા પાછા ફર્યા ત્યારે દુર્યોધન પોતે જ હાથીઓનું સૈન્ય લઈને ભીમ પર ચડી આવ્યો.ને જયારે તેણે ભીમ સામે યુદ્ધનું તેડું કર્યું ત્યારે ભીમ તેની સામે ધસ્યો અને પોતાના બાહુબળથી હાથીઓની સૈન્ય રચનાને વિખેરી નાખી.હાથીઓનો સંહાર કરી રહેલા એ ભીમને જોઈને ક્રોધાયમાન થયેલા દુર્યોધને તેને તીક્ષ્ણ બાણો વડે વીંધવા માંડ્યો,એટલે ભીમે પણ સામે તેના ધ્વજને અને ધનુષ્યને એકદમ કાપી નાખ્યાં.એમ ભીમસેન દુર્યોધનને પીડતો હતો ત્યારે હાથી પર બેઠેલો અંગરાજા ભીમસેનને ક્ષોભ પમાડવા ત્યાં તેની સામે આવી પહોંચ્યો.

Jan 29, 2026

ભાગવત રહસ્ય-૪૯-Bhgavat Rahasya-49

ગુરુ એ કહ્યું-રોજ એવી ભાવના રાખવી-કે-શ્રીકૃષ્ણ મારી સાથે જ છે. શ્રીકૃષ્ણ પ્રેમનું સ્વરૂપ છે.ખાવા બેસ ત્યારે એવી ભાવના કર કે-કનૈયો જમવા બેઠો છે. સૂએ-ત્યારે પ્રભુ સાથે સૂતા છે-એવી ભાવના કર-યોગ સિદ્ધિ થાય નહી -ત્યાં સુધી ભાવના કર્યા કર.બેટા,તું બાલકૃષ્ણનું ધ્યાન કરજે. બાલકૃષ્ણની માનસી સેવા કરજે. બાલકૃષ્ણનું સ્વરૂપ અતિ મનોહર છે.
બાળકને થોડું આપો તો પણ રાજી થાય છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1031

 

અધ્યાય-૨૫-દ્વંદ્વ યુદ્ધ 


II संजय उवाच II महद्भैरव मासिन्न: सन्निवृत्तेषु पांडुषु I द्रष्ट्वा द्रोणं छाद्यमानं तैर्मास्करमिवांयुदः  II १ II

સંજય બોલ્યો-જયારે પાંડવો યુદ્ધ કરવા પાછા ફર્યા ત્યારે,જેમ મેઘો સૂર્યને ઢાંકી દે છે તેમ તેમણે દ્રોણને ઢાંકી દીધા.તેમણે ઉડાડેલી તીવ્ર રજે તમારી સેનાને ઢાંકી દીધી તેથી સર્વ પ્રદેશ દેખાતો બંધ પડ્યો અને અમે તો માની જ લીધું કે દ્રોણાચાર્ય માર્યા ગયા.ત્યારે દુર્યોધને તત્કાળ પોતાના સૈન્યને આજ્ઞા કરી કે-તમે ઉત્સાહ,શક્તિ,બળ અને સંયોગો પ્રમાણે આ પાંડવોની સેનાને આગળ વધતી અટકાવો.એટલે તમારો પુત્ર દુર્મુષણ,ભીમ સામે ધસી ગયો ને તેનો જીવ લેવાની ઈચ્છાથી તેના પર બાણો ફેંકી તેને ઢાંકી દીધો,ભીમે પણ સામે બાણો મારીને તેને વ્યથિત કરી દીધો.તે બંને વચ્ચે તુમુલ યુદ્ધ થઇ રહ્યું.

Jan 28, 2026

ભાગવત રહસ્ય-૪૮-Bhgavat Rahasya-48

નારદજી-વ્યાસજીને પોતાનું આત્મ ચરિત્ર કહી સંભળાવે છે.
“હું ઓછું બોલતો,સેવામાં સાવધાન રહેતો અને વિનય રાખતો. મારા ગુરુદેવે મારા પર ખાસ કૃપા કરી-અને વાસુદેવ-ગાયત્રી નો મંત્ર આપ્યો. (સ્કંધ-૧ -અધ્યાય-૫ –શ્લોક -૩૭ –એ વાસુદેવ-ગાયત્રી મંત્ર છે) 
નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ, પ્રધ્યુમ્નાયા નમઃ સંગર્ષણાય ચ.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1030

 

અધ્યાય-૨૪-ધૃતરાષ્ટ્રની ચિંતા 


 II धृतराष्ट्र उवाच II व्यथयेयुरिमे सेनां देवानामपि संजय I आहवे ये न्यवर्तन्त वृकोदरमुखा नृपाः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,આ જે ભીમસેન વગેરે ને રાજાઓ યુદ્ધમાં દ્રોણ સામે પાછા ફર્યા હતા,તેઓ દેવોની સેનાને પણ ગભરાવી દે તેવા છે.આ જગતનો પુરુષવર્ગ દૈવ સાથે સંબંધવાળો થઈને જ ઉત્પન્ન થાય છે.અવશ્ય તે દૈવમાં જ જુદાંજુદાં સર્વ પ્રયોજનો દેખાય છે.કારણકે જે યુધિષ્ઠિર દીર્ઘકાળ સુધી વનમાં મૃગચર્મ ધારણ કરીને લોકથી છાનો છાનો ફરતો હતો,તે જ યુધિષ્ઠિર અહીં રણમાં મોટી સેનાને આમતેમ ફેરવી રહ્યો છે.આ બધું દૈવયોગે જ થઇ રહ્યું છે.મારા પુત્રનું પ્રથમ જે રાજ્ય હતું તે પણ દૈવયોગે જ હતું.માટે જ પુરુષ ભાગ્ય સાથે જોડાઈને ઉત્પન્ન થાય છે અને દૈવની ઇચ્છાએ જ આકર્ષાય છે નહિ કે પોતાની ઇચ્છાએ.જે યુધિષ્ઠિર જુગારના વ્યસનને પામી પ્રથમ દુઃખી થયો હતો તો તેણે જ આજે દૈવયોગે સહાયકો મેળવ્યા છે.