Feb 28, 2026

ભાગવત રહસ્ય-૭૮-Bhgavat Rahasya-78

ધ્યાનના આરંભમાં માનસી સેવા(માનસિક ધ્યાન) કરવી. (આ ભક્તિયોગની એક સહેલી રીત છે).પ્રતિદિન સવારના પહોરમાં –આંખો બંધ કરી-(શ્રી કૃષ્ણનું જે સ્વરૂપ ગમતું હોય તેની માનસિક કલ્પના કરો,)બાલકૃષ્ણનું સ્વરૂપ જો ગમતું હોય તો-કલ્પના કરો-કે-બાલકૃષ્ણે-રેશમના વાઘા પહેર્યા છે-મુખારવિંદ પર મંદ મંદ હાસ્ય છે,મોરપીંછ ધારણ કર્યું છે,કેડ પર કંદોરો છે,હાથમાં મોરલી છે,આંખોમાં મેંશ આંજી છે,ચરણોમાં નુપુર છે, અને બાલકૃષ્ણ લાલ છમ-છમ કરતા ચાલતાં ચાલતાં આવે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1060

 

અધ્યાય-૫૪-મૃત્યુ અને પ્રજાપતિનો સંવાદ 


II नारद उवाच II वीनिय दुःखमबला आत्मन्येव प्रजापतिं I उवाच प्रांजलिर्भुत्वा लतेवावर्जिता पुनः II १ II

નારદ બોલ્યા-મૃત્યુ નામની તે અબળા,દુઃખને પોતાના અંતરમાં દબાવી દઈને હાથ જોડી,નમ્ર થઇ બ્રહદેવને કહેવા લાગી.

'હે દેવ,આપે મને આવી સ્ત્રી કેમ ઉત્પન્ન કરી?જાણવા છતાં આપે કહેલું તે અહિત ક્રૂર કર્મ હું કેમ કરું?હું અધર્મથી ડરું છું.આપ મારા પર પ્રસન્ન થાઓ.હું લોકોના પ્રિય પુત્રો,મિત્રો,ભાઈઓ,માતાઓ,પિતાઓ અને પતિઓનો સંહાર કરીશ તો તેઓ આંસુઓ વહાવી ને મારુ અનિષ્ટ ચિંતવશે.તેથી હું ભય પામીને આપણે શરણે છું,હું યમરાજને ઘેર કદી નહિ જાઉં.જો આપની કૃપા હોય તો મને તપ કરવાની જ ઈચ્છા છે.તમારી આજ્ઞાથી હું ધેનુકાશ્રમ જઈશ ને ત્યાં તમારું જ આરાધન કરવામાં આસક્ત રહી તીવ્ર તપ કરીશ,આપ મને આ અધર્મથી બચાવી લો.'

Feb 27, 2026

ભાગવત રહસ્ય-૭૭-Bhgavat Rahasya-77

એકાંતમાં ઈશ્વરભજન કરો. એકાંત,જલ્દી,મનને એકાગ્ર બનાવે છે.
'એક' શબ્દ નો અર્થ થાય છે-ઈશ્વર. એક ઈશ્વરમાં સર્વનો લય કરીને(સર્વનો અંત કરીને) બેસે તે એકાંત.ગૃહસ્થ ઘરમાં સમભાવ (સમતા) રાખી શકતો નથી, ભલે ને- એ રોજ ગીતાનો પાઠ કરે –કે-સમતા એ જ યોગ છે.ગૃહસ્થાશ્રમના વ્યવહારો વિષમતાથી(અસમતાથી) ભરેલા છે. ત્યાં સમતા રાખવી ખુબ જ અઘરી છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1059

 

અધ્યાય-૫૩-મૃત્યુની કથા 


II स्थाणुरुवाच II प्रजासर्गनिमित्तं हि कृतो यत्रस्त्वया विभो I त्वया स्रुष्टाश्च व्रुधाश्व भुत्ग्रामाः पृथग्विधाः II १ II

રુદ્રદેવ બોલ્યા-'હે વિભુ,તમે પ્રજાઓ ઉત્પન્ન કરવા માટે ભારે પ્રયત્ન કર્યો છે.તમે અનેક પ્રકારના ભૂતસમૂહોને 

સર્જ્યા છે અને તે વૃદ્ધિ પણ પામ્યા છે.તે બધી પ્રજા આ સમયે આપણા ક્રોધથી ચોતરફથી બળી રહી છે,

તે જોઈ મને કરુણા ઉપજી છે.માટે હે ભગવન,તમે મારા પર પ્રસન્ન થાઓ'

Feb 26, 2026

ભાગવત રહસ્ય-૭૬-Bhgavat Rahasya-76

જેનું આખું જીવન –નિંદ્રા-ધન માટે ઉદ્યમ-અને કુટુંબનું ભરણપોષણ –કરવામાં જાય-તેને- તે- જ અંતકાળે યાદ આવે છે.
એક ડોસો માંડો પડ્યો. તેનુ સમગ્ર જીવન દ્રવ્ય (કમાવવામાં-બચાવવામાં) પાછળ ગયેલું. અંતકાળ નજીક આવ્યો.છોકરાઓ બાપાને ‘શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે’ બોલવાનું કહે છે. પણ બાપાના મુખમાંથી હરિનું નામ નીકળતું નથી. જિંદગીમાં કદી 
હરિનામ લીધું હોય તો હરિનામ યાદ આવે ને ? 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1058

 

અધ્યાય-૫૨-યુધિષ્ઠિર પાસે વ્યાસ અને રાજા અકંપનું દૃષ્ટાંત


II संजय उवाच II अथैन विलपते तं कुंतीपुत्रं युधिष्ठिरं I कृष्णद्वैपायनस्तत्र आजगाम महानृपि :II १ II

સંજય બોલ્યો-કુંતીપુત્ર યુધિષ્ઠિર એ પ્રમાણે વિલાપ કરતા હતા તેવામાં મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન ત્યાં આવી પહોંચ્યા.તેમના પૂજન પછી મહર્ષિ સુખાસને બેઠા ત્યારે શોકથી સંતાપ પામેલા યુધિષ્ઠિર તેમને કહેવા લાગ્યા કે-'આ રણમાં સુભદ્રાનંદન યુદ્ધ ખેલી રહ્યો હતો ત્યારે અધર્મથી ભરેલા અનેક મોટા ધનુર્ધારી મહારથીઓએ તેને ઘેરી લઈને મારી નાખ્યો છે.અભિમન્યુ,તો બાળક હતો પણ શત્રુઓનો સંહારક હતો ને યુદ્ધમાં વિશેષ ઉપાયો પર આધાર રાખ્યા વિના જ લડતો હતો.