અધ્યાય-૧૧૬-દુર્યોધનનો તથા કૃતવર્માનો પરાજય
II संजय उवाच II ते किरंतः शरवरातान सर्वे यत्ताः प्रहारिणः I त्वरमाणा महाराज युयुधान मयोधयम् II १ II
સંજય બોલ્યો-હે મહારાજ,અનેક બાણોને છોડી રહેલા તે સર્વ યોદ્ધાઓ બરાબર સજ્જ થઈને ઉતાવળા સાત્યકિની સામે યુદ્ધ કરવા લાગ્યા.તે સાત્યકિને દ્રોણાચાર્યે,દુર્મુષણે,દુઃસહે ને વિકર્ણે અનેક બાણોથી વીંધી નાખ્યો.દુર્યોધને પણ તેને સારી રીતે પીડયો હતો.ત્યારે સામે સાત્યકિએ તે સર્વને દશ દશ બાણોથી વીંધીને તે દુર્યોધન સામે ચડી ગયો.બંને વચ્ચે યુદ્ધ શરુ થયું.અન્યોન્ય સામે બાણો છોડી રહેલા તે બંને મહારથીઓએ એક બીજાને રણમાં અદૃશ્ય કરી દીધા.જયારે સાત્યકિએ કે ક્ષુરપ્ર બાણથી દુર્યોધનનું ધનુષ્ય કાપી નાખ્યું ત્યારે દુર્યોધને તરત જ નવું ધનુષ્ય લઇ સો બાણોનું સંધાન કરીને સાત્યકિને વીંધી નાખ્યો.





