અધ્યાય-૧૬૨-પાંડવોએ સામો સંદેશો કહાવ્યો
II संजय उवाच II उलूकस्त्वर्जुनं भूयो यथोक्तं वाक्यमब्रवीत I आशीविषमिव कृद्वं तुद्न्वाक्यशलाकया II १ II
સંજયે કહ્યું-ઉલૂકે,પ્રથમથી જ ઝેરી સર્પની જેમ ક્રોધાયમાન થયેલા અર્જુનને વાકયરૂપી શૂળીથી ટાંચતાં દુર્યોધને કહેલાં વાક્યો ફરીથી પણ કહ્યાં.એટલે સર્વ પાંડવો ક્રોધમાં આવી ગયા ને આસન પર ઉભા થઈને એકબીજાની સામે જોવા લાગ્યા.
પાંડવોને ક્રોધથી લાલ થયેલા જોઈને શ્રીકૃષ્ણે ઉલૂકને કહ્યું-'ઓ કેતવ્ય,તું ઝટ અહીંથી જા અને દુર્યોધનને કહેજે કે-તારું કહેવું અમે સાંભળ્યું છે અને તેનો અર્થ પણ સમજ્યા છીએ,તો તારું જે માનવું છે તે પ્રમાણે ભલે થાય'