May 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-828

 

અધ્યાય-૧૭૫-અંબાને શાલ્વ રાજાએ પણ સ્વીકારી નહિ


II भीष्म उवाच II ततोऽहं समनुज्ञाप्य कालीं गन्धवतीं तदा I मंत्रिणश्चर्त्विज श्चैव तथैव च पुरोहितान् II १ II

ભીષ્મે કહ્યું-તે પછી,મેં સત્યવતીની,મંત્રીઓની,ઋત્વિજોની અને પુરોહિતોની સંમતિ લઈને,તે અંબાને જવાની આજ્ઞા આપી,

ત્યારે તે અંબા શાલ્વરાજ પાસે જઈને તેને કહેવા લાગી કે-હે રાજન,હું તમારી પાસે આવી છું,મારો સ્વીકાર કરો'

તે સાંભળી શાલ્વરાજ હસતો હોય તેમ કહેવા લાગ્યો કે-'હું બીજા પુરુષને માટે હરણ કરાયેલી તને હવે ભાર્યા તરીકે 

સ્વીકારવા તૈયાર નથી.તું પાછી ભીષ્મ પાસે જા.ભીષ્મ યુદ્ધમાં રાજાઓને હરાઈને તારો હાથ પકડી તને લઇ ગયા હતા,ને તું પ્રીતિથી ગઈ હતી,માટે હવે હું પ્રથમ બીજાએ ગ્રહણ કરેલી તને ભાર્યા કરવા ઈચ્છતો નથી.(9)

May 26, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-827

 

અંબોપાખ્યાન પર્વ 

અધ્યાય-૧૭૩-કાશીરાજની કન્યાઓનું અપહરણ 


II दुर्योधन उवाच II किमर्थ भरतश्रेष्ठ नैव हन्याः शिखण्डिनं I उद्यतेशुमथो द्रष्टा समरेष्वाततायिनम् II १ II

દુર્યોધને પૂછ્યું-હે ભરતશ્રેષ્ઠ,તમે શસ્ત્રથી સજ્જ થયેલા શિખંડીને,સંગ્રામમાં બાણ ઉગામી સામે આવેલો જોયા છતાં શા માટે તેને મારશો નહિ?તમે તો પ્રથમ કહ્યું હતું કે સોમકો સાથે પાંચાલોને મારીશ,તો આ પાંચાલ શિખંડીને કેમ નહિ મારો?

ભીષ્મે  કહ્યું-હે દુર્યોધન,મારા પિતા શાંતનુ મરણ પામ્યા ત્યારે મેં મારી પ્રતિજ્ઞા પાળીને ચિત્રાંગદનો રાજ્યાભિષેક કર્યો.

જયારે ચિત્રાંગદ મરણ પામ્યો ત્યારે વિચિત્રવીર્ય નાનો હતો છતાં મેં તેનો રાજ્યાભિષેક કર્યો.પછી યોગ્ય કુળની કન્યા સાથે તેનાં લગ્ન કરવાની વાત મેં મન પર લીધી.એટલામાં મેં સાંભળ્યું કે-કાશીરાજની ત્રણ કન્યાઓ અંબા,અંબિકા ને અંબાલિકા નો સ્વયંવર થાય છે.ત્યારે હું માત્ર એક રથ લઈને કાશીરાજની નગરીમાં ગયો.

May 24, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-826

 

અધ્યાય-૧૭૨-પાંડવોના રથી-અતિરથી (ચાલુ)


II भीष्म उवाच II रोचमानो महाराज पांडवाना महारथः I योत्स्यते भरव्त्संख्ये परसैन्येषु भारत II १ II

ભીષ્મે કહ્યું-હે ભારત,પાંડવોના પક્ષમાં રોચમાન રાજા મહારથી છે.ભીમસેનનો મામો પુરુજિત મહાબળવાન છે ને તેને હું અતિરથી માનું છું.ભીમસેનનો હિડિમ્બામાં ઉત્પન્ન થયેલો માયાવી ઘટોત્કચ અતિરથી છે.બીજા અનેક દેશના રાજાઓ પાંડવોને માટે એકત્રિત થયા છે તેમાં આ મુખ્ય મુખ્ય રથી-અતિરથી ને અર્ધ રથીઓ તને મેં કહ્યા.અર્જુને રક્ષણ કરેલી આ ભયંકર સેના સંગ્રામમાં આવશે તેની સામે રણમાં જયની અથવા મૃત્યુની આકાંક્ષા રાખતો હું તે રાજાઓની સામે યુદ્ધ કરીશ,

May 23, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-825

 

અધ્યાય-૧૭૧-પાંડવોના રથી-અતિરથી (ચાલુ)


II भीष्म उवाच II पंचालराजस्य सुतो राजनार पुरंजयः I शिखण्डी रथमुख्यो मे मतः पार्थस्य भारत II १ II

ભીષ્મે કહ્યું-હે ભારતરાજ,પાંડવોના પક્ષમાં પાંચાલરાજના પુત્ર શિખંડીને હું મુખ્ય રથી માનું છું.એ શિખંડી પોતાનો પ્રાચીન સ્ત્રીભાવ ત્યજીને,અર્થાંત પુરુષાર્થ દેખાડીને,સંગ્રામમાં ઉત્તમ યશનો વિસ્તાર કરતો તારી સેના સાથે યુદ્ધ કરશે.

દ્રોણનો મહારથી શિષ્ય અને પાંડવ સેનાનો સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન અતિરથી છે,એમ હું માનું છું.એની રથસેના,દેવોની રથસેના જેવડી મોટી અને સાગર સમાન છે.યુદ્ધમાં તે શત્રુઓનો સંહાર વાળશે.ધૃષ્ટદ્યુમ્નના પુત્ર ક્ષત્રધર્માને હું અર્ધરથી માનું છું,કારણકે તેણે બાલ્યાવસ્થાને લીધે યુદ્ધકળામાં બહુ પરિશ્રમ કર્યો નથી.

May 22, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-824

 

અધ્યાય-૧૬૯-પાંડવોના રથીઓ અને અતિરથીઓ 


II भीष्म उवाच II एते रथास्तवाख्यातास्तथैवातिरथा नृप I ये चाप्यर्द्वरथा राजन पांडवानामतः शृणु II १ II

ભીષ્મે કહ્યું-હે દુર્યોધન,તારા રથીઓ,અતિરથીઓ ને અર્ધરથીઓ મેં તને કહ્યા હવે તું પાંડવોના રથી વગેરેને સાંભળ.

યુધિષ્ઠિર ઉત્તમ રથી છે ને સંગ્રામમાં અગ્નિની જેમ ફરી વળશે,એમાં સંદેહ નથી.ભીમસેન આઠગણો રથી છે,ગદાયુદ્ધ અને બાણયુદ્ધમાં તેના સમાન કોઈ નથી.તે દશ હજાર હાથીનું બળ ધરાવે છે.બંને માદ્રીપુત્રો રથી છે.પૂર્વનાં દુઃખો સંભારીને તે પાંડવો રુદ્રની જેમ સંહાર કરતા રણમાં ઘૂમશે તેમાં મને સંદેહ લાગતો નથી.

May 21, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-823

 

અધ્યાય-૧૬૮-અતિરથીની ગણનામાં ભીષ્મ ને કર્ણનો વિવાદ 


II भीष्म उवाच II अचलो वृषकश्वैव सहितौ भ्रात्ररावुभौ I रथौ तव दुराधार्षौ शत्रुन्विध्वंसयिश्यतः II १ II

ભીષ્મે કહ્યું-હે દુર્યોધન,મહાપરાક્રમી અને ગાંધારોમાં મુખ્ય અચલ તથા વૃષક નામના બે જોડીદાર ભાઈઓ રથીઓ છે.

હવે તારો મિત્ર,મંત્રી,ને વહાલો સૂર્યપુત્ર કર્ણ,કઠોર,આત્મશ્લાઘી,અત્યંત ચઢાઉ,રણમાં નિત્ય તીક્ષ્ણ,અભિમાની અને નીચ છે અને તને પાંડવોની સાથે નિત્ય વૈર કરવામાં ઉત્તેજન આપ્યા કરે છે,તે કર્ણ રથી કે અતિરથી નથી,કેમ કે નિત્ય નિંદક તથા મૂર્ખ તે જન્મસિદ્ધ કવચ ને કુંડળોથી રહિત થયો છે.પરશુરામના શાપને લીધે અને કવચ-કુંડળ રહિત થવાને લીધે હું તેને અર્ધરથી માનું છું.અર્જુનની સામે રણમાં જતા તે પાછો જીવતો છૂટશે નહિ.(7)