અધ્યાય-૧૭૫-અંબાને શાલ્વ રાજાએ પણ સ્વીકારી નહિ
II भीष्म उवाच II ततोऽहं समनुज्ञाप्य कालीं गन्धवतीं तदा I मंत्रिणश्चर्त्विज श्चैव तथैव च पुरोहितान् II १ II
ભીષ્મે કહ્યું-તે પછી,મેં સત્યવતીની,મંત્રીઓની,ઋત્વિજોની અને પુરોહિતોની સંમતિ લઈને,તે અંબાને જવાની આજ્ઞા આપી,
ત્યારે તે અંબા શાલ્વરાજ પાસે જઈને તેને કહેવા લાગી કે-હે રાજન,હું તમારી પાસે આવી છું,મારો સ્વીકાર કરો'
તે સાંભળી શાલ્વરાજ હસતો હોય તેમ કહેવા લાગ્યો કે-'હું બીજા પુરુષને માટે હરણ કરાયેલી તને હવે ભાર્યા તરીકે
સ્વીકારવા તૈયાર નથી.તું પાછી ભીષ્મ પાસે જા.ભીષ્મ યુદ્ધમાં રાજાઓને હરાઈને તારો હાથ પકડી તને લઇ ગયા હતા,ને તું પ્રીતિથી ગઈ હતી,માટે હવે હું પ્રથમ બીજાએ ગ્રહણ કરેલી તને ભાર્યા કરવા ઈચ્છતો નથી.(9)