અધ્યાય-૮-રમણક વગેરે ખંડોનું વર્ણન
II धृतराष्ट्र उवाच II वर्षाणां चैव नामानि पर्वतानं च संजय I आचक्ष्व मे यथातत्वं येच पर्वतवासि II १ II
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-'હે સંજય,તું મને ખંડો-પર્વતોના નામો ને પર્વતવાસી લોકોનું યથાર્થ વર્ણન કહે'
સંજયે કહ્યું-શ્વેત પર્વતની દક્ષિણે અને નિષધ પર્વતની ઉત્તરે રમણક નામનો ખંડ છે.ત્યાં જે મનુષ્યો ઉત્પન્ન થાય છે તે સર્વે કુલીન,શત્રુરહિત અને આનંદ મનવાળા હોઈને અગિયાર હજાર ને પાંચસો વર્ષ જીવે છે.નીલ પર્વતની દક્ષિણે અને નિષધ પર્વની ઉત્તરે હિરણ્યમય નામનો ખંડ છે,તે ખંડમાં હૈરણવતી નામની નદી છે.એ ખંડમાં પક્ષીરાજ ગરુડ ને ધનસંપન્ન યક્ષના અનુચરો રહે છે.પ્રસન્ન મનવાળા ત્યાંના મનુષ્યો સાડાબાર હજાર વર્ષનું આયુષ્ય ભોગવે છે.