अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृताः ।प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेऽशुचौ ॥१६॥
आत्मसंभाविताः स्तब्धा धनमानमदान्विताः ।यजन्ते नामयज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् ॥१७॥
'હું ધનવાન છું,હું કુળવાન છું,મારા જેવો અન્ય કોણ હોઈ શકે ? હું યજ્ઞ કરીશ,હું દાન આપીશ' આ પ્રકારે આસુરી
મનુષ્ય અજ્ઞાનમાં મોહ પામેલા હોય છે.પોતેજ પોતાની પ્રશંસા કરનાર,અક્કડ થઈને વર્તનાર તથા ધન અને માનના
મદથી ઉન્મત્ત બનેલા આવા મનુષ્યો શાસ્ત્રવિધિ છોડી કે બળ,દંભથી જ યજ્ઞકાર્યો કરે છે.(૧૭)