Sep 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-922

 

અધ્યાય-૪૭-ભીષ્મ અને શ્વેતકુમારનું યુદ્ધ 


॥ संजय उवाच ॥ गतपुर्वाह्न तस्मिन्न निपारुणे I वर्तमाने तथा रौद्रे महावीर वरक्षये ॥१॥ 

સંજયે કહ્યું-તે મહાભયંકર દિવસનો લગભગ પ્રથમ ભાગ વીતી ગયો,ત્યાં સુધી તો પૂર્વોક્ત રીતે,ભયાનક એવો મહાન વીરોનો નાશ કરનાર ઘોર રણસંગ્રામ ચાલુ જ હતો.ત્યારે,તમારા પુત્ર દુર્યોધનની આજ્ઞાથી,દુર્મુખ,કૃતવર્મા,કૃપાચાર્ય,શલ્ય અને વિવિંશતિ નામના પાંચ અતિરથીઓ ભીષ્મની પાસે જઈને તેમનું રક્ષણ કરવા લાગ્યા.ભીષ્મના બાણોથી વીંધાયેલાઓની ભયકંર ચીસો,રણસંગ્રામમાં સંભળાતી હતી.ત્યારે ક્રોધાયમાન થયેલો અભિમન્યુ,તેમની સામે ધસી આવ્યો.અને તેણે ભીષ્મના ધ્વજને તોડીને,તેમને નવ બાણો વડે ઢાંકી દીધા,અને તેમની પાછળ તેમનું રક્ષણ કરનાર પાંચ અતિરથીઓ સાથે પણ લડવા લાગ્યો.

Sep 11, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-921

 

અધ્યાય-૪૬-ભયંકર રણસંગ્રામ 


॥ संजय उवाच ॥ राजन शतसहस्त्राणि तत्र तत्र पदातिनां I निर्मर्याद प्रयुद्वानि तत्तेवक्ष्यामि भारत ॥१॥ 

સંજયે કહ્યું-હે રાજન,તે યુદ્ધમાં જ્યાં જુઓ ત્યાં લાખો પાળાઓ પોતાની મર્યાદાનો ત્યાગ કરીને,જેમ આવે તેમ લડતા હતા.તે યુદ્ધમાં પુત્ર પોતાના પિતાને,પિતા પોતાના પુત્રને,ભાઈ પોતાના સાગા ભાઈને,મામા પોતાના ભાણેજને,ભાણેજ પોતાના મામાને,અને મિત્ર પોતાના મિત્રને ગણતો નહોતો.જાણે ભૂતનો આવેશ થયો હોય તેમ પરસ્પર ભાન રાખ્યા વિના પાંડવો અને કૌરવો લડતા હતા.હે રાજા,કેટલાએક શૂરવીરો,રથોને લઈને રથોના સૈન્યમાં ધસી જતા હતા,ત્યારે એકેકની ધુંસરીઓ અથડાવાથી તે ભાંગી જતી હતી અને રથો આડેધડ સામસામે ટકરાવાથી ભાંગી પડતા હતા.

Sep 10, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-920

 

અધ્યાય-૪૫-દ્વંદ્વ યુદ્ધ 


॥ संजय उवाच ॥ पुर्वाहुणे तस्य रौद्रस्य युध्धमहनो विशांपते I प्रावर्तत महाघोरं राज्ञां देहावकर्तन ॥१॥ 

સંજયે કહ્યું-હે રાજા,તે ભયંકર દિવસના પહેલા ભાગમાં જે મહાઘોર યુદ્ધ થયું,તેમાં ઘણા રાજાઓના શરીર કપાવા જ લાગ્યા હતા.પરસ્પરને જીતવાની ઈચ્છાવાળા રાજાઓની ગર્જનાઓના ભીષણ ધ્વનિએ આકાશમંડળને ગજાવી મૂક્યાં.

ધનુષ્યની દોરીના ટંકારો,પાળાઓના પગના શબ્દો,ઘોડાઓના હણહણાટો,હાથીઓની ચીસો અને રથના ઘડાઘડાટો વગેરેના તુમુલ અવાજોથી રૂવાં ઉભા થઇ જાય તેવું દૃશ્ય હતું.એ વેળાએ પોતાના જીવવાની આશા છોડીને સર્વ કૌરવો,પોતાના મનને ક્રૂર કરીને પાંડવોની સામે પહોંચ્યા પછી,યમ ના દંડ જેવું ભયંકર ધનુષ્ય લઈને ભીષ્મ અર્જુન સામે ધસ્યા.

Sep 9, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-919

 

અધ્યાય-૪૪-યુદ્ધ પ્રારંભ 


॥ धृतराष्ट्र उवाच ॥ एवं व्युढेष्वनकेषु मामकेष्वितरेन च I के पूर्व प्राहरस्तत्र कुरवः पाण्डवां किम् ॥१॥ 

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-આ પ્રમાણે મારા અને શત્રુઓના સૈન્યની વ્યૂહરચના થઇ રહ્યા પછી,કૌરવ-પાંડવમાંથી કોણે પ્રથમ પ્રહાર કર્યો?

સંજયે કહ્યું-હે રાજન,તે વખતે પ્રથમ જ પોતાના ભાઈઓ સહીત દુઃશાસન,ભીષ્મને આગળ કરીને સેનાની સાથે આવ્યો.

તે જ પ્રમાણે સર્વે પાંડવો પણ ભીમને અગ્રેસર કરીને ત્યાં આવ્યા.ને પછી બંને સૈન્યનોએ એકબીજા તરફ ધસારો ચાલુ કર્યો.

ને બંને સૈન્ય વચ્ચે ઘોર રણસંગ્રામ શરૂ થયો ને પરસ્પર પ્રહારનો આરંભ થયો.તે વખતે બંને સેનાઓમાં વાયુથી ખળભળી ઉઠેલા સમુદ્રની ગર્જના જેવો તુમુલ કોલાહલ થયો.ભીમસેનની સાંઢ(આખલા)ની જેવી ગર્જનાઓએ,સિંહનાદોને,હાથીઓની ચીસોને ને હજારો ઘોડાઓના હણહણાટને પણ મંદ પાડી દીધા.

Sep 8, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-918

 

યુધિષ્ઠિર બોલ્યા-હે પિતામહ,જો આપ મારુ કલ્યાણ ઇચ્છતા હો તો,મને સલાહ આપો કે-કોઈથી પણ ન જીતી શકાય તેવા આપને હું યુદ્ધમાં કેવી રીતે જીતી શકું? યુદ્ધમાં બીજાઓ દ્વારા આપનો નાશ કરી શકાય તેવો ઉપાય મને કહો'

ભીષ્મ બોલ્યા-હે તાત,યુદ્ધમાં મને જીતી શકે તેવો કોઈ પુરુષ મને દેખાતો નથી,ને વળી,અત્યારે મારા મૃત્યુનો સમય પણ આવ્યો નથી,માટે તમે ફરીથી મારી પાસે આવજો,ત્યારે હું ઉપાય જણાવીશ'

Sep 3, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-917

 

અધ્યાય-૪૩-ગુરુઓ તથા વડીલોનું પૂજન 


॥ वैशंपायन उवाच ॥ गीता सुगीता कर्तव्या किमन्यै शास्त्रविस्तरेः I या स्वयं पद्मनाभस्य मुखपद्मानिद्विनिर्गता ॥१॥ 

વૈશંપાયને કહ્યું-જે સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણના મુખમાંથી નીકળી છે,તે ગીતાશાસ્ત્રનું જ સારીરીતે પઠન કરવું,બીજા શાસ્ત્રોનાં લાંબા લાંબા પઠન કરવાથી શું ફળ છે? જેમ,શ્રી ગંગાજી સર્વ તીર્થમય છે,ભગવાન વિષ્ણુ સર્વ દેવમય છે અને મનુ ભગવાન સર્વ વેદોમય છે તેમ,ગીતા સર્વ શાસ્ત્રમય છે.ગીતા,ગોવિંદ,ગાયત્રી અને ગોવિંદ-આ ચાર 'ગ'કાર યુક્ત નામો જો નિરંતર હૃદયમાં રહે,તો તેને ફરીથી જન્મમરણ પ્રાપ્ત થતાં નથી.આ ગીતામાં શ્રીકૃષ્ણે 620 શ્લોક,અર્જુને 57 શ્લોક,સંજયે 67 શ્લોક અને ધૃતરાષ્ટ્રે 1-શ્લોક કહેલો છે.આ બધા શ્લોકો મળીને એકંદરે ગીતાના 745 શ્લોકો થાય છે.(મહા)ભારતરૂપી અમૃતના સર્વસ્વરૂપ ગીતાનું મંથન કરીને,તેમાંથી સાર (તત્વ)કાઢીને શ્રીકૃષ્ણે,અર્જુનના મુખમાં તેનો હોમ કર્યો છે (5)