અધ્યાય-૧૦૧-દુર્યોધન યુદ્ધ કરવા આવી પહોંચ્યો
II संजय उवाच II स्त्रंसंतं इव मज्जानस्तावकानां भयान्नृप I तौ द्रष्ट्वा समतिक्रान्तौ वासुदेवधनंजयौ II १ II
સંજય બોલ્યો-હે રાજા,શ્રીકૃષ્ણ અને અર્જુનને સૈન્યનું ઉલ્લંઘન કરી આવેલા જોઈને તમારા પુત્રોની મજ્જાઓ જાણે ભયને લીધે નરમ પડી ગઈ.આમ છતાં તેઓ લજ્જાને અને વૈર્યને લીધે સ્થિર થઈને ઉભા રહ્યા અને અર્જુનની સામે જવા લાગ્યા.જે વખતે અર્જુન દ્રોણાચાર્યના સૈન્ય સામે હતો ત્યારે તમારા પક્ષના યોદ્ધાઓ એમ જ માની બેઠા હતા કે તે દ્રોણનું ઉલ્લંઘન કરીને આવી શકશે નહિ.પણ અર્જુન જયારે દ્રોણના સૈન્યને ઉલ્લંઘી આગળ આવ્યો ત્યારે તેઓએ જયદ્રથના જીવિતની આશા રાખી નહિ.વળી,જયારે અર્જુન કૃતવર્માનાં સૈન્યને પણ ઉલ્લંઘીને આગળ વધ્યો ત્યારે તો સર્વને જયદ્રથના વધ વિષે શંકા રહી નહિ.એ વેળા અર્જુન અને શ્રીકૃષ્ણ,જયદ્રથનો વધ કરવાના સંબંધમાં પરસ્પર વાત કરતા હતા.





