અધ્યાય-૧૧૫-જલસંઘનો વધ
II संजय उवाच II शृण्यैकमना राजन यन्मां त्वं परिपृच्छसि I द्राव्यमाणे बले तस्मिन् हार्दिक्येन महात्मना II १ II
સંજય બોલ્યો-હે રાજન,કૃતવર્માએ પાંડવ સૈન્યને હાંકી કાઢ્યું ત્યારે તેમનું મોં લજ્જાથી નીચું પડી ગયું,અને તમારા પક્ષના યોદ્ધાઓ હર્ષમાં આવી ગયા.તે સમયે પાંડવ યોદ્ધાઓ અગાધ સંકટમાં પડી ગયા હતા ને પોતાનો ઉદ્ધાર કરવાની ઈચ્છા રાખતા હતા,તે સમયે તમારા પક્ષના યોદ્ધાઓની કિકિયારીઓ સાંભળીને સાત્યકિ કૃતવર્મા સામે ચઢી આવ્યો.બંનેનું ભયંકર યુદ્ધ શરુ થયું.સાત્યકિએ કૃતવર્માનું ધનુષ્ય કાપી નાખ્યું,તેના ચાર ઘોડાઓને મારી નાખી,તેના સારથિ અને પૃષ્ઠરક્ષકોને વીંધી નાખ્યા ને તેની સેનાને પણ પીડિત કરી નાખી તેના સૈન્યમાં ભંગાણ પાડ્યું.આમ કૃતવર્માને રથરહિત કરીને સાત્યકિ આગળ વધ્યો.





