અધ્યાય-૧૩૮-ભીમ અને કર્ણનો પુનઃ સમાગમ
II धृतराष्ट्र उवाच II महानयनयः सूत ममैवात्र विशेषतः I स इदानीमनुप्राप्तो मन्ये संजय शोचतः II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સૂત,આમાં ખાસ કરીને મારો પોતાનો જ મહાન અન્યાય છે અને તે જ આ સમયે મારી આગળ ખડો થયો છે એમ હું માનું છું.હવે તો મારા મનમાં એમ જ થઇ ગયું છે કે-'જે થયું તે થયું' કેમ કે હવે આ સંબંધમાં હું શું કર્તવ્ય કરી શકું?મારી અનીતિને જ કારણે આ જે વીર પુરુષોનો ને મારા પુત્રોનો સંહાર થયો છે.તે વિષે તું કહે.





