Mar 13, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-454

અધ્યાય-૧૬૩-મેરુ પર્વતનાં દર્શન 


II वैशंपायन उवाच II ततः सूर्योदये धौम्यः कृत्वाSSर्ह्निकमरिंदम I आर्ष्टिषेणेन सहितः पांडवानम्यवर्तत II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,સૂર્યોદય થતાં,ધૌમ્યે નિત્યકર્મ પતાવ્યું ને આર્ષ્ટિષેણને લઈને પાંડવો પાસે આવ્યા,ત્યારે પાંડવોએ તેમના ચરણમાં વંદન કર્યું.ને હાથ જોડીને સર્વ બ્રાહ્મણોનું પૂજન કર્યું.ધૌમ્ય યુધિષ્ઠિરને કહેવા લાગ્યા કે-

'હે મહારાજ,પૂર્વ દિશામાં આ શૈલરાજ મંદર,સાગર સુધીની ભૂમિને ઘેરીને ઉભો છે.પર્વતો,વનના સીમાડાઓ ને અરણ્યોથી શોભી રહેલી આ દિશાનું ઇન્દ્ર તથા કુબેર રક્ષણ કરે છે.ઋષિઓ આને ઇન્દ્ર ને કુબેરનું ધામ કહે છે.

ઋષિઓ,સિદ્ધો,સાધ્યો,દેવતાઓ તથા પ્રજાઓ અહીંથી (પૂર્વથી) ઉદય પામતા સૂર્યની ઉપાસના કરે છે.(7)

Mar 12, 2024

માયા-સંગ-By અનિલ શુક્લ

 

શું અકળાઈ ગયા હતા? પ્રભુ,તમે પણ એકલા એકલા કે?
ખરું કર્યું ! માયા-સંગ રમી,ચપટીમાં બનાવી દીધી સૃષ્ટિને.

પતિ થયા માયાના,ત્યાં સુધી તો જાણે વાંધો નહોતો કોઈ,
પણ થયા જ્યાં માયાને વશ તમે,તો પ્રભુ દેહમાં ગયા પુરાઈ.

અખંડ એવા તમે,વિભાજીત થયા,અનેક ખંડમાં,કેવી નવાઈ!
તમે દૃષ્ટા,તમે દૃશ્ય,તમે જ દર્શન,વાહ,કેવી થઇ ગઈ ભવાઈ !

અનિલ
ફેબ્રુઆરી-૬-૨૦૨૦


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-453

 

અધ્યાય-૧૬૨-કુબેરનાં વચનો 


II धनद उवाच II युधिष्ठिर धृतिर्दाक्ष्यं देशकालपराक्रमाः I लोकतंत्रविधानानामेप पञ्चविधो विधिः II १ II

કુબેર બોલ્યા-હે યુધિષ્ઠિર,ધૃતિ,દક્ષતા,દેશ,કાળ અને પરાક્રમ-એ પાંચ પ્રકારનો લોકવ્યવહારનો વિધિ છે.

કૃત(સત્ય)યુગમાં મનુષ્યો ધૃતિમાન,પોતપોતાના કાર્યોમાં દક્ષ ને પરાક્રમના વિધાનને જાણનારા હતા.ધૃતિમાન,દેશ અને કાળને જાણનાર અને સર્વ ધર્મવિધાનોનો વેત્તા એવો ક્ષત્રિય પૃથ્વી પર ચિરકાળ સુધી રાજ્ય કરે છે.જે પુરુષ પોતાના કર્મોમાં આ પ્રમાણે વર્તે છે તે આ લોકમાં યશ પામે છે ને પરલોકમાં સદગતિ મેળવે છે.હે પુરુષસિંહ,આ ભીમસેન ધર્મને જાણતો નથી,ગર્વિષ્ઠ,બાળકબુદ્ધિ,અસહનશીલ ને નિર્ભય છે.તમે તેને ઉપદેશ આપો.

Mar 11, 2024

MorPichh ni Rajaai Odhi-By Hariharan-મોરપીંછની રજાઈ ઓઢી-હરિહરન

અનાવરણ-નિર્ગુણ-બ્રહ્મ-By અનિલ શુક્લ

 

ભોળી ભરવાડણ,મારા ભોળા લાલાને કેવી તો ભોળવી નાખે,
માખણ નહિ,પણ વાટકો છાસ આપીને,લાલાને  થૈ-થૈ નચાવે.

નસીબ તો જુઓ,આ ભરવાડનાં,કાન્હાને કેવાં ટાંપાં કરાવે,
કદી,વજનદાર પાટલો ઉપાડતાં,કાન્હાનું પીતાંબર છૂટી જાયે.

ધન્ય છે,ગોપી તને,જ્ઞાનીઓ જે બ્રહ્મના દર્શન માટે મથે જાયે,
તે અનાવરણ-નિર્ગુણ-શૂન્ય બ્રહ્મનાં,તું અદભૂત દર્શન પાયે!!

અનિલ
ફેબ્રુઆરી-૧૪-૨૦૨૦
(રસખાનના કાવ્ય પરથી પ્રેરિત)


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-452

 

અધ્યાય-૧૬૧-પાંડવોને કુબેરનાં દર્શન 


II वैशंपायन उवाच II श्रुत्वा बहुविधैः शब्दैर्नध्यमानां गिरेर्गुहाम् I अजातशत्रुः कौन्तेयो माद्रीपुत्राषुनावपि II १ II

વૈશંપાયન બોલ્યા-અનેક પ્રકારના શબ્દોથી ગાજી રહેલી ગુફાઓને સાંભળીને અજાતશત્રુ કુંતીપુત્ર,માદ્રીનંદન નકુલ-સહદેવ,ધૌમ્ય,ને દ્રૌપદી આદિ સૌ,ભીમસેનને ન જોવાથી અત્યંત ખિન્ન થઇ ગયાં.પછી,આર્ષ્ટિષેણને દ્રૌપદીની

સાંપણી કરીને તે સર્વ શૂરા હથિયાર સજીને એકસાથે પર્વત પર ચડવા લાગ્યા.પર્વતની ટોચ પર તેમણે

ભીમસેન અને પ્રાણરહિત થયેલા રાક્ષસોને જોયા.ભાઈઓ ભીમને ભેટ્યા પછી યુધિષ્ઠિર બોલ્યા-

'હે ભીમ,તેં આ પાપ સાહસથી કે અજ્ઞાનથી કર્યું છે,તારે એવો વ્યર્થ વધ કરવો જોઈતો નહોતો.

તેં આ દેવોને દ્વેષ થાય તેવું કર્યું છે,તું જો મારુ પ્રિય ઈચ્છતો હૉય તો ફરીથી આવું ના કરતો'

Mar 10, 2024

જુલ્મી ન બનો પ્રભુ-By અનિલ શુક્લ

 

વળગી રહ્યો પ્રેમથી તને,ને ધારાઓ પ્રેમની વહી રહી,
ત્યારે સતાવો કેમ? બહુ સારું નથી !જુલ્મી ન બનો પ્રભુ !!

તમારે તો ઠીક,પણ અઘરું ઘણું છે,સંસારમાં રહેવાનું,
ત્યજી સંસારને આવ્યો,તો પાછો ફેંકી,જુલ્મી ન બનો પ્રભુ !!

સળગી રહી દુનિયા,તેમાં બળી હરવું-ફરવું મુશ્કેલ છે,
થોડાક તો પાસે રહેવા દો,ઠંડક છે,જુલ્મી ન બનો પ્રભુ !!

આપ્યું,તન,આપ્યું મન ને ધન પણ આપ્યું,ઉપકાર ઘણો,
શુદ્ધ કરી સર્વ,પાસ આવ્યો તો છટકી જુલ્મી ન બનો પ્રભુ !!

ડાળીએ ડાળીએ ઝુલતા અનિલને સ્થિરતા બક્ષી દીધી,
પરમાનંદમાં આંગળી ઘોંચી,બહુ જુલ્મી ન બનશો પ્રભુ!!

અડગ-ખડકની જેમ ઉભો છું,તો ઘોંચ-પરોણા કેમ?
થાય તે કરી લેજો,પણ રહેમ તો રાખજો,જુલ્મી ન બનો પ્રભુ!!

અનિલ
માર્ચ-૨૧,૨૦૨૦


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-451

 

અધ્યાય-૧૬૦-ભીમનું પરાક્રમ 


II जनमेजय उवाच II आर्ष्टिषेणाश्रमे तस्मिन्नम पूर्वपितामहा: I पाण्डोः पुत्रा महात्मनः सर्वे दिव्यपराक्रमाः II १ II

જન્મેજય ઉવાચ-મહત્તમ ને દિવ્ય પરાક્રમી એવા મારા પૂર્વ પિતામહો,ત્યાં કેટલો વખત રહ્યા હતા? ત્યાં તેમણે શું કર્યું? તેઓ શું ભોજન લેતા હતા? ભીમસેનને યક્ષો સાથે તો કશું થયું નહોતું ને? તેમને કુબેરનો મેળાપ થયો હતો?

હે તપોધન,આ સર્વ હું વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું.પાંડવોનાં ચરિત્ર સાંભળતા મને તૃપ્તિ થતી નથી.(6)

Mar 9, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-450

 

અધ્યાય-૧૫૯-આર્ષ્ટિષેણ અને યુધિષ્ઠિરનો સંવાદ 


II वैशंपायन उवाच II युधिष्ठिरस्तमासाद्य तपसा दग्धकिल्विपम I अम्यवादयत प्रीतःशिरसा नाम कीर्तयेन II १ II

વૈશંપાયન બોલ્યા-તપથી જેમનાં પાપ ખાખ થઇ ગયાં હતાં,એવા તે આર્ષ્ટિષેણ પાસે જઈ યુધિષ્ઠિરે પોતાનું નામ કહ્યું ને તેમને પ્રીતિપૂર્વક મસ્તક નમાવીને વંદન કર્યું.પછી ભાઈઓ ને દ્રૌપદીએ પણ તેમને વંદન કર્યું ને સર્વ તેમને વીંટાઇને ઉભા રહ્યા.તે તપસ્વીએ પણ તેમનો સત્કાર કરીને તેમના કુશળ પૂછીને યુધિષ્ઠિરને કહ્યું-

'હે પાર્થ તમે અસત્ય પર ભાવ તો રાખતા ને? તમે ધર્મમાં જ પ્રવૃત્ત છોને? ગુરુઓ,વૃદ્ધિ આદિ સર્વને સન્માનો છો ને? પાપકર્મમાં તમને ક્યારેય મન નથી થતું ને? દાન,ધર્મ,શૌચ,સરળતા ને તિતિક્ષા રાખીને તમે બાપદાદાનું અનુકરણ કરો છોને? તમે રાજર્ષિઓ સેવેલા માર્ગે જાઓ છો ને? હે પૃથાનંદન,પિતા,માતા,અગ્નિ,ગુરુ ને આત્મા,

એમને જે પૂજે છે તે આ લોક ને પરલોકએ બંને પર વિજય મેળવે છે.(14)

Mar 8, 2024

સ્થિર અનિલ-By અનિલ શુક્લ

 

સળગી રહી ધૂણી,રાખના ઢગલે ઢગલા થયા,
તન પર થયા થર ભભૂતિના,વરસો વીતી ગયા.

વૈરાગી થયો મનવો,ને ભજનમાં જ લાગી ગયો,
સંસારમાં લોકને મળ્યે.જાણે,વરસો વીતી ગયા.

ગમે નહિ કશું કરવું,નાદ અનંતનો લાગી ગયો,
વહેવાનું બંધ થયે અનિલને,વરસો વીતી ગયા.

છંછેડો નહિ,રહેમ કરો,હલાવો કાં અનિલને?
સ્થિર થયે તેને તો જાણે,વરસો જ વીતી ગયા.

અનિલ
માર્ચ-૨૨-૨૦૨૦


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com