Mar 29, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-470

 

અધ્યાય-૧૮૪-બ્રાહ્મણનું માહાત્મ્ય 


II वैशंपायन उवाच II मार्कण्डेयं महात्मनमूचुः पांडुसुतास्तदा I माहात्म्यं द्विजमुख्यानां श्रोतुमिच्छामकथ्यताम् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,પાંડુપુત્રોએ મહાત્મા માર્કંડેયને પૂછ્યું-'અમે દ્વિજવરોના માહાત્મ્યને સાંભળવા ઇચ્છીએ છીએ તો તમે કહો' ત્યારે શાસ્ત્રોમાં નિપુણ,મહાતપસ્વી ને મહાતેજસ્વી તે માર્કંડેય બોલ્યા કે-હૈહયોના કુળનો એક પરપુરંજય નામનો રાજા મૃગયા માટે વનમાં ઘૂમતો હતો ત્યારે તેણે કાળિયારનું ચામડું ઓઢીને બેઠેલા એક મુનિને 

મૃગ માનીને મારી નાખ્યા.જયારે તેને ભાન થયું ત્યારે તેને અતિ દુઃખ થયું ને હૈહયોને આ વૃતાંત કહ્યો.

Mar 28, 2024

માયાધામ-By અનિલ શુક્લ

 

'એ' ને ખોળવો,એય ભ્રાંતિ નથી શું ભલા?
સમજાય છે એ 'એ' ખુદમાં મળી ગયા બાદ.

પ્રભુ,તેમનું દિલ બદલ કે પછી મારી વાણી,
હજાર કહું પણ ના સમજી શકે તે મારી વાત.

સર્વસ્થાને જે, તે રહે કેમ કોઈ એક સ્થાને?
સર્વનામ જેના તેનું ક્યાંથી હોય એક નામ?

બિંબ-પ્રતિબિંબ થયું,માયાની આ માયાજાળ,
હદ નહોતી,પણ સરહદ બની,બન્યું માયાધામ.

અનિલ
ડીસેમ્બર-૧૭-૨૦૧૮

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-469

 

માર્કંડેય સમાસ્યા પર્વ 

અધ્યાય-૧૮૨-વર્ષા ને શરદઋતુનું વર્ણન 

II वैशंपायन उवाच II निदाघांतकरः कालः सर्वभूतसुखावहः I तत्रैव वसतां तेषां प्रावृद सममिषद्यत II १ II

વૈશંપાયન બોલ્યા-તે પાંડવો ત્યાં રહેતા હતા,ત્યારે પ્રાણીમાત્રને સુખ આપનારો તથા ઉનાળાના ઉકળાટને સમાવનારો વર્ષાકાળ આવ્યો.ત્યારે મહાગર્જના કરતાં વાદળોએ આકાશ તથા દિશાઓને છાઈ દીધાં હતાં.અને કાળાં વાદળો રાતદિવસ વરસી રહ્યાં હતાં.ધરતી પર ઘાસ ઉગી આવ્યું હતું ને તેમાં સર્પો ને જીવડાં ઘૂમતાં હતાં.

Mar 27, 2024

આત્મારામ-By અનિલ શુક્લ

 

ઝુકાવી દીધું શિર તો પછી તેને પાછું ઉઠાવવું શું?
મળી બેહોશી પરમપ્રેમની તો હોશમાં આવવું શું?

ડૂબ્યા પ્રાર્થનામાં તો પછી કરવી હવે પ્રાર્થના શું?
આશકી પરમપ્રેમની મળી તો બીજી વાતો શું?

જીવનની ઉપર ઉઠી ગયા પછી નીચા જવાનું શું?
અમર્યાદ થયું જીવન તો જીવનની મર્યાદાઓનું શું?

સરનામું છે,ખબર પણ છે તો પછી તેને ખોળવો શું? 
જ્યાં છે 'તે' ત્યાં ખોળે નહિ તો 'તે' મળી જાય શું? 

સ્તબ્ધતા છે,બંધ વાણી છે,અજબ આલમ થઇ ગયું, 
રામ,આત્મારામ થયો,જિંદગી રહે ના રહે, ફેર શું? 

અનિલ
ડીસેમ્બર-૨૧-૨૦૧૮

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-468

 

અધ્યાય-૧૮૧-ભીમનો છુટકારો 


II युधिष्ठिर उवाच II भवानेताद्शो लोकं वेदवेदांIगपारगः I ब्रूहि किं कुर्वतः कर्म भवेद्वतिरनुत्तमा I १ II

યુધિષ્ઠિર બોલ્યા-તમે આવી યોનિમાં છો,તો પણ વેદ અને વેદાંગમાં પારંગત છો,

તો કહો,શું કરવાથી મનુષ્યને ઉત્તમ ગતિ મળે?

સર્પ બોલ્યો-હે ભારત,સુપાત્રે દાન આપ્યાથી,પ્રિય વચનો કહેવાથી,સત્ય બોલવાથી 

અને અહિંસા-ધર્મમાં તત્પર રહેવાથી મનુષ્ય સ્વર્ગે જાય છે એવું મારુ માનવું છે.

Mar 26, 2024

નિર્વિચાર-By અનિલ શુક્લ

 

ધર્મશાળા કહો કે કેદખાનું- તે ઘરને,સ્થાયી થઇ ત્યાં કોઈ રહી ના શકે,
કરવટો બદલો ગમે તેટલી પણ શાંતિની નીંદ ત્યાં કેમે કરી મળી શકે?

રણમાં બનાવી ઘર કે જંગલોમાં જઈ-જેને ખોળવાની તમન્નાઓ હતી,
એક દિ' છોડવું પડશે-વિચાર્યું એમ  -તો 'એ' પાસમાં જ બેઠેલો હતો.

ખોળતા હતા જે નયન,'તે'ને ચોતરફ,તે જ નયનોમાં જ 'તે' બેઠેલો હતો.
વિચાર કરીને 'તે' ને કહેવો કેવી  રીતે? નિર્વિચાર અવસ્થામાં 'તે' મળ્યો હતો.

અનિલ
ફેબ્રુઆરી,૨,૨૦૧૯

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-467

 

અધ્યાય-૧૮૦-અજગર ને યુધિષ્ઠિર વચ્ચે સંવાદ 


II वैशंपायन उवाच II युधिष्ठिरस्तमासाद्य सर्पभोगेन वेष्टितं I दयितं भ्रातरं धिमानिदं वचनमब्रवीत II १ II

વૈશંપાયન બોલ્યા-બુદ્ધિમાન યુધિષ્ઠિર સર્પના શરીરથી વીંટળાયેલા પોતાના ભાઈ પાસે જઈને પૂછવા લાગ્યા કે-

'હે ભીમ,તું ક્યાંથી આ આપત્તિને પામ્યો?પર્વત જેવી કાયાવાળો આ નાગરાજ કોણ છે?'

ત્યારે ભીમે પોતાના પકડાવાથી માંડીને સર્વ હકીકત કહી.ને કહ્યું કે-રાજર્ષિ નહુષ આ દેહમાં રહેલો છે'

ત્યારે યુધિષ્ઠિરે તે સર્પને કહ્યું કે-તું મારા ભાઈનેમૂકી દે,તારી ભૂખ ટાળવા હું તને બીજો આહાર આપું'

Mar 25, 2024

આકાશમાં-By અનિલ શુક્લ

 

ભૂલોકમાંથી નીપજ્યું ગાન કાવ્યનું ને પ્રસરી રહ્યું આકાશમાં,
છૂપી રહી ના શકે હવામાં,ફૂલોની સુગંધ કદી,આ આકાશમાં.

કોણ ઉપજાવી રહ્યું અજબનું સંગીત ખુલ્લા આ આસમાનમાં,
લાગે કે મુરલીધરની મુરલીમાં વહી રહી સુગંધી હવા આકાશમાં.

શું કોઈ શબ્દ-બ્રહ્મનું બાણ તો વાગી નથી ગયું સૂતેલા સિંહને,
અહમ-શિવોહમ થયું,મધુર કાવ્ય-વીણા વાગી રહી આકાશમાં.

અનિલ
ફેબ્રુઆરી-૨૩,૨૦૧૯


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-466

 

અધ્યાય-૧૭૯-ભીમ-અજગર સંવાદ 


II वैशंपायन उवाच II स भीमसेनस्तेजस्वी तथा सर्पवशं गतः I चिंतयामास सर्पस्य वीर्यमत्यद्भुतं महत् II १ II

વૈશંપાયન બોલ્યા-તે તેજસ્વી ભીમ,આ પ્રમાણે અજગરને વશ થયો ત્યારે તે સર્પના અદભુત બળનો વિચાર કરવા લાગ્યો ને સર્પને કહેવા લાગ્યો કે-હે સર્પ તું કોણ છે? તું,મારુ શું કરવા ઈચ્છે છે? હું ધર્મરાજથી નાનો ભીમસેન પાંડવ છું.તેં મારા મહાબળને આમ રોકી લીધું છે તેથી મને ખાતરી થાય છે કે મનુષ્યોનું પરાક્રમ મિથ્યા છે 

Mar 24, 2024

પ્રજ્ઞા-By અનિલ શુક્લ

 

તબક્કો એક એવો પણ છે,જ્યાં બુદ્ધિ માર્ગદર્શન ના કરી શકે,
કસરતો બુદ્ધિની પૂરી થાય તો,જ બુદ્ધિ પારનું 'તત્વ' મળી શકે.

શાંત,સ્થિર મનથી થાય અંતરદૃષ્ટિ,તો તે જ બુદ્ધિ પ્રજ્ઞા બને,
આ શુદ્ધ પ્રજ્ઞા જ માર્ગદર્શક બને,તો સર્વ સ્પષ્ટ સમજાઈ શકે.

પ્રજ્ઞાથી દર્શન આત્મનું થયું,જ્યાં સ્પષ્ટ,સંપૂર્ણ અને સમગ્રતાથી,
'અનુભવ' થયો ને તે અનુભવ જ અનંતનો માર્ગદર્શક બની શકે.

અનિલ
ફેબ્રુઆરી-૨૮-૨૦૧૯


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com