Apr 13, 2024
વાંક કોનો-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-485
અધ્યાય-૨૦૧-ધુંધુમારનું આખ્યાન-ઉત્તંકને વરપ્રાપ્તિ
II वैशंपायन उवाच II श्रुत्वा तु राजा राजर्षेरिंद्रध्युम्नस्य तत्तया I मार्कण्डेयान्महाभागत् स्वर्गस्य प्रतिपादनम् II १ II
વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે,યુધિષ્ઠિરરાજે,માર્કંડેય પાસેથી રાજર્ષિ ઇંદ્રદ્યુમ્નને ફરીથી થયેલી સ્વર્ગપ્રાપ્તિ વિશે
સાંભળ્યું.પછી તેમણે માર્કંડેયને પૂછ્યું કે-હે ધર્મજ્ઞ,દેવો,દાનવો,રાક્ષસો,વિવિધ રાજવંશો,ઋષિવંશો એ બધા તમારી જાણમાં છે.આ લોકમાં તમને કશું અજાણ્યું નથી.તમે તેમની સર્વ કથાઓ જાણો છો,તે હું તત્ત્વપૂર્વક સાંભળવા ઈચ્છું છું.ઇક્ષ્વાકુ વંશમાં કુવલાક્ષ નામે જે પ્રસિદ્ધ રાજા થયો હતો તેનું નામ ફેરવાઈને શા માટે ધુંધુમાર પડ્યું હતું?
Apr 12, 2024
ક્ષણોને-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-484
અધ્યાય-૨૦૦-દાનનું માહાત્મ્ય
II वैशंपायन उवाच II श्रुत्वा स राजा राजपिंरिंद्रध्युम्न्स्य तत्तदा I मर्कन्देयान्महाभागात्स्वर्गस्य प्रतिपादनम् II १ II
વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે મહાભાગ્યશાળી માર્કંડેયને મુખેથી યુધિષ્ઠિરરાજે રાજર્ષિ ઇંદ્રદ્યુમ્નને
ફરી થયેલી સ્વર્ગપ્રાપ્તિ વિશેનો વૃતાંત સાંભળ્યા પછી યુધિષ્ઠિરે ફરી મુનિને પૂછ્યું કે-હે મહામુનિ,
પુરુષ કેવી અવસ્થાઓમાં દાન આપવાથી ઇંદ્રલોકમાં જાય છે?માણસ ગૃહસ્થાશ્રમમાં,બાળપણમાં,
યુવાવસ્થામાં અથવા વૃદ્ધવયમાં દાનનું ફળ કેવી રીતે ભોગવે છે? તે વિષે કહો (3)
Apr 11, 2024
વૈરાગી-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-483
અધ્યાય-૧૯૯-ઇંદ્રદ્યુમ્નનું આખ્યાન
II वैशंपायन उवाच II मार्कण्डेयमृपयः पांडवा: पर्यप्रुच्छ्न्नस्ति कश्चिद्भवतश्विरजाततर इति II १ II
વૈશંપાયન બોલ્યા-ઋષિઓએ ને પાંડવોએ માર્કંડેયને ફરીથી પૂછ્યું કે-'તમારાથી પણ આગળ જન્મેલો કોઈ છે?'
માર્કંડેય બોલ્યા-હા,ઇંદ્રદ્યુમ્ન નામે એક રાજર્ષિ એવો છે.પુણ્ય ક્ષય થવાથી તે સ્વર્ગલોકમાંથી ભ્રષ્ટ થયો હતો,ત્યારે તેને વિચાર આવ્યો કે 'શું મારી કીર્તિ અહીં પૃથ્વી પર સાફ થઇ ગઈ હશે?' તે મારી પાસે આવીને મને પૂછવા લાગ્યો કે 'મને ઓળખો છો?' ત્યારે મેં કહ્યું કે-ના,પણ હિમાલયમાં પ્રાવારકર્ણ નામે એક ઘુવડ,મારાથી આગળ જન્મ્યો છે તે કદાચ તમને ઓળખાતો હોય.પણ હિમાલય તો ઘણો દૂર છે.
Apr 10, 2024
આકાશ-સમ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-482
અધ્યાય-૧૯૮-ક્ષત્રિય માહાત્મ્ય ને શિબિચરિત્ર
II वैशंपायन उवाच II भूय एव महाभाग्यं कथ्यतामित्यब्रवीत्पांडवो मार्कण्डेयम् II १ II
વૈશંપાયન બોલ્યા-યુધિષ્ઠિર પાંડવે માર્કંડેયમુનિને કહ્યું-'તમે હજુ ક્ષત્રિયોના માહાત્મ્ય વિષે વધુ કહો'
ત્યારે માર્કંડેય બોલ્યા-વિશ્વામિત્રના પુત્ર અષ્ટકના અશ્વમેઘ યજ્ઞમાં સર્વ રાજાઓ ગયા હતા.યજ્ઞ સમાપ્ત થતાં,
એ અષ્ટક,પ્રતર્દન,વસુમના અને ઉશીનરપુત્ર શિબિ એ ત્રણ ભાઈઓ સાથે રથમાં જતો હતો ત્યારે માર્ગમાં નારદજી મળ્યા.અષ્ટકની પ્રાર્થનાથી નારદજી રથમાં વિરાજ્યા,ત્યારે તેમાંના એક ભાઈએ નારાજીને પૂછ્યું કે-'અમે સર્વ આયુષ્યમાન,ને સર્વ ગુણોથી સંપન્ન છીએ,તો અમે ચારે સ્વર્ગમાં જઈશું પણ ત્યાંથી પાછો અહીં કોણ પહેલો નીચે ઉતરશે?'
Apr 9, 2024
સુગંધમયતા-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-481
અધ્યાય-૧૯૭-શિબિરાજાની પરીક્ષા
II मार्कण्डेय उवाच II देवानां कथा संजाता महीतलं गत्वा महिपतिं शिविमौशिनरं साध्वेनं शिवि जिज्ञास्याम उति I
एवं भो इत्युक्त्वा अग्निंद्रावुपतिष्ठेताम II १ II
માર્કંડેય બોલ્યા-એકવાર દેવોમાં વાત નીકળી કે-આપણે પૃથ્વી પર ઉશીનરપુત્ર શિબિરાજની પાસે જઈને તેની સારી
રીતે પરીક્ષા લઈએ.તે પરીક્ષા લેવા અગ્નિ ને ઇન્દ્ર તૈયાર થયા.અગ્નિએ હોલાનું રૂપ લીધું ને ઇન્દ્રે બાજનું રૂપ લઈને
માંસની ઈચ્છાથી વેગથી તેની પાછળ પડ્યો.હોલો પણ ગતિથી દોડીને દિવ્ય આસન પર વિરાજેલા
શિબિરાજાના ખોળામાં જઈને પડ્યો.ને રાજાને કહેવા લાગ્યો કે-