Apr 14, 2024

મસ્ત પવન-By અનિલ શુક્લ


માઈ માઈ,કર્યા કર્યું,ને મીંચી આંખ,અહીં તહીં ઘૂમ્યા કર્યું,
ખબરે ય રહી નહિ,માઇનું નામ ક્યારે રાધા-માઈ થઇ ગયું.

નાદ રાધાનો,ને રાસ પણ રાધાનો,બંધ આંખે જોયા કર્યો,
ત્યારે આવી ગયો પવન તાલમાં,નાદ અનહત થઇ ગયો.

અમી દૃષ્ટિ,રાધા માઈની,કે કાન્હા સંગ રાસ રચાઈ ગયો,
મસ્તી આવી,આવી ક્યાંથી? મસ્ત પવન,મસ્ત થઇ ગયો.

અનિલ શુક્લ 
માર્ચ-20-2017 

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-486

 

અધ્યાય-૨૦૨-ઉત્તંકનો બૃહદશ્વને ઉપદેશ 


II मार्कण्डेय उवाच II इक्ष्वाकौ संस्थिते राजन शशादः पृथिवीमिमाम् I प्राप्तः परमधर्मात्मा सोयोध्यायां नृपोभवत II १ II

માર્કંડેય બોલ્યા-હે રાજન,ઇક્ષ્વાકુ રાજા અવસાન પામ્યો ત્યારે અયોધ્યામાં પરમ ધર્માત્મા શશાદ રાજા થયો.

તેને કકુસ્થ નામે પુત્ર થયો,જેને અનેના,અનેનાને પૃથુ,પૃથુને વિશ્વગશ્વ,વિશ્વગશ્વને અદ્રિ.અદ્રિને યુવનાશ્વ.

યુવનાશ્વને શ્રાવ.શ્રાવને શ્રાવસ્તક,શ્રાવસ્તકને બૃહદશ્વ ને એ બૃહદશ્વને કુવલાશ્વ નામે પુત્ર થયો હતો.

યોગ્ય સમયે,બૃહદશ્વ,પુત્ર કુવલાશ્વને રાજ્યગાદી સોંપી વનમાં જવા નીકળવા તૈયાર થયા હતા તે વખતે,

મહાતેજસ્વી ઉત્તંક તેમની પાસે ગયા ને તેમને રોકીને કહેવા લાગ્યા કે-(10)

Apr 13, 2024

વાંક કોનો-By અનિલ શુક્લ

 

મોંઘી પડી ગઈ,ચાલી ગયેલી એ તક,જે વિના-મુલ્યે મળી હતી,
ના દેખી કે વિચારી,મળેલી,અમુલ્ય એ તક ને,તો વાંક કોનો છે?

સામે ચાલી  આંગણે આવી,બારણે પગલાં દઈ જતો રહ્યો છે "એ",
ના રાખી દરકાર,આરામથી સૂતા રહ્યા,તો એમાં વાંક કોનો છે?

નો'તી કરી તૈયાર ધરતીને,કે નહોતા તૈયાર કર્યા હતા બીજોને,
મૂશળધાર વરસી :એ" ચાલ્યો ગયો,તો એમાં વાંક કોનો છે?

ગંદકી જગતની,ના લાગે ગંદી,ને મોહથી મજા માણી રહ્યા,
સુંગધી હવા,આવીને ચાલી ગઈ,તો એમાં વાંક કોનો છે?

અનિલ શુક્લ
માર્ચ-૨૧-૨૦૧૭

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-485

 

અધ્યાય-૨૦૧-ધુંધુમારનું આખ્યાન-ઉત્તંકને વરપ્રાપ્તિ 


II वैशंपायन उवाच II श्रुत्वा तु राजा राजर्षेरिंद्रध्युम्नस्य तत्तया I मार्कण्डेयान्महाभागत् स्वर्गस्य प्रतिपादनम् II १ II

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે,યુધિષ્ઠિરરાજે,માર્કંડેય પાસેથી રાજર્ષિ ઇંદ્રદ્યુમ્નને ફરીથી થયેલી સ્વર્ગપ્રાપ્તિ વિશે

સાંભળ્યું.પછી તેમણે માર્કંડેયને પૂછ્યું કે-હે ધર્મજ્ઞ,દેવો,દાનવો,રાક્ષસો,વિવિધ રાજવંશો,ઋષિવંશો એ બધા તમારી જાણમાં છે.આ લોકમાં તમને કશું અજાણ્યું નથી.તમે તેમની સર્વ કથાઓ જાણો છો,તે હું તત્ત્વપૂર્વક સાંભળવા ઈચ્છું છું.ઇક્ષ્વાકુ વંશમાં કુવલાક્ષ નામે જે પ્રસિદ્ધ રાજા થયો હતો તેનું નામ ફેરવાઈને શા માટે ધુંધુમાર પડ્યું હતું?

Apr 12, 2024

ક્ષણોને-By અનિલ શુક્લ

 

ભીની મોસમ છે,વરસું વરસું,કરતો,તે વરસતો નથી,
મન મૂકી વરસી જા,ઓ,મેઘ,પછી હેતનું હાલરડું ગાઉં.

ચડવું છે ભીંતની ટોચ પર તો અટકી જવું કેમ પાલવે?
ભલે પડે,ફરી ચડ,ઓ કીડી,પછી તારા ફતેહના ગુણ ગાઉં.

આમ કરીશ,તેમ કરીશ,કે પછી સમય આવ્યે કરીશ,કહી એમ,
છટકી જાતો માનવ,તો ચાલી ગયેલ ક્ષણોને ક્યાંથી પાછી લાઉં?

અનિલ શુક્લ
માર્ચ-૨૬-૨૦૧૭

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-484

 

અધ્યાય-૨૦૦-દાનનું માહાત્મ્ય 


II वैशंपायन उवाच II श्रुत्वा स राजा राजपिंरिंद्रध्युम्न्स्य तत्तदा I मर्कन्देयान्महाभागात्स्वर्गस्य प्रतिपादनम् II १ II

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે મહાભાગ્યશાળી માર્કંડેયને મુખેથી યુધિષ્ઠિરરાજે રાજર્ષિ ઇંદ્રદ્યુમ્નને 

ફરી થયેલી સ્વર્ગપ્રાપ્તિ વિશેનો વૃતાંત સાંભળ્યા પછી યુધિષ્ઠિરે ફરી મુનિને પૂછ્યું કે-હે મહામુનિ,

પુરુષ કેવી અવસ્થાઓમાં દાન આપવાથી ઇંદ્રલોકમાં જાય છે?માણસ ગૃહસ્થાશ્રમમાં,બાળપણમાં,

યુવાવસ્થામાં અથવા વૃદ્ધવયમાં દાનનું ફળ કેવી રીતે ભોગવે છે? તે વિષે કહો (3)

Apr 11, 2024

વૈરાગી-By અનિલ શુક્લ

 

વખ બન્યાં છે કામ સંસારનાં,વૈરાગી બની ગયું છે મન,
લય લાગી અનંતની,કૃષ્ણ આકાશ તો હું બન્યો પવન.

મસ્તી અનંતની,કદી સ્થિર,તો કદી પ્રારબ્ધથી અસ્થિર,
રૂપ અનિલનું ધરી વહુ  છું,અનિલ સંગ,બનીને હું ધીર.

"હું" નથી રહ્યો "હું" તો શું કહી શકું? મારા વિષે હું?
અનુભવી લો,બાકી હાથમાં આવી શકીશ નહિ હું.

અનિલ
૨૩,જુલાઈ-૨૦૧૭

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-483

 

અધ્યાય-૧૯૯-ઇંદ્રદ્યુમ્નનું આખ્યાન 


II वैशंपायन उवाच II मार्कण्डेयमृपयः पांडवा: पर्यप्रुच्छ्न्नस्ति कश्चिद्भवतश्विरजाततर इति II १ II

વૈશંપાયન બોલ્યા-ઋષિઓએ ને પાંડવોએ માર્કંડેયને ફરીથી પૂછ્યું કે-'તમારાથી પણ આગળ જન્મેલો કોઈ છે?'

માર્કંડેય બોલ્યા-હા,ઇંદ્રદ્યુમ્ન નામે એક રાજર્ષિ એવો છે.પુણ્ય ક્ષય થવાથી તે સ્વર્ગલોકમાંથી ભ્રષ્ટ થયો હતો,ત્યારે તેને વિચાર આવ્યો કે 'શું મારી કીર્તિ અહીં પૃથ્વી પર સાફ થઇ ગઈ હશે?' તે મારી પાસે આવીને મને પૂછવા લાગ્યો કે 'મને ઓળખો છો?' ત્યારે મેં કહ્યું કે-ના,પણ હિમાલયમાં પ્રાવારકર્ણ નામે એક ઘુવડ,મારાથી આગળ જન્મ્યો છે તે કદાચ તમને ઓળખાતો હોય.પણ હિમાલય તો ઘણો દૂર છે.

Apr 10, 2024

આકાશ-સમ-By અનિલ શુક્લ


ખુદ તો છે 'એ' આકાશ-સમ,પણ આકાશનેય બનાવી દીધું તેણે,
ને અમૂર્ત આકાશમાં સ્પર્શ,ઘર્ષણ,અથડામણની ક્રિયા કરી ગયો.

સર્જન મૂર્ત બ્રહ્માંડનું કેમે થઇ ગયું,આશ્લેષમાં લીધી હવા-શક્તિને,
પોતે કારણ નથી,પણ સૂરજને તેજ-શક્તિ દઈ,કારણ બની ગયો.

બનાવી દીધી પૃથ્વી,ને જળ પૂરી,દીધી ઠંડક,દાહ્ય એ પૃથ્વીને,
ને કશ્યપ અવતાર બની,જળમાં ડૂબેલી પૃથ્વીને ઉંચી કરી ગયો.

અનિલ
ઓગસ્ટ-૧૭-૨૦૧૭

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-482

 

અધ્યાય-૧૯૮-ક્ષત્રિય માહાત્મ્ય ને શિબિચરિત્ર 


II वैशंपायन उवाच II भूय एव महाभाग्यं कथ्यतामित्यब्रवीत्पांडवो मार्कण्डेयम् II १ II

વૈશંપાયન બોલ્યા-યુધિષ્ઠિર પાંડવે માર્કંડેયમુનિને કહ્યું-'તમે હજુ ક્ષત્રિયોના માહાત્મ્ય વિષે વધુ કહો'

ત્યારે માર્કંડેય બોલ્યા-વિશ્વામિત્રના પુત્ર અષ્ટકના અશ્વમેઘ યજ્ઞમાં સર્વ રાજાઓ ગયા હતા.યજ્ઞ સમાપ્ત થતાં,

એ અષ્ટક,પ્રતર્દન,વસુમના અને ઉશીનરપુત્ર શિબિ એ ત્રણ ભાઈઓ સાથે રથમાં જતો હતો ત્યારે માર્ગમાં નારદજી મળ્યા.અષ્ટકની પ્રાર્થનાથી નારદજી રથમાં વિરાજ્યા,ત્યારે તેમાંના એક ભાઈએ નારાજીને પૂછ્યું કે-'અમે સર્વ આયુષ્યમાન,ને સર્વ ગુણોથી સંપન્ન છીએ,તો અમે ચારે સ્વર્ગમાં જઈશું પણ ત્યાંથી પાછો અહીં કોણ પહેલો નીચે ઉતરશે?'