Showing posts with label કવિતાઓ-અનિલ. Show all posts
Showing posts with label કવિતાઓ-અનિલ. Show all posts

Apr 1, 2024

બેહોશી-By અનિલ શુક્લ

 

હોશ આવી ગયો અંદર,પણ બહાર જાણે છે બેહોશી,લાગે છે દિવાનગીની,
ભૂલ્યો ખુદને,ભળ્યો 'તે'માં,તો સમજાય છે તે બેહોશી,હોશમાં આવ્યા પછી.

વાગી રહી છે વીણા ગજબ અંદર ને અજબ સુગંધમય આ શ્વાસ લાગે છે,
ફુલો ખીલી ઉઠયાં છે અંદર,પણ બહારથી જગતને કાંટા જ કેમ દેખાય છે?

આપી દીધો સર્વ ભાર જ્યાં 'તે'ને,તો ભારહીન આ શરીર થઇ ગયું લાગે,
માથે રાખી ભારને ફરતા સંસારને,આ અજબ ભારહીનતા ક્યાં દેખાય છે?

દિલ દીધું,પ્રેમાનંદ દીધો,દર્દ પણ દીધું ને દર્દની મસ્ત નજાકત બેહોશી દીધી,
મારા પ્રભુની કૃપા તો જુઓ,પાત્રતાથી વધુ દઈ દીધું હોય એવું જ જણાય છે.

અનિલ
નવેમ્બર,૨૭,૨૦૧૮

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mar 31, 2024

રાહ-By અનિલ શુક્લ

 

રણમાં ઘર બનાવવાની ઈચ્છા નથી રહી હવે,
જે ઘરમાં રહું છું તે ઘર જ રણ-સમ બની ગયું.

જે આંખોથી ખોળતો રહ્યો હતો 'તે'ને,પણ,
મળ્યો 'તે' તો આંખમાં જ સમાયો બેઠો હતો.

રગરગમાં 'તે' ફેલાઈને તે વહી રહ્યો છે,તો
તેનું સરનામું કઈ રીતે આપું ?તે તમે જ કહો.

પથ 'તે'નો કોણે બતાવ્યો? તે ના પૂછશો તમે,
પ્રેમથી હૃદય થયું વ્યાકુળ,ને રાહ મળી ગઈ !

અનિલ
નવેમ્બર,૨૯,૨૦૧૮

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mar 30, 2024

ઉન્મતતા-By અનિલ શુક્લ

 

સમાઈ ગઈ છે જે બુંદ સાગરમાં,તે બીજી બુંદને શું સમજાવે?
આકાશમાં મુક્ત ફરતું પંખી.પિંજરાના પંખીને શું સમજાવે?

મૌન માફક આવી ગયું,હવે વાણીનો વિલાસ બાકી ના રહ્યો,
વર્ણવી ન શકાય તેને વર્ણવવાની ચેષ્ઠા કરી પણ શકાય કેમ?

મદહોશી કહો,મદમસ્ત કહો,દીવાનગી કહો,કે કહો પાગલતા,
ઉન્મતતા જ કામ આવી ગઈ,ના વતાવું કોઈને,કોઈ ના વતાવે !

અનિલ
ડીસેમ્બર-૬-૨૦૧૮

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mar 29, 2024

ગીત-By અનિલ શુક્લ

 

જનમ્યું હજી જે નથી તેને દેખું છું,
હજુ ખીલ્યું નથી ફુલ તેને દેખું છું.

ઉત્કંઠિત થયેલા કાનનું શું કહેવું?
સ્વરો હજી જે સાજમાં છે,સાંભળું છું.

વિના માગ્યે મળી ગયું જ બધું,
જે ગીત ગવાયું નથી,તે સાંભળું છું.

મૂંગો છું પણ જે સ્વાદને સમજુ છું,
વાણી નથી પાસ તો લખીને કહું છું.

અનિલ
ડીસેમ્બર-૧૭-૨૦૧૮

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mar 28, 2024

માયાધામ-By અનિલ શુક્લ

 

'એ' ને ખોળવો,એય ભ્રાંતિ નથી શું ભલા?
સમજાય છે એ 'એ' ખુદમાં મળી ગયા બાદ.

પ્રભુ,તેમનું દિલ બદલ કે પછી મારી વાણી,
હજાર કહું પણ ના સમજી શકે તે મારી વાત.

સર્વસ્થાને જે, તે રહે કેમ કોઈ એક સ્થાને?
સર્વનામ જેના તેનું ક્યાંથી હોય એક નામ?

બિંબ-પ્રતિબિંબ થયું,માયાની આ માયાજાળ,
હદ નહોતી,પણ સરહદ બની,બન્યું માયાધામ.

અનિલ
ડીસેમ્બર-૧૭-૨૦૧૮

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mar 27, 2024

આત્મારામ-By અનિલ શુક્લ

 

ઝુકાવી દીધું શિર તો પછી તેને પાછું ઉઠાવવું શું?
મળી બેહોશી પરમપ્રેમની તો હોશમાં આવવું શું?

ડૂબ્યા પ્રાર્થનામાં તો પછી કરવી હવે પ્રાર્થના શું?
આશકી પરમપ્રેમની મળી તો બીજી વાતો શું?

જીવનની ઉપર ઉઠી ગયા પછી નીચા જવાનું શું?
અમર્યાદ થયું જીવન તો જીવનની મર્યાદાઓનું શું?

સરનામું છે,ખબર પણ છે તો પછી તેને ખોળવો શું? 
જ્યાં છે 'તે' ત્યાં ખોળે નહિ તો 'તે' મળી જાય શું? 

સ્તબ્ધતા છે,બંધ વાણી છે,અજબ આલમ થઇ ગયું, 
રામ,આત્મારામ થયો,જિંદગી રહે ના રહે, ફેર શું? 

અનિલ
ડીસેમ્બર-૨૧-૨૦૧૮

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mar 26, 2024

નિર્વિચાર-By અનિલ શુક્લ

 

ધર્મશાળા કહો કે કેદખાનું- તે ઘરને,સ્થાયી થઇ ત્યાં કોઈ રહી ના શકે,
કરવટો બદલો ગમે તેટલી પણ શાંતિની નીંદ ત્યાં કેમે કરી મળી શકે?

રણમાં બનાવી ઘર કે જંગલોમાં જઈ-જેને ખોળવાની તમન્નાઓ હતી,
એક દિ' છોડવું પડશે-વિચાર્યું એમ  -તો 'એ' પાસમાં જ બેઠેલો હતો.

ખોળતા હતા જે નયન,'તે'ને ચોતરફ,તે જ નયનોમાં જ 'તે' બેઠેલો હતો.
વિચાર કરીને 'તે' ને કહેવો કેવી  રીતે? નિર્વિચાર અવસ્થામાં 'તે' મળ્યો હતો.

અનિલ
ફેબ્રુઆરી,૨,૨૦૧૯

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mar 25, 2024

આકાશમાં-By અનિલ શુક્લ

 

ભૂલોકમાંથી નીપજ્યું ગાન કાવ્યનું ને પ્રસરી રહ્યું આકાશમાં,
છૂપી રહી ના શકે હવામાં,ફૂલોની સુગંધ કદી,આ આકાશમાં.

કોણ ઉપજાવી રહ્યું અજબનું સંગીત ખુલ્લા આ આસમાનમાં,
લાગે કે મુરલીધરની મુરલીમાં વહી રહી સુગંધી હવા આકાશમાં.

શું કોઈ શબ્દ-બ્રહ્મનું બાણ તો વાગી નથી ગયું સૂતેલા સિંહને,
અહમ-શિવોહમ થયું,મધુર કાવ્ય-વીણા વાગી રહી આકાશમાં.

અનિલ
ફેબ્રુઆરી-૨૩,૨૦૧૯


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mar 24, 2024

પ્રજ્ઞા-By અનિલ શુક્લ

 

તબક્કો એક એવો પણ છે,જ્યાં બુદ્ધિ માર્ગદર્શન ના કરી શકે,
કસરતો બુદ્ધિની પૂરી થાય તો,જ બુદ્ધિ પારનું 'તત્વ' મળી શકે.

શાંત,સ્થિર મનથી થાય અંતરદૃષ્ટિ,તો તે જ બુદ્ધિ પ્રજ્ઞા બને,
આ શુદ્ધ પ્રજ્ઞા જ માર્ગદર્શક બને,તો સર્વ સ્પષ્ટ સમજાઈ શકે.

પ્રજ્ઞાથી દર્શન આત્મનું થયું,જ્યાં સ્પષ્ટ,સંપૂર્ણ અને સમગ્રતાથી,
'અનુભવ' થયો ને તે અનુભવ જ અનંતનો માર્ગદર્શક બની શકે.

અનિલ
ફેબ્રુઆરી-૨૮-૨૦૧૯


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com