Showing posts with label કવિતાઓ-અનિલ. Show all posts
Showing posts with label કવિતાઓ-અનિલ. Show all posts

Apr 11, 2024

વૈરાગી-By અનિલ શુક્લ

 

વખ બન્યાં છે કામ સંસારનાં,વૈરાગી બની ગયું છે મન,
લય લાગી અનંતની,કૃષ્ણ આકાશ તો હું બન્યો પવન.

મસ્તી અનંતની,કદી સ્થિર,તો કદી પ્રારબ્ધથી અસ્થિર,
રૂપ અનિલનું ધરી વહુ  છું,અનિલ સંગ,બનીને હું ધીર.

"હું" નથી રહ્યો "હું" તો શું કહી શકું? મારા વિષે હું?
અનુભવી લો,બાકી હાથમાં આવી શકીશ નહિ હું.

અનિલ
૨૩,જુલાઈ-૨૦૧૭

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Apr 10, 2024

આકાશ-સમ-By અનિલ શુક્લ


ખુદ તો છે 'એ' આકાશ-સમ,પણ આકાશનેય બનાવી દીધું તેણે,
ને અમૂર્ત આકાશમાં સ્પર્શ,ઘર્ષણ,અથડામણની ક્રિયા કરી ગયો.

સર્જન મૂર્ત બ્રહ્માંડનું કેમે થઇ ગયું,આશ્લેષમાં લીધી હવા-શક્તિને,
પોતે કારણ નથી,પણ સૂરજને તેજ-શક્તિ દઈ,કારણ બની ગયો.

બનાવી દીધી પૃથ્વી,ને જળ પૂરી,દીધી ઠંડક,દાહ્ય એ પૃથ્વીને,
ને કશ્યપ અવતાર બની,જળમાં ડૂબેલી પૃથ્વીને ઉંચી કરી ગયો.

અનિલ
ઓગસ્ટ-૧૭-૨૦૧૭

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Apr 9, 2024

સુગંધમયતા-By અનિલ શુક્લ


 નહોતું રહ્યું વહેવાનું,ને ન હાલે કે ચાલે,
સ્થિરતાનો બન્યો હતો સ્વભાવ પવનનો,
થઇ કૃપા હશે શું અંનતની? વિચારું હવે,
કે સુગંધમયતા પવનની થઇ ગઈ,ક્યાંથી?

જ્યોતિ પ્રકાશની હતી લલાટે સ્થિર ,ને,
સમ બની શ્વાસ બની જતો હતો  સ્થિર,
થઇ કૃપા હશે શું અંનતની? વિચારું હવે,
પ્રકાશનો એ પૂંજ પથરાઈ ગયો ક્યાંથી?

દૂર થઇ હતી તરંગમયતા આકાશની જાણે,
અદ્ભૂત રીતે અનુભવાતું હતું શૂન્ય એ કાને,
થઇ કૃપા હશે શું અનંતની? વિચારું હવે,
એ,નાદ અનહતનો સંભળાઈ ગયો ક્યાંથી?

અનિલ
3,સપ્ટેમ્બર,2017

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Apr 8, 2024

શિવોહમ-By અનિલ શુક્લ

 

નથી રહી મંઝીલ,ખુદથી ખુદ જ બની ગઈ મંઝીલ,
"હું" ગયું તો ગયું જગત,કોણ કોને ઓળખી શકે ?

નથી રહ્યો આયનો સામે,ખુદ આયનો બની ગયો,
પ્રતિબિંબ તેનું પડ્યું,તો તે જ ખુદને ઓળખી ગયો.

બાળીને "હું"ને,લગાવી ભભૂતિ તો જોગી બની ગયો,
ના રહ્યા સંશયો,ઝલક થઇ,ને ખુદ બ્રહ્મ બની ગયો.

અનિલ શુક્લ
૨૫ ઓક્ટોબર-૨૦૧૭

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Apr 6, 2024

અનહત-નાદ-By અનિલ શુક્લ

 

સમ થયા શ્વાસોશ્વાસ,તો અચાનક સુગંધમયતા થઇ ક્યાંથી?
બંધ-વજનહીન થઇ આંખો,તો પ્રકાશમય જ્યોતિ થઇ ક્યાંથી?

ચોંટી જઈને તાળવે, જીભ કોઈ ગજબ અમૃતપાન કરતી લાગે,
સૂર અંદરના સાંભળવા કાન પણ ઉત્સુક થયા હોય એમ લાગે.

પ્રણવના અ-ઉ-મ- અક્ષરોને,નિહાળું,સાંભળું,અનુભવું શ્વાસથી,
સુગંધમય,અમૃતમય,પ્રકાશતો,અનહત-નાદ વાગી ગયો ક્યાંથી?

અનિલ
નવેમ્બર,૨૨-૨૦૧૭

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Apr 5, 2024

જ્ઞાનથી મુક્તિ-By અનિલ શુક્લ



જુદા-જુદા છે તન-રૂપી-રથ સર્વના,બેસાડી આત્માને કરી રહ્યા સર્વ યાત્રા અનંતની,
જુદા-જુદા છે પથ,અનંતના,કોઈ કરે ભક્તિ,કોઈ કરે કર્મ,તો કોઈ કરે જ્ઞાનથી મુક્તિ.

અનિલ-
માર્ચ-૧૯-૨૦૧૮ 

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Apr 4, 2024

સ્થિરતાને-By અનિલ શુક્લ

 

છબછબિયાં પાણીમાં કરી,મળે એ ક્ષણિક આનંદનું હવે શું કામ છે?
કૂદકો લગાવ્યો જ્યાં અનંતનો ને પામ્યા,જ્યાં નિર્વિક્ષેપ પરમાનંદને.

મુખમાં રાખી વિષ-રૂપી ચોખાનો દાણો,ફરવાનું કીડીને શું કામ છે?
પામી ગઈ છે તે જયારે  સાકરના ગાંગડાના પહાડ-રૂપી રસ-અમૃતને.

વ્યર્થ આ સંસારમાં ભટકવું શું ? ને તેમાં ભળવાનું ય શું કામ છે?
ખુદના જ ઘર બેસી,ખુદમાં ભળ્યા ને પામી ગયા જ્યાં એ અનંતને.

ખુદ હલવું કે હલાવવું ,એવી ચપળતા રાખવાનું અનિલને શું કામ છે?
ભળી ગયો,પામી ગયો જ્યાં તે સુગંધમય-અદભુત એવી સ્થિરતાને.

અનિલ
ઓગસ્ટ-૨૨-૨૦૧૮

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Apr 3, 2024

પ્રેમ તમારો-By અનિલ શુક્લ

 

હવા વિના જ સુગંધ વહી રહી છે હવે,
જ્યાં દેહ માટીનો કમળ થઇ ગયો.

સુક્કી નદી પૂરથી ભરાઈ ગઈ છે હવે,
ને તપ્ત થઇ પૂર્ણ મહાસાગર થઇ ગયો.

કંઇક એવો ચમત્કાર થઇ ગયો કે શું?
કે અનામ કાચનો ટુકડો હીરો બની ગયો.

પ્રાણને પીવડાવી દીધો આસવ એવો તમે,
ચુર થઇ દેહ અજબ સુગંધમય થઇ ગયો.

નિર્ધન નજર અચાનક જ અમીર થઇ ગઈ,
ને પ્રેમ તમારો કણકણમાં મશહૂર થઇ ગયો.

અનિલ
સપ્ટેબર-૨૪-૨૦૧૮

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Apr 2, 2024

ચિદાકાશ-By અનિલ શુક્લ

 

લઈને સુગંધ,હવે હવાને વહેવું શું? કે તે વિશે વધુ કહેવું શું?
અંતર્ધાન થઇ ગયું જ્યાં દૃશ્ય છે,તો તે વિશે વધુ કહેવું શું?

મુઠ્ઠીમાં ભરી ના શકો આકાશને તો બંધન વિશે કહેવું શું?
નથી નાદ કે નથી ગંધ,તો આકાશ-પવન વિશે વધુ કહેવું શું?

આકાશને ભરી રહ્યો પવન,તો તેના વતન વિશે વધુ કહેવું શું?
સ્થિરતા પવનની થઇ કે ના થઇ મશહૂર,તે વિશે વધુ કહેવું શું?

આનંદ છે,પરમાનંદ છે,તો ચાહ-ચિંતા વિશે વધુ હવે કહેવું શું?
થયું સર્વ જ્યાં ચિદાકાશ તો દેહ કે ભભૂતિનું હવે રહ્યું કામ શું?

અનિલ
સપ્ટેબર,૨૭,૨૦૧૮

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com