ટોળીના નાયક અંગદ સાથે બધા વાનરોનું ટોળું પણ પ્રાણત્યાગ કરવાનો નિશ્ચય કરીને બેસી ગયા,એકલા,હનુમાનજી મનમાં વિચારે છે કે-આ ઠીક લાગતું નથી,આમ નિરાશ થઇ ને મરવાથી કંઈ સીતાજી જડે નહિ.એટલામાં જ એક મહા ભયંકર ગીધ,પર્વતની ગુફામાંથી ચાલીને બહાર આવ્યો,અને આટલા બધા વાનરો જોઈને તે રાજી થઇ કહેવા લાગ્યો કે-આજે તો ખાતાં ખૂટે નહિ એટલું ખાવાનું મારા હાથમાં આવ્યું છે.આ સાંભળી વાનરો ફફડી ઉઠયા-ને કહેવા લાગ્યા કે ઉપવાસ કરી મરવાનું પુણ્ય પણ શું આ નહિ લેવા દે?
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Jan 3, 2022
Jan 1, 2022
Dec 31, 2021
Dec 30, 2021
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૩
શ્રીરામ એ સૌ વાનરોને એક સાથે મળ્યા.ને પછી,એક એક વાનરને મળી તેમનું કુશળ પૂછ્યું.
તુલસીદાસજી કહે છે કે-પ્રભુની આ કંઈ મોટાઈ નથી,આ તો તેમનો સ્વભાવ છે.પ્રભુ સર્વ-વ્યાપક છે.વિશ્વ-રૂપ છે, 'યહ કછુ નહિં પ્રભુ અધિકાઈ,બિસ્વરૂપ બ્યાપક રઘુરાઈ.'
વાનરોની સભા એકઠી થઇ અને સુગ્રીવે,એક વાત સૌને સમજાવી દીધી કે-ચારે બાજુ જાઓ,
તુલસીદાસજી કહે છે કે-પ્રભુની આ કંઈ મોટાઈ નથી,આ તો તેમનો સ્વભાવ છે.પ્રભુ સર્વ-વ્યાપક છે.વિશ્વ-રૂપ છે, 'યહ કછુ નહિં પ્રભુ અધિકાઈ,બિસ્વરૂપ બ્યાપક રઘુરાઈ.'
વાનરોની સભા એકઠી થઇ અને સુગ્રીવે,એક વાત સૌને સમજાવી દીધી કે-ચારે બાજુ જાઓ,
રાવણનાં ખાનગી નિવાસસ્થાનો ખોળી કાઢો,ને સીતાજીને ગમે ત્યાં રાખ્યાં હોય,તેની શોધ કરો,એક મહિનાની મુદત આપું છું,ભુલતા નહિ કે આ રામજીનું કામ છે.
Dec 29, 2021
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૨
તુકારામ મહારાજ ઈશ્વરના અનન્ય ભક્ત હોવા છતાં,તેમના જીવનમાં ઘણું દુઃખ આવ્યું હતું,
એક વખત ગામના લોકોએ તેમને ગધેડા પર બેસાડીને ફેરવ્યા,છતાં તુકારામ મહારાજ સ્વસ્થ રહ્યા.લોકો તાળીઓ પાડે ને ખુશ થાય ,તુકારામ તેમને તાળીઓ પાડતાં જોઈને ખુશ થાય.સંતનું આ લક્ષણ છે,એમને પોતાનો કદી વિચાર આવતો જ નથી.સાધુની સાધુતાને કોઈ સીમા નથી,જયારે દુષ્ટોની દુષ્ટતા કોઈ વાર હદ વટાવી જાય છે.
એક વખત ગામના લોકોએ તેમને ગધેડા પર બેસાડીને ફેરવ્યા,છતાં તુકારામ મહારાજ સ્વસ્થ રહ્યા.લોકો તાળીઓ પાડે ને ખુશ થાય ,તુકારામ તેમને તાળીઓ પાડતાં જોઈને ખુશ થાય.સંતનું આ લક્ષણ છે,એમને પોતાનો કદી વિચાર આવતો જ નથી.સાધુની સાધુતાને કોઈ સીમા નથી,જયારે દુષ્ટોની દુષ્ટતા કોઈ વાર હદ વટાવી જાય છે.
Dec 28, 2021
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૧
શ્રીરામ,વર્ષા-ઋતુમાં આમ આકાશને જુએ છે,પૃથ્વીને,વાદળાંને પહાડને જુએ છે,ને સીતાજીની યાદ અને વિરહને સમાવવાનો પ્રયત્ન કરે છે,પણ તેમની યાદ વધુને વધુ ગાઢ થતી જાય છે.શ્રીરામ લક્ષ્મણને કહે છે કે-હે,લક્ષ્મણ વર્ષા-ઋતુ વીતી ગઈ પણ હજુ સુધી,સીતાની કંઈ ભાળ લાગી નહિ,રાજા થયો ને સાહ્યબી મળી,એટલે સુગ્રીવ, પણ મને ભૂલી ગયો.અને આમ વિચારતાં એમને એટલો બધો ખેદ થઇ ગયો કે-એમનાથી બોલાઈ ગયું કે-શું એ પણ મોત માગે છે કે શું?
Dec 23, 2021
Dec 22, 2021
Subscribe to:
Comments (Atom)