Jan 3, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૫

ટોળીના નાયક અંગદ સાથે બધા વાનરોનું ટોળું પણ પ્રાણત્યાગ કરવાનો નિશ્ચય કરીને બેસી ગયા,એકલા,હનુમાનજી મનમાં વિચારે છે કે-આ ઠીક લાગતું નથી,આમ નિરાશ થઇ ને મરવાથી કંઈ સીતાજી જડે નહિ.એટલામાં જ એક મહા ભયંકર ગીધ,પર્વતની ગુફામાંથી ચાલીને બહાર આવ્યો,અને આટલા બધા વાનરો જોઈને તે રાજી થઇ કહેવા લાગ્યો કે-આજે તો ખાતાં ખૂટે નહિ એટલું ખાવાનું મારા હાથમાં આવ્યું છે.આ સાંભળી વાનરો ફફડી ઉઠયા-ને કહેવા લાગ્યા કે ઉપવાસ કરી મરવાનું પુણ્ય પણ શું આ નહિ લેવા દે?

Dec 31, 2021

Budhdha Dharma-Simple explaination in Gujarati-બુદ્ધ ધર્મ વિષે સરળ સમજ

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-019


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૪

તુલસીદાસજી કહે છે કે-શરીર એ ઘર છે,મુખ એ બારણું છે,અને જીભ એ ઉમરો છે.
જેમ,ઉમરા પર દીવો મુકવામાં આવે તો ઘરની અંદર અને બહાર બંને જગ્યાએ અજવાળું 
કરે છે,તેમ,જીભ-રૂપી ઉમરા પર રામનામનો દીવો મુકવાથી,પુરુ શરીર પ્રકાશથી ઝળહળી ઉઠશે.નામ-જપથી જીવનો અંધકાર દૂર થશે.માટે જીભને રામનામથી પ્રકાશિત કરો.

Dec 30, 2021

Dongreji Maharaj-Life-Hindi Book-डोंगरेजी महाराज-जीवन-हिंदी बुक


Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-018


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૩

શ્રીરામ એ સૌ વાનરોને એક સાથે મળ્યા.ને પછી,એક એક વાનરને મળી તેમનું કુશળ પૂછ્યું.
તુલસીદાસજી કહે છે કે-પ્રભુની આ કંઈ મોટાઈ નથી,આ તો તેમનો સ્વભાવ છે.પ્રભુ સર્વ-વ્યાપક છે.વિશ્વ-રૂપ છે, 'યહ કછુ નહિં પ્રભુ અધિકાઈ,બિસ્વરૂપ બ્યાપક રઘુરાઈ.'
વાનરોની સભા એકઠી થઇ અને સુગ્રીવે,એક વાત સૌને સમજાવી દીધી કે-ચારે બાજુ જાઓ,
રાવણનાં ખાનગી નિવાસસ્થાનો ખોળી કાઢો,ને સીતાજીને ગમે ત્યાં રાખ્યાં હોય,તેની શોધ કરો,એક મહિનાની મુદત આપું છું,ભુલતા નહિ કે આ રામજીનું કામ છે.

Dec 29, 2021

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-017


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૨

તુકારામ મહારાજ ઈશ્વરના અનન્ય ભક્ત હોવા છતાં,તેમના જીવનમાં ઘણું દુઃખ આવ્યું હતું,
એક વખત ગામના લોકોએ તેમને ગધેડા પર બેસાડીને ફેરવ્યા,છતાં તુકારામ મહારાજ સ્વસ્થ રહ્યા.લોકો તાળીઓ પાડે ને ખુશ થાય ,તુકારામ તેમને તાળીઓ પાડતાં જોઈને ખુશ થાય.સંતનું આ લક્ષણ છે,એમને પોતાનો કદી વિચાર આવતો જ નથી.સાધુની સાધુતાને કોઈ સીમા નથી,જયારે દુષ્ટોની દુષ્ટતા કોઈ વાર હદ વટાવી જાય છે.

Dec 28, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૧

શ્રીરામ,વર્ષા-ઋતુમાં આમ આકાશને જુએ છે,પૃથ્વીને,વાદળાંને પહાડને જુએ છે,ને સીતાજીની યાદ અને વિરહને સમાવવાનો પ્રયત્ન કરે છે,પણ તેમની યાદ વધુને વધુ ગાઢ થતી જાય છે.શ્રીરામ લક્ષ્મણને કહે છે કે-હે,લક્ષ્મણ વર્ષા-ઋતુ વીતી ગઈ પણ હજુ સુધી,સીતાની કંઈ ભાળ લાગી નહિ,રાજા થયો ને સાહ્યબી મળી,એટલે સુગ્રીવ, પણ મને ભૂલી ગયો.અને આમ વિચારતાં એમને એટલો બધો ખેદ થઇ ગયો કે-એમનાથી બોલાઈ ગયું કે-શું એ પણ મોત માગે છે કે શું?

Dec 23, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૦

રામજી પ્રવર્ષણ પર્વત પર ચાતુર્માસ કરે છે.ચોમાસાના દિવસો છે.
એક શિલા પર શ્રીરામ ને લક્ષ્મણ બેઠા છે. આવી રીતે ઘણીવાર તેઓ બેસે છે,અને ત્યારે,લક્ષ્મણ મોટાભાઈને ધર્મનીતિના પ્રશ્નો પૂછે છે.શ્રીરામ તેના જવાબો આપે છે.
અને જ્ઞાન,વૈરાગ્ય-ભક્તિની અનેક કથાઓ કહી,લક્ષ્મણને આનંદ આપે છે.

Dec 22, 2021

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-016


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૯

શ્રીરામની કૃપાથી ભાઈ-ભાઈનાં વેરઝેર આમ મટી ગયાં. મહાત્માઓ કહે છે કે-જિંદગીમાં કદી વેર-ઝેરને પોષશો નહિ,વેર-ઝેર ને વાસના રાખીને મરે તેનું મરણ બગડે છે.મરણ તો સૌના લલાટે લખાયેલું જ છે,પણ સાદું,સંયમી જીવન જીવીને તે મરણને સુધારવું તે મનુષ્યના પોતાના હાથની વાત છે.માટે જીવનમાંથી વેર-ભાવનાને છોડવી જોઈએ.