Dec 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-371

 

અધ્યાય-૮૩-વિશેષ તીર્થ વર્ણન 


II पुलस्त्य उवाच II ततो गच्छेत राजेन्द्र कुरुक्षेत्रममिष्टुतम I पापेभ्यो यत्र मुच्यन्ते दर्शनात्सर्वजन्तवः II १ II

પુલસ્ત્ય બોલ્યા-'હે રાજેન્દ્ર,ત્યાંથી વખાણવા લાયક કુરુક્ષેત્રમાં જવું,જેના દર્શનથી,પાપથી મુક્ત થવાય છે.

'હું કુરુક્ષેત્રમાં જઈશ ને ત્યાં વાસ કરીશ'એમ જે સતત જપ્યા કરે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે.

પવને ઉડાડેલી કુરુક્ષેત્રની ધૂળ પણ પાપકર્મીને પરમ ગતિએ લઇ જાય છે.જેઓ,સરસ્વતીની દક્ષિણે ને દષદવતીની ઉત્તરે કુરુક્ષેત્રમાં વાસ કરે છે તેઓ સ્વર્ગમાં જ વસે છે.બ્રહ્માદિ દેવો ત્યાં બ્રહ્મક્ષેત્રમાં જાય છે.જે મનમાં પણ કુરુક્ષેત્ર જવાની ઈચ્છા કરે છે તે પાપરહિત થઈને બ્રહ્મલોકને પામે છે.ત્યાં મચપ્રુક નામના યક્ષ દ્વારપાલને વંદન કરવાથી સહસ્ત્ર ગોદાનનું ફળ સાંપડે છે,આમ,જે કુરુક્ષેત્રમાં જાય છે તે રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞનું ફળ મેળવે છે.(9)

Dec 19, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-370

 

ત્યાંથી,આગળ સિદ્ધોએ સેવેલાં શકતીર્થ અને કુમારિકાતીર્થ આવે છે,જેમાં સ્નાન કરનાર તત્કાલ સ્વર્ગલોકને 

પામે છે.ત્યાં રેણુકાતીર્થ છે જેમાં સ્નાન કરવાથી,મનુષ્ય ચંદ્રમા જેવો નિર્મલ થાય છે.

ત્યાંથી જે મનુષ્ય પંચનદમાં જાય છે તે શાસ્ત્રમાં ખેલ પાંચ યજ્ઞોનું ફળ પામે છે.

પછી,ભીમાના ઉત્તમ સ્થાનમાં જવું,ત્યાં યોનિતીર્થમાં સ્નાન કરનાર દેવીનો પુત્ર થાય છે.ત્યાંથી આગળ

શ્રીકુંડતીર્થમાં જઈ પિતામહ બ્રહ્માને નમન કરવાથી મનુષ્ય સહસ્ત્ર ગોદાનનું ફળ મેળવે છે (86)

Dec 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-369

 

હે રાજન,જેમ,દેવોમાં મધુસુદન પ્રથમ કહેવાય છે તેમ,તીર્થોમાં પુષ્કર પ્રથમ કહેવાય છે,પવિત્ર ને નિયમપરાયણ થઈને જે બાર વર્ષ સુધી આ પુષ્કર તીર્થમાં વસે છે તે બ્રહ્મલોકમાં જાય છે,કોઈ મનુષ્ય સો વર્ષ સુધી અગ્નિહોત્રની ઉપાસના કરે અથવા કાર્તિકી પૂર્ણિમાએ પુષ્કરમાં વાસ કરે,તો બંનેને સરખું ફળ મળે છે.

Dec 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-368

અધ્યાય-૮૨-પુલસ્ત્યે કરેલું તીર્થવર્ણન 


(નોંધ-અધ્યાય-82 થી અધ્યાય-85 સુધી અસંખ્ય એવા તીર્થોનો મહિમા કહ્યો છે)

II पुलस्त्य उवाच II अनेन तात धर्मज्ञ प्रश्नयेण दमेन च I सत्येन च महाभाग तुष्टोSस्मि तव सुव्रत II १ II

પુલસ્ત્ય બોલ્યા-હે ધર્મજ્ઞ,હે સુવ્રત,હે મહાભાગ,તારા આ વિનયથી અને ઉન્દ્રિયદમનથી તેમ જ તારા સત્યથી હું પ્રસન્ન

થયો છું.પિતૃભક્તિને લીધે આવો ધર્મ તેં સ્વીકાર્યો છે,તેથી તું મારુ દર્શન પામ્યો છે,મારુ દર્શન મિથ્યા થતું નથી,

મને તારા પર પ્રીતિ થઇ છે કહે.હું તારૂ શું કામ કરું? તું જે માગીશ તે હું આપીશ' (3)

Dec 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-367

 

અધ્યાય-૮૧-નારદ યુધિષ્ઠિરનો સંવાદ 


II वैशंपायन उवाच II धनंजयोत्सुकानां तु भ्रातृणां कृष्णया सह I श्रुत्वा वाक्यानि विमना धर्मराजोSप्यजायत II १ II

વૈશંપાયન બોલ્યા-'ધનંજય અર્જુનને માટે ઉત્સુક થયેલા ભાઈઓના ને કૃષ્ણાનાં વચન સાંભળીને ધર્મરાજા મનમાં ઉદાસ થઇ ગયા.તે જ વખતે તેમણે દેવર્ષિ નારદ ને આવતા જોયા.તેમને આવેલા જોઈને ધર્મરાજાએ ઉભા થઈને ભાઈઓ સાથે તેમનું યથાવિધિ પૂજન કર્યું.નારદે તે પૂજાનો સ્વીકાર કરી આશ્વાસન આપીને કહ્યું કે-

'હે ધાર્મિક શ્રેષ્ઠ,બોલો શી ઈચ્છા છે?હું તમને શું આપું?' (7)

Dec 14, 2023

Shambhu sharne padi-with lyrics-શંભુ શરણે પડી-ગુજરાતી ભજન -શબ્દો સાથે



ખૂબ જ સુંદર રીતે ગવાયેલું-ભજન -કીર્તીદાન ગઢવી  ના સ્વરે
 

શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો.......................... દયા કરી દર્શન શિવ આપો.

તમે ભક્તો ના ભય હરનારા,શુભ સહુના સદા કરનારા, 

 હું તો મંદ મતિ, તારી અકળ ગતિ,કષ્ટ કાપો........................... દયા કરી દર્શન શિવ આપો. 

Om-Kar Expalaination in Hindi

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-366

 

તીર્થયાત્રા પર્વ 

અધ્યાય-૮૦-અર્જુન સંબંધી શોકોદગાર 

II जनमेजय उवाच II भगवन्काम्यकारपार्थे गते मे प्रपितामहे I पांडवा: किमकुर्वस्ते तमृते सव्यसाचिन् II १ II

  જન્મેજય બોલ્યા-હે ભગવન,મારા પ્રપિતામહ પૃથાનંદન અર્જુન કામ્યક વનમાંથી ગયા,ત્યારે તે પાંડવોએ એ સવ્યસાચી અર્જુન વગર શું કર્યું?કેમકે જેમ,વિષ્ણુ,એ આદિત્યોના ગતિરૂપ છે તેમ,અર્જુન,એ પાંડવોના ગતિરૂપ હતા તેમ મને લાગે છે,અર્જુન વિના તે મહાત્માઓ વનમાં કેવી રીતે રહ્યા હતા? (3)

Dec 13, 2023

Ramchandra Krupalu Bhaj man-By Lata Mangeshkar-with Lyrics in Gujarati -શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન-લતા મંગેશકર ના કંઠે

 

શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવભય દારૂણમ,
નવ કંજ લોચન કંજ મુખ કરકંજ પદ કંજારૂણમ 

Mai nahi makhan khayo-by Mukesh-Film Charandas-મૈં નહિ માખણ ખાયો-સ્વર મુકેશ-ફિલ્મ-ચરણદાસ

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-365

 

અધ્યાય-૭૯-બૃહદશ્વનું ગમન 


II बृहदश्च उवाच II प्रशांते ते पुरे हृष्टे संप्रवृत्ते महोत्सवे I महत्या सेनया राजा दमयन्तीमुपानयत II १ II

બૃહદશ્વ બોલ્યા-જયારે નગરમાં શાંતિ અને આનંદ ફેલાયાં,ત્યારે નળરાજે દમયંતીને તેડાવી.ભીમરાજાએ,પોતાની

પુત્રીને પ્રેમપૂર્વક વિદાઈ આપી.દમયંતી બાળકો સાથે આવી પહોંચી એટલે નળરાજા આનંદમાં વિહરવા લાગ્યો,

ને તેણે વિધિપૂર્વક દક્ષિણાવાળા વિવિધ યજ્ઞો કર્યા ને અભ્યુદયને પામ્યો.

Dec 12, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-364

 

અધ્યાય-૭૭-ઋતુપર્ણ રાજાનું સ્વદેશગમન 


II बृहदश्च उवाच II अथ तां व्युपितो रात्रि नलो राज स्वलंकृतः I वैदर्भ्यां सहितः काले ददर्श वसुधादिपं II १ II

બૃહદશ્વ બોલ્યા-'પછી,સારી રીતે અલંકૃત થયેલો તે નળરાજા ત્યાં એક રાત રહીને બીજે દિવસે સવારે વૈદર્ભી સાથે ભીમને મળવા ગયો ને સસરાનું વિનયપૂર્વક અભિવંદન કર્યું.ભીમે પણ અત્યંત પ્રેમથી બંનેનો સત્કાર કર્યો.

 નળને પાછો આવેલો સાંભળીને નગરના આનંદિત થયેલા લોકોએ ઉત્સવ કર્યો,ઋતુપર્ણે જયારે સાંભળ્યું કે બાહુકના વેશમાં નળરાજા જ છે એટલે તેણે આવીને તેની ક્ષમા માગતા કહ્યું કે-

Dec 11, 2023

Sundarkaand-By Mukesh-With Gujarati Lyrics-સુંદરકાંડ-મુકેશ ના સ્વરમાં -ગુજરાતી શબ્દો સાથે


મંગલ ભવન અમંગલ હારી,દ્રવ્હું સો દશરથ અજીર બિહારી.
જામવંત કે બચન સુહાએ, સુનિ હનુમંત હૃદય અતિ ભાએ.
બાર બાર રઘુબીર સારી, તરકેઉ પવનતનય બલ ભારી.
જેહિં ગિરિ ચરન દેઇ હનુમંતા, ચલેઉ સો ગા પાતાલ તુરંતા.
જિમિ અમોઘ રઘુપતિ કર બાના, એહી ભાતિ ચલેઉ હનુમાના.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-363

 

અધ્યાય-૭૬-નળ  દમયંતીનું મિલન 


II बृहदश्च उवाच II सर्व विकारं द्रष्टा तु पुण्यश्लोकस्य धीमतः I आगत्य केशिनी सर्व दमयन्त्यै न्यवेदयत II १ II

બૃહદશ્વ બોલ્યા-'પછી,તે કેશિની,પુણ્યશ્લોક નળના સર્વ વિકારો જોઈને પાછી આવીને દમયંતીને સર્વ વાત કહી સંભળાવી.એટલે દુઃખાતુર દમયંતીએ માતાને કહ્યું કે-મેં નળની શંકાથી બાહુકની ઘણી બધી પરીક્ષા કરી છે,માત્ર તેના રૂપ વિષે જ સંશય રહ્યો છે તે હું પોતે જાણી લેવા ઈચ્છું છું,એટલે પિતાને જણાવીને,તેને મળવાની ગોઠવણ કર' ત્યાર બાદ માતા અને પિતાએ ખુશીથી રજા આપી ને નળને  દમયંતીના આવાસ પર મોકલ્યો.

Dec 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-362

 

અધ્યાય-૭૫-બાહુક અને બાળકોની ભેટ 


II बृहदश्च उवाच II दमयन्ति तु तच्छ्रुत्वा भृशं शोकपरायणा I शंकमाना नलं तं वै केशिनीमिदमब्रवीत II १ II

બૃહદશ્વ બોલ્યા-તે સાંભળીને દમયંતી અતિ શોકપરાયણ થઇ પણ 'તે નળ જ છે' એવી શંકા કરીને તેણે કેશિનીને કહ્યું કે-'હે કેશીની,તું ફરી જા અને કશું પણ બોલ્યા વિના તેની પાસે ઉભા રહી તેના ચરિત્રો જોજે.તે આગ્રહપૂર્વક અગ્નિ ને જળ માગે તો પણ તે તું તેને તત્કાળ આપીશ નહિ.ને તેનામાં જે કોઈ દૈવી કે માનુષી ચિહ્નન તારા જોવામાં આવે તે તું મને અહીં આવીને કહેજે' ત્યારે કેશીની ત્યાં ગઈ ને લક્ષણો તપાસીને પાછી આવીને બોલી કે-