Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Mar 19, 2024
પ્રારબ્ધ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-460
અધ્યાય-૧૭૧-માયાવી યુદ્ધ
II अर्जुन उवाच II ततोSश्मवर्ष सुमहत्प्रादुरसित्समंततः I नगमात्रै शिलाखण्डैस्तन्मां दढमपीडयत II १ II
અર્જુન બોલ્યો-તે સમયે મારા પર ચારે બાજુથી પથ્થરોની મહાન વૃષ્ટિ ચાલી અને પર્વત જેવા શિલાખંડોવાળી તે
ઝડી મને અત્યંત પીડવા લાગી.પણ,તે વૃષ્ટિ પર મેં,મહેન્દ્રાસ્ત્રથી મંત્રેલાં વજ્ર જેવાં બાણોની ઝડી વરસાવી ને તે
પથ્થરોના ચૂરેચૂરા કરી નાખ્યા.આમ,તેનો નાશ થયો ત્યારે મારી સામે મહાપ્રબળ જળવર્ષા થવા લાગી,
ને જોશભેર પવન ફૂંકાવા લાગ્યો,જેના કારણે કશું જ ઓળખાતું નહોતું,
Mar 18, 2024
માગું,હરપળ તને-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-459
અધ્યાય-૧૬૯-નિવાત-કવચ સાથે યુદ્ધ
II अर्जुन उवाच II ततोSह स्तूयमानस्तु तत्र तत्र महर्षिभिः I अपस्यमुदधि भीममपांपतिमथाव्ययम् II १ II
અર્જુન બોલ્યો-પછી,સ્થળે સ્થળે મહર્ષિઓથી સ્તુતિ કરાયેલા મેં,અનંત અને ભીષણ જલનાથ જળનિધિને જોયો.
મહાવેગવાળા તે જળનિધિને જોયા પછી,મેં દાનવોથી ભરેલા તે દૈત્યનગરને પાસેથી જોયું.માતલિએ ત્યાં જ
રથને એકદમ પૃથ્વીની સપાટી પર ઉતાર્યો.ને રથઘોષથી ત્રાસ વર્તાવતો તે રથ નગર તરફ દોડવા લાગ્યો.
Mar 17, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-458
અધ્યાય-૧૬૮-લોકપાલોનાં અસ્ત્રોની પ્રાપ્તિનું વર્ણન
II अर्जुन उवाच II ततस्तामवसं प्रीतो रजनीं तत्र भारत I प्रसादादेवदेवस्य त्र्यम्बकस्य महात्मान:II १ II
અર્જુન બોલ્યો-પછી,હે ભારત,દેવાધિદેવ મહાત્મા શંકરની કૃપાથી હું તે રાત ત્યાં જ રહ્યો.બીજે દિવસે પ્રાતઃકાળે,
મેં ફરીથી પેલા બ્રાહ્મણને ત્યાં જોયો,એટલે મેં તેને શંકરને મળ્યાનો સર્વ વૃતાંત કહ્યો.પ્રસન્ન થયેલા તે બ્રાહ્મણે મને કહ્યું કે-
તું મહાદેવનાં જેવાં દર્શન પામ્યો છું તેવાં દર્શન બીજા કોઈને એ થયાં નથી.હવે તું યમ આદિ સર્વ લોકપાલોને મળીને ઇંદ્રનાં દર્શન પામીશ તે તને અસ્ત્રો આપશે' આમ કહીને તે બ્રાહ્મણ ત્યાંથી ચાલ્યો ગયો.
Mar 16, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-457
અધ્યાય-૧૬૭-યુધિષ્ઠિર અને અર્જુનનો સંવાદ
II वैशंपायन उवाच II यथागतं गते शक्रे भ्रातृभिः सः संगतः I कृष्णया चैव विभत्सुर्धर्मपुत्र पुजयत् II १ II
વૈશંપાયન બોલ્યા-આમ,ઇન્દ્ર પોતાના સ્થાને પાછા ગયા,પછી,અર્જુને પોતાના ભાઈઓ ને દ્રૌપદી સાથે,ધર્મરાજ યુધિષ્ઠિરની પૂજા કરી.ધર્મરાજે વંદન કરતા તે અર્જુનના માથાને સુંઘયું ને પ્રસન્ન મનથી હર્ષથી ગદગદ થયેલી વાણીમાં તેને પૂછ્યું કે-'હે અર્જુન,સ્વર્ગમાં તારો સમય કેવી રીતે પસાર થયો હતો?તું કેવી રીતે અસ્ત્રો પ્રાપ્ત કરી શક્યો? તેં દેવરાજ ઇન્દ્રને કેવી રીતે પ્રસન્ન કર્યા? તે પિનાકપાણી શંકરના કેવી રીતે દર્શન કર્યા ને કેવી રીતે તેમના અસ્ત્રોની પ્રાપ્તિ થઇ? તેં શી રીતે દેવોને આરાધ્યા? ઈન્દ્રનું તેં કયું પ્રિય કાર્ય કર્યું છે? આ બધું તું મને કહે (8)
Mar 15, 2024
પ્રભુના પ્યારથી-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-456
નિવાત કવચ યુદ્ધ પર્વ
અધ્યાય-૧૬૫-અર્જુનનો સમાગમ
II वैशंपायन उवाच II
ततः कदाचिद्वरिसंप्र्युक्तं महेन्द्रवाहं सहसोपयातम् I विध्युत्भ्रमं प्रेक्ष्य महारथानां हर्षोSर्जुनं चिन्तयतां वभूव II १ II
વૈશંપાયન બોલ્યા-અર્જુનની ચિંતા કરી રહેલા તે મહારથી પાંડવોએ એક સમયે વીજળીની જેવા ચમકવાળા ઈંદ્રરથને એકાએક આવતો જોયો કે જેથી તેમને અત્યંત આનંદ થયો.માતલિ સારથિએ નિયમમાં રાખેલો તે રથ અંતરિક્ષને એકદમ ચમકાવી રહ્યો હતો,ને તેમાં અર્જુન મુગટ,માળા ને નવાં આભરણો સજીને બેઠેલો હતો.
હવે,ઇન્દ્રના જેવા પ્રભાવવાળો અને લક્ષ્મીથી ઝગમગી રહેલો તે ધનંજય તે પર્વત પર આવીને રથમાંથી ઉતર્યો.
Mar 14, 2024
ચોતરફ તું હરિ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-455
અધ્યાય-૧૬૪-સ્વર્ગમાંથી અર્જુનનું આગમન
II वैशंपायन उवाच II
तस्मिन्नगेन्द्रे वसतां तु तेषां महात्मनां सदव्रतमास्थिताम् I रतिः प्रमोदश्व वभूव तेपामाकांक्षतां दर्शनमर्जुनस्य II १ II
વૈશંપાયન બોલ્યા-અર્જુનના દર્શનની આકાંક્ષાથી તે ગિરિરાજ ઉપર નિવાસ કરી રહેલા એ સદવ્રતચારી મહાત્મા પાંડવોને પ્રીતિ અને આનંદ થયાં હતાં.ત્યાં તેમને મળવા ગંધર્વો ને મહર્ષિઓ આવતા હતા.તે મહાપર્વતના વૃક્ષો,પક્ષીઓ,તળાવો,ફૂલો આદિને જોઈ તેઓએ આનંદમાં દિવસો વિતાવ્યા.તે ગિરિવરના તેજને કારણે તથા મહાઔષધિઓના પ્રભાવને લીધે,ત્યાં રાત્રિ-દિવસનો ખાસ ભેદભાવ જણાતો નહોતો.વેદનો સ્વાધ્યાય કરતા,ધર્મપ્રધાન રહી,વ્રતો આચરી અને સત્યમાં સ્થિર રહીને તે પાંડવો અર્જુનના આવવાની વાટ જોઈ રહ્યા હતા.
Mar 13, 2024
શરણાગતિ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-454
અધ્યાય-૧૬૩-મેરુ પર્વતનાં દર્શન
II वैशंपायन उवाच II ततः सूर्योदये धौम्यः कृत्वाSSर्ह्निकमरिंदम I आर्ष्टिषेणेन सहितः पांडवानम्यवर्तत II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,સૂર્યોદય થતાં,ધૌમ્યે નિત્યકર્મ પતાવ્યું ને આર્ષ્ટિષેણને લઈને પાંડવો પાસે આવ્યા,ત્યારે પાંડવોએ તેમના ચરણમાં વંદન કર્યું.ને હાથ જોડીને સર્વ બ્રાહ્મણોનું પૂજન કર્યું.ધૌમ્ય યુધિષ્ઠિરને કહેવા લાગ્યા કે-
'હે મહારાજ,પૂર્વ દિશામાં આ શૈલરાજ મંદર,સાગર સુધીની ભૂમિને ઘેરીને ઉભો છે.પર્વતો,વનના સીમાડાઓ ને અરણ્યોથી શોભી રહેલી આ દિશાનું ઇન્દ્ર તથા કુબેર રક્ષણ કરે છે.ઋષિઓ આને ઇન્દ્ર ને કુબેરનું ધામ કહે છે.
ઋષિઓ,સિદ્ધો,સાધ્યો,દેવતાઓ તથા પ્રજાઓ અહીંથી (પૂર્વથી) ઉદય પામતા સૂર્યની ઉપાસના કરે છે.(7)
Mar 12, 2024
માયા-સંગ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-453
અધ્યાય-૧૬૨-કુબેરનાં વચનો
II धनद उवाच II युधिष्ठिर धृतिर्दाक्ष्यं देशकालपराक्रमाः I लोकतंत्रविधानानामेप पञ्चविधो विधिः II १ II
કુબેર બોલ્યા-હે યુધિષ્ઠિર,ધૃતિ,દક્ષતા,દેશ,કાળ અને પરાક્રમ-એ પાંચ પ્રકારનો લોકવ્યવહારનો વિધિ છે.
કૃત(સત્ય)યુગમાં મનુષ્યો ધૃતિમાન,પોતપોતાના કાર્યોમાં દક્ષ ને પરાક્રમના વિધાનને જાણનારા હતા.ધૃતિમાન,દેશ અને કાળને જાણનાર અને સર્વ ધર્મવિધાનોનો વેત્તા એવો ક્ષત્રિય પૃથ્વી પર ચિરકાળ સુધી રાજ્ય કરે છે.જે પુરુષ પોતાના કર્મોમાં આ પ્રમાણે વર્તે છે તે આ લોકમાં યશ પામે છે ને પરલોકમાં સદગતિ મેળવે છે.હે પુરુષસિંહ,આ ભીમસેન ધર્મને જાણતો નથી,ગર્વિષ્ઠ,બાળકબુદ્ધિ,અસહનશીલ ને નિર્ભય છે.તમે તેને ઉપદેશ આપો.


.jpg)









