Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Apr 25, 2024
હાજરી-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-497
અધ્યાય-૨૧૪-ધર્મવ્યાધનાં માતપિતા
II मार्कण्डेय उवाच II एवं संकथिते कृत्सने मोक्षधर्मे युधिष्ठिर I दढप्रीतमना विप्रो धर्मव्याधमुवाच ह् II १ II
માર્કંડેય બોલ્યા-હે યુધિષ્ઠિર,ધર્મવ્યાધે આ પ્રમાણે મોક્ષધર્મ કહ્યો,ત્યારે અત્યંત પ્રસન્નમન થયેલા વિપ્રે
તેને કહ્યું કે-'તમે આ જે કહ્યું તે બધું ન્યાયયુક્ત છે.આ લોકમાં ધર્મસંબંધમાં તમને કશું અજાણ્યું નથી'
વ્યાધ બોલ્યો-'હે દ્વિજોત્તમ,તમે મારા પ્રત્યક્ષ ધર્મને જુઓ,જેને પ્રતાપે હું આ સિદ્ધિ પામ્યો છું.
તમે ઘરની અંદર આવી મારા માતપિતાને જુઓ' ત્યારે તે બ્રાહ્મણ વ્યાધના ઘરમાં ગયો,ત્યાં સફેદ વસ્ત્રો પહેરેલા વ્યાઘનાં માતપિતા ભોજન કરીને,સંતોષથી આસન પર વિરાજ્યા હતા.ધર્મવ્યાધે તેમને વંદન કર્યા.માતપિતાએ આશીર્વાદ આપ્યા.ને બોલ્યા કે-ધર્મ તારું રક્ષણ કરો,અમે તારા આચરણથી પ્રસન્ન છીએ,તને દીર્ઘાયુષ મળો.જેમ,જમદગ્નિપુત્ર પરશુરામે પોતાનાં વૃદ્ધ માતપિતાની સેવા કરી હતી,તેમ તું પણ અમારી સેવા કરે છે'
Apr 24, 2024
અક્ષરો-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-496
અધ્યાય-૨૧૩-અધ્યાત્મવિચાર
II ब्राह्मण उवाच II [पार्थिवं धातुमासाद्य शारिरोग्निः कथं भवेत् I अवकाशविशेषण कथं वर्तयतेनिल II १ II
બ્રાહ્મણ બોલ્યો-વિજ્ઞાન (આત્મા)નામની અગ્નિમય ધાતુ,ત્વચા આદિ પાર્થિવ ધાતુને પામીને કેમ શરીરાભિમાની થાય છે? વળી,વાયુ,ભિન્ન ભિન્ન નાડીમાર્ગોનો આશ્રય કરીને શરીરને કેવી રીતે ચેષ્ટિત (ક્રિયાશીલ) કરે છે?
વ્યાધ બોલ્યો-પ્રકાશ(અગ્નિ)મય વિજ્ઞાનાત્મા,ચિદાત્મા (પરમાત્મા)નો આશ્રય કરીને શરીરને ચેતનવાળું કરે છે.
પ્રાણ(શક્તિ),એ ચિદાત્મા ને વિજ્ઞાનાત્મા કરી ક્રિયા કરે છે.ભૂત,ભવિષ્ય ને વર્તમાન એ સૌ પ્રાણના આધારે છે.
તે પ્રાણ જ સર્વ ભૂતોનો કાર્યકારણરૂપ આત્મા છે,તે જ સંતાન પુરુષ છે,તે જ મહત્તત્વ,બુદ્ધિ,અહંકાર ને ભૂતોના
શબ્દ-આદિ વિષયો છે.આમ,તે પ્રાણથી જ શરીરનું અંદર ને બહાર પરિપાલન થાય છે.
પછી,એ પ્રાણ,સમાન નામના વાયુભાવે જુદીજુદી ગતિનો આશ્રય કરે છે (6)
Apr 23, 2024
પરમ-પદ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-495
અધ્યાય-૨૧૧-પંચમહાભૂત અને ઇન્દ્રિયનિગ્રહ
II मार्कण्डेय उवाच II एवमुक्तः स विप्रस्तु धर्मव्याधेन भारत I कथामकथयद भूयो मनसः प्रीतिवर्धनिम् II १ II
માર્કંડેય બોલ્યા-હે ભારત,ધર્મવ્યાધે તે વિપ્રને આમ કહ્યું ત્યારે તેણે મનની પ્રીતિ વધારનારી કથા
ફરી પૂછતાં પૂછ્યું કે-'તમે જે પાંચ મહાભુતો કહ્યાં,તે પાંચેના ગુણો મને કહો'
વ્યાધ બોલ્યો-હે બ્રહ્મન,શબ્દ,સ્પર્શ,રૂપ,રસ ને ગંધ-એ પાંચે ગુણો પૃથ્વીમાં રહેલા છે.શબ્દ,સ્પર્શ,રૂપ,રસ-એ
ચાર ગુણો જળના કહ્યા છે,શબ્દ,સ્પર્શ,રૂપ-એ ત્રણ ગુણો તેજના છે,શબ્દ,સ્પર્શ એ બે ગુણો વાયુના છે અને શબ્દ એ
આકાશનો એક જ ગુણ છે.આ સર્વ સંસાર પંચમહાભૂતોમાં રહેલા ગુણોને આશ્રયે રહેલો છે.
Apr 22, 2024
સાથ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-494
અધ્યાય-૨૧૦-બ્રહ્મવિદ્યાનો ઉપદેશ
II मार्कण्डेय उवाच II एवमुक्तस्तु विप्रेण धर्मव्याधो युधिष्ठिर I प्रत्युवाच यथा विप्रं तच्छ्रुणुष्व नराधिप II १ II
.માર્કંડેય બોલ્યા-'હે યુધિષ્ઠિર,બ્રાહ્મણે આમ પૂછ્યું એટલે ધર્મવ્યાધે જે ઉત્તર આપ્યો તે તમે સાંભળો'
ધર્મવ્યાધ બોલ્યો-હે દ્વિજશ્રેષ્ઠ,મનુષ્યોનું મન પ્રથમ વિષયોને જાણવા માટે પ્રવૃત્તિ કરે છે,ને જાણ્યા પછી તે કામને ક્રોધને ભજે છે.ને તે તે માટે પ્રયત્ન કરે છે,ને મહાન કર્મો આરંભે છે.આમ તે રૂપ,ગંધ આદિ વિષયોનો અભ્યાસ કર્યા કરે છે જેથી રાગ (આસક્તિ) જન્મે છે.આ રાગમાંથી દ્વેષ,દ્વેષમાંથી લોભ ને લોભમાંથી મોહ પેદા થાય છે.
Apr 21, 2024
પરવારી ગયો-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-493
અધ્યાય-૨૦૯-કર્મકથા
II मार्कण्डेय उवाच II धर्मव्याधस्तु निपुणं पुनरेव युधिष्ठिर I विप्रर्यममुवाचेदं सर्वधर्मभृतां वर II १ II
માર્કંડેય બોલ્યા-'હે યુધિષ્ઠિર,ધર્મવ્યાધે તે નિપુણ વિપ્રવરને ફરીથી આ બધું કહ્યું'
વ્યાધ બોલ્યો-ધર્મનું પ્રમાણ વેદ છે-એવી વૃદ્ધોની આજ્ઞા છે.પણ આ ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ છે,અનેક શાખાવાળી છે ને પાર વિનાની છે.જેમ કે (કહેવાય છે કે)પ્રાણના સંકટ સમયે ને વિવાહ પ્રસંગે અસત્ય કહેવું એ યોગ્ય હોઈ શકે છે કેમ કે એવા સંજોગોમાં અસત્યથી સત્ય ફળ મળે છે ને સત્યથી અસત્ય ફળ મળે છે.
આવા પ્રસંગે ઉલટું વર્તવાથી ધર્મ સધાય છે !! જુઓ આ ધર્મની સૂક્ષ્મતાને !!
Apr 20, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-492
અધ્યાય-૨૦૮-જીવહિંસાનુ નિરૂપણ
II मार्कण्डेय उवाच II स तु विप्रमथोवाच धर्मव्याधो युधिष्ठिर I यदहमाचरे कर्म घोरमेतदसंशयम् II १ II
માર્કંડેય બોલ્યા-હે યુધિષ્ઠિર,હવે તે ધર્મવ્યાધે,બ્રાહ્મણને કહ્યું કે-'હું આ જે કર્મ આચરૂં છું તે નિઃસંશય ભયંકર છે,
પણ હે બ્રાહ્મણ,પૂર્વે કરેલા કર્મો ભોગવ્યે જ છૂટકો છે.પૂર્વજન્મના પાપથી આ કર્મદોષ મને આવ્યો છે.
આ દોષ ફેડવા હું પ્રયત્ન કરું છું પણ મારો છૂટકો થતો નથી.જો કે વિધિએ પ્રથમથી જ પ્રાણીઓને હણી મૂક્યાં છે
એટલે તેમનો પછીથી નાશ કરનારાઓ તો માત્ર નિમિત્તરૂપ જ છે.વળી,હું જે પ્રાણીઓનું માંસ અહીં વેચું છું તે
માંસ,ભોજનના કામમાં આવે છે તેથી તે પ્રાણીઓ પુણ્ય પ્રાપ્ત કરે છે.
Apr 19, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-491
અધ્યાય-૨૦૭-બ્રાહ્મણ અને વ્યાધનો સંવાદ
II मार्कण्डेय उवाच II चितयित्वा तदाश्चर्य स्त्रिया प्रोक्तमशेषत I विनिंदन स स्वमात्मानमागस्कृत इवाबमौ II १ II
માર્કંડેય બોલ્યા-તે સ્ત્રીની કહેલી આશ્ચર્યકારી વાતનો,તે કૌશિકે સંપૂર્ણતાથી વિચાર કર્યો,ને પોતાની જાતને નિંદવા લાગ્યો.ને તેને મિથિલાનગરીમાં જઈને વ્યાધને મળવાનો નિશ્ચય કરી ત્યાં જવા નીકળ્યો.નગરીમાં પહોંચી તેણે ધર્મવ્યાધનો પત્તો મેળવી ત્યાં ગયો ત્યારે તેણે તે વ્યાધને,ખાટકીવાડમાં દુકાને બેસીને મૃગો ને પાડાઓનું માંસ વેચતો જોયો.ઘરાકોની ભીડ હતી એટલે તે એકાંતમાં જઈ બેઠો.ધર્મવ્યાધ,એ બ્રાહ્મણના આવ્યાની વાત જાણી ગયો,ને એકદમ ઉભો થઈને બ્રાહ્મણ પાસે આવીને વંદન કરીને બોલ્યો કે-
Apr 18, 2024
કૃપા અનંતની-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-490
અધ્યાય-૨૦૬-પતિવ્રતાનું આખ્યાન-કૌશિકની કથા
II मार्कण्डेय उवाच II कश्चिद्द्विजातिप्रवरो वेदाध्यायी तपोधन: I तपस्वी धर्मशीलश्च कौशिको नाम भारत II १ II
માર્કંડેય બોલ્યા-હે ભારત,કૌશિક નામે એક બ્રાહ્મણ હતો કે જે તપસ્વી,ધર્મશીલ હતો.તેણે ઉપનિષદો સાથે વેદોનું અધ્યયન કર્યું હતું.એક વાર તે કોઈ ઝાડના નીચે બેસીને વેદ ભણી રહ્યો હતો,ત્યારે તે ઝાડ પર બેસેલી એક બગલીએ તે બ્રાહ્મણની પર અઘાર કરી,કે જેથી તે બ્રાહ્મણ ક્રોધે ભરાયો અને બગલીનું અનિષ્ટ ચિંતન કરીને તેની સામે જોયું કે તરત જ તે બગલી,નિષ્પ્રાણ થઈને ધરતી પર પડી.તેને જોઈને બ્રાહ્મણ દયાથી સંતાપ કરવા લાગ્યો કે-'અરે રે,રોષ અને રાગમાં આવી જઈને મેં આ ભૂંડું કામ કરી નાખ્યું '(6)






.jpg)





