દેહના ધારણને એક જાતના વિનોદ-રૂપ જ ગણવા લાગ્યા.
"આ દેહને શા માટે રાખવો?આ દેહને છોડી દેવાથી આપણને શો લાભ થાય તેમ છે?" એવા વિચારો કર્યા પછી,
"શાસ્ત્રીય અને લૌકિક આચારને અનુસરીને આ દેહ જેમ વર્તે છે-તેમ ભલે વર્તે" એ પ્રમાણે નિશ્ચય કરીને રહેતા,
અને એક વનમાંથી બીજા વનમાં જતાં એ બંને જણ પરમાનંદ પામ્યા કે જે વિષયાનંદ તથા દુઃખોથી રહિત છે.
ધનને,વૈભવને અને પ્રસન્ન થયેલા બ્રહ્મા-આદિએ આપેલી આઠ સિધ્ધિઓને પણ તે જુના ખડ સમાન ગણતા હતા.