અધ્યાય-૧૬૧-ઉલૂકે દુર્યોધનનો સંદેશો પાંડવોને કહ્યો
II संजय उवाच II सेनानिवेशं संप्राप्तं: केतव्यः पाण्डवस्य ह I सभागत: पाण्डवेयैर्युधिष्ठिरमभाषत II १ II
સંજયે કહ્યું-'દુર્યોધનનો સંદેશો લઈને,કૈતવ્ય ઉલૂક,પાંડવોની છાવણીમાં આવ્યો અને પાંડવોને મળીને યુધિષ્ઠિરને કહેવા લાગ્યો કે-તમે દૂતના કર્મને જાણનારા છો,માટે દુર્યોધને જે પ્રમાણે સંદેશો કહાવ્યો છે તે પ્રમાણે હું તમને કહું છું,તે સાંભળીને તમારે મારા પર ક્રોધ કરવો યોગ્ય નથી.' યુધિષ્ટિરે તેને અભયવચન આપ્યું.ત્યારે કૃષ્ણ,આદિ સર્વની વચ્ચે તે સંદેશો કહેવા લાગ્યો.