અધ્યાય-૧૭૧-પાંડવોના રથી-અતિરથી (ચાલુ)
II भीष्म उवाच II पंचालराजस्य सुतो राजनार पुरंजयः I शिखण्डी रथमुख्यो मे मतः पार्थस्य भारत II १ II
ભીષ્મે કહ્યું-હે ભારતરાજ,પાંડવોના પક્ષમાં પાંચાલરાજના પુત્ર શિખંડીને હું મુખ્ય રથી માનું છું.એ શિખંડી પોતાનો પ્રાચીન સ્ત્રીભાવ ત્યજીને,અર્થાંત પુરુષાર્થ દેખાડીને,સંગ્રામમાં ઉત્તમ યશનો વિસ્તાર કરતો તારી સેના સાથે યુદ્ધ કરશે.
દ્રોણનો મહારથી શિષ્ય અને પાંડવ સેનાનો સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન અતિરથી છે,એમ હું માનું છું.એની રથસેના,દેવોની રથસેના જેવડી મોટી અને સાગર સમાન છે.યુદ્ધમાં તે શત્રુઓનો સંહાર વાળશે.ધૃષ્ટદ્યુમ્નના પુત્ર ક્ષત્રધર્માને હું અર્ધરથી માનું છું,કારણકે તેણે બાલ્યાવસ્થાને લીધે યુદ્ધકળામાં બહુ પરિશ્રમ કર્યો નથી.