અધ્યાય-૧૯૨-શિખંડીને પુરુષપણાની પ્રાપ્તિ
II भीष्म उवाच II शिखंडीवाक्यं श्रुत्वाथ यक्षो भरतर्षंम I प्रोवाच मनसा चिंत्य दैवेनोपनिपीडित II १ II
ભીષ્મે કહ્યું-હે રાજા,શિખંડીનું કહેવું સાંભળીને,દૈવના સપાટામાં સપડાયેલા તે યક્ષે મનમાં વિચાર કરીને તેને કહ્યું કે-
'હે કલ્યાણી,તું મારો ઠરાવ સાંભળ,હું મારું પુરુષપણું તને થોડા સમય માટે આપું છું,પરંતુ સમય પૂરો થતાં તારે અહીં પાછા આવવું,એને માટે તું સત્યના સોગન લે.મારી કૃપાથી તું તારા માતપિતા ને નગરનું રક્ષણ કર.હું તારું પ્રિય કરીશ'
શિખંડીએ કહ્યું-'હે સદાચારી નિશાચર,હું તમારું પુરુષપણું સમય પૂરો થતાં પાછું આપીશ.હિરણ્યવર્મા પાછો જશે
ત્યારે હું ફરીથી કન્યા થઇ જઈશ અને તમે પુનઃ પુરુષ થજો'





